SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૩૭. १७ જૈન ઉપાશ્રય, વાસણા ૨૩-૧૧-૮૩ વિ. શ્રી નવકારની આરાધનાથી અંતરંગ વૃત્તિઓનો સંસ્કારપ્રેરિત ઉછાળો ઘટવા પામે છે. કેમ કે સંસ્કારોની સક્રિયતા પર કાપ મૂકવો તે ખરેખર આરાધનાનું હાર્દ છે. આરાધક પુણ્યાત્માએ જપ સાથે અંતરને ભકિતયોગથી પરમશકિતના કેસમાં શ્રી નવકાર તરફ વાળવાની જરૂર છે. તે વિના સંસ્કારો પર કાપ મૂકવો અશક્ય છે. વિચારોની સક્રિયતા સંસ્કારોને વધુ ગતિશીલ બનાવે છે માટે શ્રદ્ધા-ભકિતમાંથી ઊપજતા સમર્પણ બળે વિચારોને થંભાવવાની ખાસ જરૂર છે. જીવનની જાગૃતિનું તત્ત્વ વિચારોનું તાંડવ શમ્યા પછી ઓળખવા મળે છે. પરમેષ્ઠીઓ એટલે પૂર્ણ રીતે જાગ્રત જીવનના પરમસીમા સ્તંભો છે. તેઓના સ્વરૂપનું નિદિધ્યાસન અંતરને હળવું બનાવે છે. પણ આરાધનાનો આ પંથ એટલો વિકટ છે કે અંતરની બહિર્મુખ શક્તિઓ વારંવાર વિક્ષેપોની વણઝાર રૂપે આપણને લક્ષ્યહીન બનાવવા મથતી હોય છે પણ આ બધા માટે પોતાની અંતરંગ શકિતઓના કેંદ્રસમા આત્માની મૌલિકશક્તિઓના સ્રોતને આરાધના દ્વારા લક્ષ્યગામી બનાવવાની ખાસ જરૂર છે. આમાં અવરોધરૂપે સ્વાર્થવૃત્તિ, ફળ-લિપ્સા, અહંકાર, સાધના દ્વારા ઐહિક પદાર્થોની માંગણી અને ચંચળતા આદિને કાબૂમાં લેવાં જરૂરી છે. આના પ્રવર ઉપાય તરીકે નિયમિત જાપ અને તેના સહયોગી સ્વાધ્યાય, અંતર્મુખ નિરીક્ષણ, કઠોર ભાષાત્યાગ, પ્રશસ્ત વાતાવરણ આદિ સાધનોના અવલંબને સુદઢ પુરુષાર્થ કરવાની જરૂર છે. | વિચારોમાં સ્વાર્થ, દ્રવૃત્તિઓ અને અહંકારની માત્રા વધે ત્યારે જાપમાં રહેલી ભૂમિકાની નબળાઈ આપણને પરખાય નહીં, તેથી ઉદાત્તવૃત્તિઓના ઘડતરની ખાસ જરૂર છે, તે માટે મૈત્રી આદિ ૪ ભાવનાઓનું ચિંતન અને પરમેષ્ઠીઓની દિવ્યકરુણાના ચિંતનની ખાસ જરૂર છે. જે કે શ્રદ્ધાની માત્રા વિવેકપૂર્વક વધે તો આ જાતના ચિંતન વિના પણ જાપની ભૂમિકા ઘડાવા પામે છે. શાસ્ત્રોમાં એવાં દષ્ટાંત મળે છે કે ભયંકર લૂંટફાટ કરનારો હુંડિક નામનો ચોર પાપકર્મના ઉદયે રાજસત્તાની પકકડમાં ફસાઈ ગયો. પરિણામે તેને રાજાએ મરણાંત કષ્ટ વધુ થવાપૂર્વકની સજારૂપે તીક્ષ્ણ અણીદાર લોખંડના ખીલા – શૂળી પર ચઢાવવાની ક્રૂર સજા ફરમાવી. વધુમાં કોઈએ તેની સાથે વાત ન કરવી – કોઈએ એની પાસે જવું નહીં – જે જશે તેને ચોરના સાગરીત માની યોગ્ય સજા થશે. લોકોનાં ટોળાં શૂળી પર ચઢેલ તે ચોરની કદર્થનાને જોઈ રહ્યા છે, પેલો વેદનાનો માય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy