SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા કે આજની ઘડી, કાલનો દહાડો – આજ સુધી જિંદગીમાં તે માંદગી નથી આવી. આ રીતે શ્રી નવકાર શરૂઆતમાં આપણી અંતરની શક્તિઓને આપણી મરજી પ્રમાણેના રસ્તે જવા દઈ આપણને ખાતરી કરાવે કે – તેરો ઠાઠ હઠાઠ હૈ, મેં ઠાઠું સો ઔર !” આ ૧૯૯૯ થી ૨૦૫ના ફાગણ સુધી આવું ૭ વર્ષ ચાલ્યું પણ જ્યારે શ્રી નવકારે મને સારી રીતે ઉપાયો કરવા દઈ છેવટે અનુભવથી તે બધા ઉપાયો અધૂરા દર્શાવી પૂ. પંન્યાસજી મના વરદમુખે શ્રી નવકારનું સૂચન કરાવી શ્રી નવકાર મહામંત્રે મારા જીવનને આરાધનાની દિશામાં એવું વાળ્યું કે| મારો શરીરનો રોગ ગયો, મનનો રોગ ગયો, મનની ગ્રંથિઓ ખૂલી ઘણાં દિવ્ય તત્ત્વોનો અનુભવ થયો. આ બધો પ્રતાપ પરમ કરુણાળુ પરમગુરુનો છે. જેમણે હકીકતે મારી નાડ હાથમાં રાખી અમુક સમય મહેનત કરવા દઈ પરિણામ ન આવ્યું એટલે અંતરથી ખાતરી કરાવી કે તારા ઉપાયો અધૂરા છે. હવે જો ! મારી નિશ્રામાં અંતરને જાપમાં વાળવાથી કેવું અજબ પરિણામ આવે છે ! તે અનુભવથી સમજાયું. તમો આ રીતે જીવનને પરમોપકારી દિવ્ય શકિતનિધાન શ્રી નવકાર મહામંત્રને સમર્પિત કરી અંતરને શરણાગતિ ભાવથી પવિત્ર બનાવી. બગડેલી – ખોટકાયેલી મોટર દોરડાથી સારી ગાડી સાથે જોડાઈને દોડતી થઈ જાય તેમ આરાધનાના પંથે તમારી આરાધનાની ગાડી સક્રિય થાય અને ખોટકાયેલું મશીન ફરીથી ચાલુ થઈ જાય અને તમો જીવનશુદ્ધિના પંથે આગળ ધપો એ અંતરની શુભેચ્છા. આ માટે જાપ સાથે આ પત્રમાં જણાવેલ સાધનોને તમે અમલમાં મૂકો તે ખાસ ઈચ્છવાજોગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy