SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ખાતર આજ્ઞા હતી, કરવાની જરૂર નથી. આવી અગ્નિપરીક્ષાઓમાંથી પાત્રતાનું સોનું સો ટચનું બને છે. તમો પુણ્યવાન છો કે - આવી ભૂમિકાએ પણ તમે આવી શકયા છો પણ કયારેક તેમાં અકળામણ પણ થાય છે. તેમાં થોડી પ્રાથમિક ઘડતરની ખામી તેમજ હાયર એજ્યુકેશન તમને એ બાજુ ખેંચી જાય છે. આ વાત તમારા દોષ પ્રકટ કરવા માટે નથી પણ સાવચેતીના સૂર રૂપે છે. તમે આ પ્રસંગે અંતરથી જાગ્રત રહી શકો તે માટે સદ્ભાવભર્યું સૂચન છે. વળી આરાધનાના પંથે વિનયની મર્યાદાની જાળવણી પણ ખૂબ જરૂરી છે. ૨૩૬ આંતરિક વિચારો સાથે વિનયનો મેળ દૂધ - છાશ જેવો છે. મેળ મળે જ નહીં. વિનય જાળવવા આંતરિક વિચારોને ગૌણ કરવા જ પડે. આંતરિક વિચારોની ગ્રંથિ વિનય ગુણને ટકવા દેતી નથી અંતરની સાધનાનો અર્થ વિચારગ્રંથિનો ભેદ, આજ્ઞાની આધીનતાનો સ્વીકાર. શ્રી નવકારનો આરાધક પરસ્પર વિરુદ્ધ આજ્ઞા અને વિચારગ્રંથિનું મિશ્રણ ન કરે. વિચારગ્રંથિનો ભેદ આજ્ઞાપાલનના ભાવથી થાય છે, આજ્ઞાપાલન માટે વિનયગુણ ખાસ જરૂરી છે, વિનયના પાયામાં ગુણાનુરાગ જરૂરી છે. આ રીતે ગુણાનુરાગ, વિનય, આજ્ઞા, વિચારગ્રંથિભેદ એમ ઉત્તરોત્તર જીવનશુદ્ધિના પગથિયાં ચઢવા પ્રયત્ન કરવો જરૂરી છે. આ ઉપરાંત વિચારોની ભૂમિકાએ કોઈ પણ ચીજને સ્થાપવાના પ્રયત્ન કરતાં દરેક ચીજને જ્ઞાની સદ્ગુરુની નિશ્રાએ આચારની ભૂમિકાએ ગોઠવવાનો પ્રયત્ન કરવો. આચારની ભૂમિકા અંતરશુદ્ધિ માટે કેળવવી ખાસ જરૂરી છે. આચારની ભૂમિકા સુધર્યા વિના વિચારોની ભૂમિકા શુદ્ધ બનતી નથી. માટે વાતોના વડા કે માત્ર વૈચારિક ભૂમિકાના વિકાસથી અંતરશુદ્ધિનો રાહ જડતો નથી. શ્રી નવકારના આરાધકે આચારનિષ્ઠાથી કેળવણી માટે ખૂબ પ્રયત્ન કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy