SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા તેઓની આરાધના એટલે અંતરની આપણી જીવનશક્તિઓને વિકાસના પંથે વાળવાની મથામણ. આપણે સંસ્કારના દબાણ કે ખેંચાણથી વાસનાની અધોમુખી દિશામાં જીવનશક્તિઓના વહેણની સાહજિક ગતિ રોકવાના લક્ષ્ય સાથે વિશિષ્ટ રીતે પ્રયત્નની દિશામાં વળીએ તો આપણી આરાધના શકિતશાળી થાય. આપણે દ્રવ્યથી જાપ – પૂજા આદિ ધર્મની કરણી કરીએ, પણ તેની સાથે આપણી અંતરની વૃત્તિઓ કઈ બાજુ જાય છે? તેના વ્યવસ્થિત ઉપયોગ સાથે જે તેના નિગ્રહનું લક્ષ્ય કેળવીએ તો આપણામાં વિશિષ્ટ રીતે આરાધનાનું બળ કેળવાય. પરિણામે આરાધનાના પરિણામે આપણામાં વૃત્તિઓનું શમન, કષાયોની મંદતા અને અંતરના ખળભળાટનો ઘટાડો જેવાં નકકર પરિણામો જોવા મળે. તમે પુણ્યવાનો જાપમાં પ્રવર્તે છો તે વખતે આટલો સંકલ્પ જરૂર કરશો કે અમારી જીવનશક્તિઓ વિકારી વાસનાઓના ફંદામાં ન ફસાય. અમારી સ્વાર્થવૃત્તિ વિલય પામે અને પરમાર્થી જીવન બને. આ જાતના સંકલ્પથી અંતરની શકિતઓનો યથાયોગ્ય વિકાસ થવા પામશે. વળી આરાધના સાથે આહાર-વિહારની સાત્વિકતાની જાળવણી માટે બેદરકાર ન રહેશો. આ જાળવણીના પરિણામે જ અંતરમાં આરાધનાનો ઉલ્લાસ, Mood વ્યવસ્થિત રીતે કેળવાશે - Mood એમને એમ ન આવી જાય, તેના કારણ તરીકે યોગ્ય સાત્વિક આહાર અને પવિત્ર વાતાવરણની ખાસ જરૂર છે. વિકારી વાસનાઓ - લકઝરી જીવનચર્યા અને સંસારી બાહ્ય પ્રવૃત્તિઓમાં શોખ અને મોજમજાના યેયથી ઓતપ્રોત થઈ રહેવું એ ખરેખર આપણા જીવનને તામસિક દિશામાં લઈ જાય છે. આ બધાનું કારણ આપણામાં શ્રી વીતરાગ પ્રભુની ભકિતનો વિકાસ ઓછો હોય એ પણ હોઈ શકે. લે દેવા ચોખા! કર મારો છૂટકો!” આવી ઉતાવળી કે વેઠ ઉતારવાની જેમ ઝટપટ દેરાસરમાં ગયા, ચંદનની વાટકી હાથમાં લીધી અને ઝટ પટ પૂજા પતાવીને સંતોષ માનીએ કે મેં પૂજા કરી! તો અહીં આરાધક પુણ્યાત્માએ સમજવાની જરૂર છે કે, જિનપૂજા એ ભગવાનની પૂજા નથી પણ અનાદિના સંસારમાં રખડતા આપણા આત્માને સન્માર્ગ બતાવનાર તેમજ કર્મોના ફંદામાંથી છૂટવાનો માર્ગ દર્શાવનાર આ તીર્થંકર પરમાત્મા છે. તેથી તેમના યથાર્થ પરોપકાર – સન્માર્ગ દર્શન આદિ ગુણોને નજર સામે રાખી આપણા આત્મામાં તેઓ પ્રતિ આદર – બહુમાન વ્યવસ્થિતપણે કેળવાય તો આપણા આત્મા પર વળગેલાં કર્મોના પરદા હો, તો આપણે પણ પરમાત્મ-સ્વરૂપ બની જઈએ. એટલે જિન = તીર્થંકર પ્રભુની પૂજા – પરંપરાએ નિજ = આપણા શુદ્ધાત્મ સ્વરૂપને ઓળખવા માટેની પૂજા = વ્યવસ્થિત પ્રવૃત્તિ છે. આ વાત નજર સામે રાખવી. સરવાળે આપણામાં પ્રભુ પ્રતિ ભકિત રાગ અને આપણી અંતરની શુદ્ધિ માટેનો ખરો પુરુષાર્થ પ્રકટશે. જાપ સાથે આ જાતના ભાવની કેળવણી સાથે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી છેવટે જળ-ચંદન-પુષ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy