SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૧૦૪ વિક જણાવવાનું કે શ્રી નવકારમાં અનંત શક્તિઓ છે, શ્રી નવકાર શકિતઓનો ભંડાર છે, આદિ વાકયો સ્થૂળ વ્યવહારનયની અપેક્ષાએ છે. તે બાળજીવોને પ્રાથમિક કક્ષામાં શ્રદ્ધા ઊપજાવી આરાધના માર્ગે આગળ વધવા માટે સાપેક્ષ રીતે ઉપયોગી છે. પણ હકીકતમાં શ્રી નવકારથી આપણા આત્મામાં સત્તાગતે રહેલ સઘળી વિશિષ્ટ શક્તિઓ પ્રાદુર્ભાવ પામે છે. એટલે શ્રી નવકારના જપથી આપણા આત્મગુણોને આવરી રહેલ મોહનીય આદિ કર્મોના આવરણ ક્ષીણ થાય છે. પરિણામે અંદરની શક્તિઓ પ્રગટ થાય છે. એટલે હકીકતમાં શ્રી નવકાર એ શુદ્ધ સાધન છે કર્મનિર્જરાનું. તેથી તે આપણી આત્મશક્તિઓના વિકાસ માટે પુષ્ટ આલંબન બને છે. આ વાત સૂક્ષ્મ પારમાર્થિક નિશ્ચય નયની ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. નહીં તો શ્રી નવકારમાં ઘણી શકિતઓ છે એટલે આપણે આરાધના કરીશું એટલે મળી જશે એમ કરી યાચકવૃત્તિ – માંગણખોરીની ખોટી ટેવ વિકસવા પામે. પણ નિશ્ચય નયની વાત મગજમાં રાખવાથી, આપણામાં છૂપી રહેલી અનંતશકિતઓનું ગુરુગમથી યથાર્થ ભાન થવાથી, તેના આવિર્ભાવ માટે યોગ્ય પુરુષાર્થ અને તે માટે પુષ્ટ આલંબનરૂપ શ્રી નવકાર મહામંત્રની ઉપયોગિતા પર સુદઢ વિશ્વાસ જામશે. વળી વ્યવહારનયની વાત કે “શ્રી નવકારમાં અનંત શક્તિઓ છે” એ વાતના મૂળમાં હકીકતે આપણી શક્તિઓને પ્રગટ કરવામાં નિમિત્તરૂપ શ્રી નવકાર હોઈ ઉપચાર વાકયરૂપે એમ કહી શકાય કે શ્રી નવકારમાં સઘળી શક્તિઓ છે. આ વાત આ રીતે સ્પષ્ટ ન સમજાઈ હોય તો ચમત્કાર અને મનોવાંચ્છા - કામનાઓ પૂરી કરવાની શકિતઓ શ્રી નવકારમાં છે તેના પર વધુ ઝોક થઈ જાય. સરવાળે આત્માની મૌલિક જ્ઞાન – દર્શન - સ્વરૂપ રમણતા, સ્વરૂપ, સ્થિરતા, અનંત અવ્યાબાધ સુખ, અરૂપીપણું, અનંતીવીર્ય, આદિ સાહજિક મૌલિક ગુણો તરફ આપણું લક્ષ્ય ન જાય – તે ગૌણ પણ થઈ જાય. તેથી નિશ્ચયનયને દષ્ટિગત રાખવાની ખાસ જરૂર છે. શરૂઆતમાં બાળજીવોને લક્ષ્યાભિમુખ કરવા માટે વ્યવહાર નયથી સર્વશક્તિઓ શ્રી નવકારમાં છે એ વાત પ્રાથમિક રીતે ધ્યાન પર લેવાય, પણ યોગ્ય જ્ઞાની ગુરુએ ધીમે ધીમે નિશ્ચયનયવાળી વાતને મગજમાં સ્થિર કરવાની જરૂર છે. વિવેકબુદ્ધિનો ઉપયોગ ન કરાય તો નયવાદની અટપટી ગૂંચોમાં લાભ કયારે ખોવાઈ જાય એ કહેવાય નહીં. ખરેખર તો – નિશ્ચયનય એ આંખ સામે રાખવાની ચીજ છે. વ્યવહારનય અમલમાં મૂકવાનો છે. નિશ્ચયનયથી વસ્તુનું પારમાર્થિક સ્વરૂપ સમજાઈ જાય તો તેને પામવા અવાંતર પુરુષાર્થની ક્રમિક કક્ષાઓ વ્યવસ્થિત રીતે પસાર કરી શકાય, નહીં તો પુરુષાર્થની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy