SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ૧૮૫ નીકળ્યા, ૪ કે ૬ માઈલ પર એક ફલેગ સ્ટેશને સૂર્યાસ્ત પૂર્વે બા કલાકે પહોંચ્યા. આગળનો મુકામ હજુ બીજા ૩-૪ માઈલ હતો, ત્યાં પહોંચાય તેમ ન હતું, એટલે પૂ. ગુરુદેવની આજ્ઞાથી માત્ર ઝાંપા પાસે ૧ છાપરાવાળી રૂમ હતી. ત્યાં મુકામ કર્યો. ઝાંપાવાળા ભાઈએ કહ્યું કે, મોટા લાંબા જીવ = સાપનો ઘણો ભય છે તેથી રાત્રે હું અહીં નથી રહેતો. રાત્રે છેલ્લી ગાડી ની અહીં ઊભી રહે છે તે પતાવી હું અહીંથી રાા માઈલ દૂર મારા ગામે જતો રહું છું, સવારે ૬ની ગાડી વખતે આવી જાઉં છું. તમારે રહેવું હોય તો ભલે! નહી તો મારે ગામે ચાલો. પૂ. ગુરુદેવ સામે મેં જોયું. પૂ. ગુરુદેવે કહ્યું કે, ભાઈ! કયાં રાઈ માઈલ જવું અને પાછા આવવું! ધર્મપસાયે સહુ સારું થશે. મુકામ કર્યો, પ્રતિક્રમણ કર્યું. આવા પૂરું થયું. ૯ વાગ્યાની ગાડી આવી ઊભી રહી ૧ મિનિટ, રવાના થઈ. ઝાંપાવાળો કહે કે મહારાજ સાવચેત રહેજે, લાંબા જીવ હેરાન ન કરે. ગુરુદેવશ્રીએ મને કહ્યું કે, અભય! પોરસી ભણાવી લઈએ. એટલે પછી પોરસી ભણાવી લા લગભગ પૂ. ગુરુદેવથી તો સંથારી ગયા. ઉનાળો છતાં પૂ. ગુરુદેવે ગીતાર્થપણાની દષ્ટિએ કંઈક થાય તો ઉપર થઈને પસાર થઈ જાય એમ કરી કાંબલ ઓઢી સંથારી ગયા. હું સંથારામાં બેઠો, પણ લાંબા જીવના વિચારોથી ગભરામણ થવા માંડી. શ્રી નવકારનો જાપ કરવા માંડ્યો, લગભગ વગા - ગાા કલાક પછી હું જરા ગભરામણ સાથે પૂ. ગુરુદેવની ધીરતા અને શ્રી નવકાર મહામંત્રના જાપની ચિંતા આદિમાં પરોવાયેલ, ત્યાં હું ઉત્તર સામું મોં કરી બેઠેલ, મારી જમણે પશ્ચિમે થોડે દૂર ઝાંપો હતો. અમે ઊતરેલ તે છાપરીની પાછળ ૧૦-૧૨ ફૂટ દૂર ખૂબ ઝાડી હતી. તે બાજુથી ખખડાટ આવ્યો અને હું જરા ચમકયો, તે બાજુએથી ખખડાટ આ બાજુ નજીક આવતો સાંભળી હું સાવધ થયો. મનમાં હું નવકાર ગણતો હતો પણ આંખો જમણી બાજુ ખખડાટ તરફ હતી. થોડી વારે મારી સામે, લગભગ ૬ થી ૭ ફૂટનો, ૧ ઈંચ જાડો, કાબર ચીતરા રંગનો (ચાંદની રાતના પ્રકાશથી) ચમકતો છાપરીને જમીન સરખા ઓટલા પાસે આવતો દેખાયો. મનમાં તડફડાટ જરા વધ્યો પણ નાગપુરના ચોમાસામાં અને ત્યાર પછી તાજેતરમાં શિખરજી બાજુના વિહારમાં નાગપુરના મોહનભાઈના અટલ શ્રદ્ધા-વિશ્વાસભર્યા શ્રી નવકારના પત્રોથી મારામાં પ્રગટેલ નવી શ્રદ્ધાના તેજસ્વી પ્રકાશના સહારે ધીરતાપૂર્વક નવકાર કમલબંધથી ગણવા લાગ્યો. ત્રણ નવકાર થતાં સાપ ઓટલાની જમીન સરખી કિનારીએ અટકયો, લાંબી કાયા સરવર સરવર થતી પણ આગળથી ૧૫ ફૂટ ઊંચી ફણા કરી જીભના લપકારા મારતો રહ્યો. મને અચાનક મગજમાં લાઈટ થઈ કે શ્રી નવકાર સાથે તેના તેજસ્વી શકિત તત્ત્વોથી બનેલ ચારિમંગલ સૂત્ર ૧૮ અક્ષરનું ખૂબ પ્રભાવશાળી છે, તેના છ વાર જાપથી ગમે તેવા વિષધર ઝેરી જીવો હટી જાય છે. મેં પદ્ધતિસર ઉપાંશુ જાપની પદ્ધતિએ ચારિ મંગલ શરૂ કર્યું. ૭ વાર ગણ્યું ત્યાં સુધી તે સાપ ત્યાં ને ત્યાં રહ્યો, પણ ધીમે ધીમે તેનો સળવળાટ અસ્થિરતા અને ફણાનું ડોલન તથા જીભના લપકારા ઘટવા માંડ્યા અને જાણે કોઈએ ખીલો માર્યો હોય તેમ સ્થિર થઈ ગયો. ૭ વાર ચત્તારિ મંગલ પછી ત્રણ કમલબંધથી નવકાર ગણ્યા કે તુરત તે સાપ નીચો થઈ સડસડાટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy