SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા ભોજન ત્યાગ, હોટલ, સિનેમા, T.V.નો પરિહાર કરવા સાથે સામાયિક, પ્રતિક્રમણ, સવાંચન અને સારા વાતાવરણ દ્વારા આરાધનાને સાધનામાં કન્વર્ટ કરવાની તક આવી પહોંચી છે. તમારામાં જ પ્રગાઢ શ્રદ્ધા, ભકિત અને સમજણની સુંદર ત્રિવેણી છે જેના પરિણામે સાપેક્ષ રીતે તમારી ચઢતી જુવાનીમાં વિકારી વાસનાઓના વાતાવરણથી તમે સમજીને પોતાની જાતને અળગી રાખી શકો છો. શ્રી નવકારનાTV. પર તમારી માનસિક, દૈહિક, કૌટુંબિક, ભાઈબંધોની અને બહારના વાતાવરણની ભિન્ન ભિન્ન અસરો જણાયા વિના નથી રહેતી. શ્રી નવકારના સંકેત વિના તમોને ટકોરવા માટે હું કંઈ લખી શકું નહીં. તમારી પાત્રતામાં વધારો થઈ રહ્યો છે તે બદલ મને ખૂબ ગૌરવ છે. તમારી આરાધના વિશિષ્ટ પગથાર પર આવી ઊભી છે. હવે માત્ર હડસેલો મારી ગાડીને વેગવંતી બનાવવાની તાતી જરૂર છે. કે તમારી પાસે દુન્યવી, સાંસારિક, કૌટુંબિક, માનસિક અવરોધો પણ આડા ઊભા છે. એ પણ જાણ બહાર નથી છતાં શ્રી નવકાર પ્રતિ તમારી પ્રગાઢ શ્રદ્ધા અનેરો દિવ્ય વિશ્વાસ અને નિમિત્તરૂપ તમારા અંતરનો ભક્તિભર્યો જે લાગણી સભર વિશ્વાસ છે તે બધાના આધારે હવે આરાધનાને સાધનામાં કન્વર્ટ કરવાની સુંદર સોનેરી તક તમે મેળવી શકો છો. તમે આ તકને ઝડપી લો એવી મારી અંતરની ઈચ્છા છે. ૭૨ શંખેશ્વર ૧૭-૧૨-૮૩ વિજીવનશકિતઓના વિકાસની દિશામાં પગલાં માંડવાં એ હકીકતમાં આપણું લક્ષ્ય જ્યારે બને, ત્યારે સંસ્કારોની ગુલામી હઠાવવા ભગીરથ પ્રયત્ન કરવાનું સૂઝે. શ્રી નવકાર મહામંત્ર એટલે આપણી જીવનશકિતઓને વિકાસની દિશામાં ફેરવવાનું મુખ્ય સાધન, કેમ કે શ્રી નમસ્કાર મહામંત્રમાં તેવી વિશિષ્ટ પરમોચ્ચ ગુણ સંપદાને નમસ્કાર છે કે જેઓ પોતાની જીવનશક્તિઓને વ્યવસ્થિત રીતે વિકાસના પંથે વાળીને સર્વોચ્ચ વિકાસની કક્ષાએ પહોંચેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy