SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા હચમચાવી શકાય છે. શ્રી નવકારના દરેક અક્ષરને દૃષ્ટિથી કલ્પનાની પાટી પર લખી શ્વેત સ્ફટિકરૂપે ચિંતવી તેની સામે દષ્ટિ સ્થિર રાખી જાપ કરવામાં આવે તો અંતરમાંથી દિવ્ય શકિતનો સ્રોત ધોધબંધ આપણા ઊંડાણમાંથી આવતા અનુભવી શકાય. પરિણામે સુસંસ્કારોનું બળ ખૂબ વિકસે છે. દષ્ટિમાં કે કલ્પનામાં સ્થિરતાપૂર્વક આ જાપ કરવાનું સૌભાગ્ય દેવગુરુકૃપાએ મેળવવાની જરૂર છે. એ માટે મંગળજ્યોતના અગર શ્રી નવકારના મોટા અક્ષરના કોઈ ચિત્ર – જેના અક્ષરો સફેદ હોય તેના પર ધ્યાન ૨ મિનિટથી ૭ મિનિટ કેન્દ્રિત કરવાની જરૂર છે. ૪ મિનિટ ધ્યાન કેન્દ્રિત થયેથી અક્ષરોમાંથી દિવ્યશકિતનો પુંજ પ્રગટતો લાગશે. અક્ષરોમાંથી એટમની જેમ તેજસ્વી કણો ચોપાસ વેરાતા હોય તેવું લાગશે. પરિણામે વિચારોમાં શાંતિ અપૂર્વ રીતે છવાઈ જશે. પ્રયોગાત્મક રીતે આ વાતને અમલમાં મૂકવી જરૂરી છે. શ્રાવું ૨૬-૧૧-૮૩ વિ, આરાધનાના પંથે ચાલતાં આરાધનાને ઉપયોગી તત્ત્વોને ઓળખી જીવનમાં અપનાવવાં જરૂરી છે. તે તત્ત્વો જ્ઞાની નિશ્રા, ગુરુકૃપા, પવિત્ર વાતાવરણ અને આહારશુદ્ધિ આ ૪ બાબતોની મજબૂતાઈ ઉપર શ્રી નવકારની આરાધના આંતરિક રાગાદિ વિકારોને શમાવનારી થાય છે. માનસિક ધીરતા – સ્વસ્થતા માટે પણ આ ૪ સાધનો ખાસ જરૂરી છે, જેમાં પાછલા ક્રમથી આહારશુદ્ધિ કદાચ ન જળવાય તો પવિત્ર વાતાવરણ આદિ ત્રણથી પણ આરાધનાનો ક્રમ વ્યવસ્થિત જળવાય છે. કદાચ આહારશુદ્ધિ, વાતાવરણની પવિત્રતા (ભાઈબંધોની સરભરા આદિ) જાળવવામાં ત્રુટિ આવે તો ગુરુકૃપા અને જ્ઞાની નિશ્રા આ બેથી આરાધનામાં વ્યવસ્થિત રીતે આત્માને વિકાસની કક્ષાએ પહોંચાડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy