SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા આત્મશકિતઓની વિકાસની સફ્ળ ચાવી છે. જો તે ચાવી ખોવાઈ જાય તો જીવનશુદ્ધિના દ્વારનું તાળું ખોલી શી રીતે શકાય ? માટે આરાધક પુણ્યાત્માએ સતત આત્મનિરીક્ષણ કરી તેને વિશિષ્ટ ધર્મક્રિયાઓના બળે આપણી આરાધનાના પ્રાણરૂપ લક્ષ્યજાગૃતિને જાળવી રાખવાનો ભરપૂર પ્રયત્ન કરવો ઘટે. મહાપુરુષો ગમે તેવી કષ્ટપ્રદ સ્થિતિમાં પોતાની જાતને આચારનિષ્ઠાની ભૂમિકા પર ટકાવી શકયા, તેનું અગત્યનું કારણ તેમની સુદૃઢ સ્પષ્ટ લક્ષ્યાકૃતિ હતી કે આ વિક્ષેપોથી મારા આત્મારૂપ સુવર્ણનો કર્મમેલ બળી જઈ કુંદન જેવી મારી નિર્મલ દશા પ્રગટે છે. આ રીતે આપણે આપણી આરાધનામાં વિક્ષેપોના ભરપૂર આક્રમણ વખતે પંચપરમેષ્ઠીઓની તારકતા પરનો વિશ્વાસ ડગાવવો નહીં. קד ૧૬ Jain Education International ૨૩૫ મૈં પાલનપુર ૧૭-૧૧-૮૩ આરાધના માર્ગે ચાલતાં કયારેક કસોટીમાંથી પસાર થવું પડે છે, તે કસોટી શારીરિક કે આર્થિક કરતાં વૈચારિક મહત્ત્વની હોય છે, તેમાંથી સાત્ત્વિક રીતે પસાર થવું તે પાત્રતાનો વિકાસ ગણાય. વડીલોની કે જેની નિશ્રાએ આરાધના કરતા હોઈએ તેમની આપણી આંતરિક પાત્રતાની કસોટી માટે આપણી વિચારશકિત જેને ન આંબી શકે તેવી પણ આજ્ઞા કયારેક જાણીને કયારેક સહજભાવે થાય છે. તે વખતે પ્રસન્નતાપૂર્વક ઉમંગથી તે શિરોધાર્ય કરી તેને અમલી બનાવવાનો સાહજિક પ્રયત્ન પાત્રતાના વિકાસને આભારી છે. ભલે ! પછી તે કાર્ય અશકય કે દુ:શકય હોય પણ તુરત જ હર્ષભેર વધાવી અમલમાં મૂકવાના પ્રયત્નો માટેની તત્પરતા જ પાત્રતાની પરાકાષ્ઠા સૂચવે છે. પછી આજ્ઞાકારક પોતે કહે કે બસ ! ભાઈ ! આગળ વધવાની જરૂર નથી ! માત્ર ચકાસવા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy