SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ નિકાળવામાં આવી. પૂજ્ય ગુરુદેવનીકરેલી ભવિષ્યવાણી સાચી પડી. વિ. સં. ૧૯૯૯ના પટ્ટીના ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીજીની ૭૩મી જન્મ જયંતીના ઉજવણી પ્રસંગે ગુજરાવાલાના બાબુ ગૌરીશંકર પણ તેમના એક શ્રાવક મિત્ર સાથે પટ્ટી આવ્યા હતા. ગૌરીશંકર જગતના વહેવારો જોઈનાસ્તિક થઈ ગયા હતા. તેઓ જ્ઞાની સત્યપુરુષની શોધમાં હતા. પૂજ્યશ્રીજી સાથે તેમની મુલાકાત થઈ. તેમણે પૂજ્યશ્રીજીને અનેક મુંઝવતા પ્રશ્નો પૂછયા. પૂજ્ય ગુરુદેવે તેમની શંકાઓનું શાંતિથી, ધીરજથી સમાધાન કર્યું. દિવસો સુધી ધાર્મિક ચર્ચાઓ ચાલતી રહી. છેવટે ગૌરીશંકરના નાસ્તિક અંતરમાં રહેલો કચરો દૂર થયો. સુંદર આસ્તિકતાની જ્યોત પ્રગટી અને તેઓ પૂજ્ય ગુરુદેવના અનન્ય ભકત બની ગયા. આધ્યાત્મિક શકિતના સ્વામી પૂજ્ય ગુરુદેવના સાંનિધ્યમાં એ સામર્થ્ય હતું, જેના પ્રતાપે આવા કેટલાય નાસ્તિકોના જીવનમાં પરિવર્તન આવ્યું હતું. ભાદરવા વદ આઠમ વિ.સં. ૧૯૯૮ના શનિવારના દિવસે પંજાબમાં સિયાલકોટ ખાતે રોકાયેલા પૂજ્ય ગુરુદેવ કેટલાક વિદ્વાનો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. મુનિરાજસમદ્રવિજ્યજી મ.સા. લેખનપ્રવૃત્તિમાં વ્યસ્ત હતા. ત્યાં લક્ષ્મીચંદજીએ દીવાનચંદજીનો પરિચય મુનિરાજને આપ્યો. અનુમતિ મેળવી દીવાનચંદજીએ પોતાની વાત શરૂકરી... મારું નામ દીવાનચંદ ક્ષત્રિય છે. મારા પિતાનાનચંદજી છે. તેમની ઉંમર સોની આસપાસ છે. તેઓ પૂજ્યશ્રીજીનું વ્યાખ્યાન સાંભળવા આવતા રહે છે, પરંતુ હું મારી જિંદગીમાં આજ દિન સુધી કોઈધર્મ, સંપ્રદાયના ગુરુને માનતો નહીં. દેવદર્શન પણ ક્રતોનહીં, ભારતના મુંબઈ, કલકત્તા જેવા મોટાં શહેરોના મંદિરોમાં હું જઈઆવ્યો છું. અસંખ્યનામી-અનામી સાધુ સંત, ફકીરોને મળી ચૂક્યો છું, પરંતુ મારા દિલમાં કોઈના માટે નમસ્કાર કરવા જેટલો ઉમળકો પેદા થયો નહોતો. સંસારના સઘળા વ્યસનો હું ભોગવી ચૂક્યો છું. પરંતુ હમણાં જે દિવસે પૂજ્ય ગુરુદેવ અહીં પધાર્યા, તે દિવસે લાઉડસ્પીકરમાં વાગતા ભજનનો અવાજ મારા કાને પડયો. હું દુકાન વધાવતો હતો. એ અવાજ સાંભળતા મારા હૃદયમાં પ્રશ્ન થયો- શું આ કોઈ વિશિષ્ટ મહાત્માતો નથીને? કારણકે પોતાના ધંધા રોજગાર છોડી દેશ દેશાંતરથી આવેલાં હજારો નરનારીઓને એક મહાત્મા પાછળ સમય ફાળવતા મેં જોયા, એમના સ્વાગતની તૈયારીઓ જોઈ. સુંદર શોભાયાત્રા નિહાળી. એટલે એમને જોવાની મારી ભાવના દ્દઢ બની. હું મંડપમાં પહોંચ્યો. બેસવાની જગ્યા નહોતી, એટલે એક બાજુ ઊભા રહીમેં વ્યાખ્યાન સાંભળ્યું. એ નાનકડા વ્યાખ્યાનથી મારી શંકાઓનું સમાધાન થયું. એમની પ્રતિભા, જ્ઞાનયુકત વાણીથી હું પ્રભાવિત થયો. ત્યારબાદ નિયમિત હું તેમના વ્યાખ્યાન સાંભળવા જવા લાગ્યો. તેમનાં પ્રવચનો સાંભળતા સાંભળતા મારા દિલમાં જોરદાર શ્રદ્ધા ઉત્પન્ન થઈ. મેં તેમને માનસિકરૂપે ગુરુમાની લીધા છે. મેં મારી પત્નીને પણ પૂજ્યશ્રીજીને ગુરુ બનાવી લીધાની વાત જણાવી દીધી છે. મુનિરાજ શ્રી સમુદ્રવિજ્યજી તેમને પૂજ્ય ગુરુદેવ પાસે લઈ ગયા. દીવાનચંદજીએ સવિનય વંદના કરી. પૂરી વાત જણાવવામાં આવી. ત્યારબાદદીવાનચંદજીએ પોતાની ભાવના વ્યક્ત કરી, “ગુરુદેવહિવે આપ મને આપનો શિષ્ય બનાવી લો.” આટલુંતાતેમાગપૂજ્યશ્રીજીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy