SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા ૨૦૭ કક્ષાઓ ક્રમભંગના દોષથી આપણી પ્રવૃત્તિમાં ધ્યેયરૂપ ન રહે તો સરવાળે ગૂંચવાડો ઊભો થાય. તેથી શ્રી નવકારમાં અનંત શકિતઓ છે. એ વ્યવહારનયની વાત અમલમાં મૂકતી વખતે આપણામાં સત્તાગત રહેલી સઘળી શકિતઓના પ્રાદુર્ભાવ માટે શ્રી નવકાર પુષ્ટ આલંબન છે આ વાતને પણ નિશ્ચયનયની ભૂમિકાને સ્પષ્ટ રીતે ધ્યાનમાં રાખી વ્યવહારનયની વાતને અમલમાં મૂકવા પ્રયત્ન કરવો હિતાવહ છે. શ્રી નવકાર આત્માની વિશિષ્ટ – અસાધારણ શકિતઓના વિકાસનું મુખ્ય કારણ છે એ વાત હૈયામાં જમાવ્યા વિના શ્રી નવકારની પ્રભાવકતાથી આકર્ષાઈને કરાતી આરાધના કયારેક યોગ્ય ગુરૂગમના અભાવે ભૌતિકવાદ તરફ આપણને ધકેલી દે છે. તેમજ ઈહલોક – પરલોકની આશંસાના દોષમાંથી છૂટી શકતા નથી. આ વાત ખૂબ ગંભીરપણે ધ્યાન પર લેવા જેવી છે. ૧૦પ જૈન આગમ મંદિર, પાલીતાણા ૨-૧૦-૮૪ વિ જણાવવાનું કે જીવનશક્તિનો પ્રવાહ ઇંદ્રિયો – બુદ્ધિ - મનના માધ્યમે સતત વહી રહ્યો છે પણ ઈદ્રિયો, બુદ્ધિ, મનનો સંબંધ રાગદ્વેષના સંસ્કારો સાથે ગાઢ હોઈ આપણી જીવનશકિતઓ આપણા વિકાસના પંથે વળવાના બદલે અવરોધના માર્ગે સંસ્કારોના માધ્યમથી વળી જાય છે. પરિણામે આપણે જ આપણા અંતરંગ આત્મવિકાસના અવરોધરૂપ બની જઈએ છીએ. આ વિકૃતિને ટાળવા માટે આપણે ઈંદ્રિય-બુદ્ધિ-મનથી પર થઈ વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષોની દોરવણી તળે ચાલવાની ખાસ જરૂર છે. વિશિષ્ટ જ્ઞાનીઓ પરિણામલક્ષી હોય છે તેઓ દૂરદર્શી પ્રશાના આધારે અંતરંગ શક્તિઓને ક્ષણજીવી સંસારી વાસનાઓના વર્તુળસમા સંસ્કારોની દિશામાંથી વિશિષ્ટ રીતે આજ્ઞામૂલક દિશામાં વાળવા પ્રયત્નશીલ હોય છે. આપણે માત્ર તેઓની આજ્ઞાને શિરોધાર્ય કરી નિખાલસ રીતે શરણાગતિ ભાવ કેળવવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy