SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા ૬૩૩ ગ્રંથ SLE વાસણા જૈન ઉપાશ્રય ૨૩-૧૧-૮૩ જીવનમાં સંસ્કારો તે સાચી મૂડી છે, તેના આધારે ઉજજ્વળ ભાવીનું નિર્માણ કરી શકાય. આજ સુધી આપણે વાસના અને વિકારી તત્ત્વોની પ્રેરણા બળે મન-વચન-કાયાને પ્રવર્તાવી અશુભ સંસ્કારોનું બળ ઘણું જ જથ્થાબંધ ભેગું કર્યું છે. તેથી જ આપણો અંતરનો ઝકાવ શુદ્ધિ કે સદાચાર તરફ બહુ ઓછો રહે છે. હજુ વિચારો આપણા શુદ્ધિ - સદાચાર તરફ ઝૂકે, જોકે તે પણ પુણ્યાઈની નિશાની ગણાય કે આપણને શુદ્ધિ સદાચાર ગમે છે. પણ તે અંગેના નિષ્ઠાભર્યા પ્રયત્ન વિના એકલા ગમવા માત્રથી જીવનનો વિકાસ સુશકય નથી. તેથી તમો જીવનને સુસંસ્કારી બનાવવા જરૂર સક્રિય બનશો, તે વિના જીવનનો વિકાસ શકય નથી. સુસંસ્કારોને જાળવવા આહાર, વાતાવરણ, દષ્ટિ અને વિચારોને સુસંયમિત બનાવવાની ખાસ જરૂર છે. આહારમાં તીખું, ખાટું, મેંદાનો ખોરાક, મસાલા, બજારુ-પીણાં, બરફ, આઈસ્ક્રીમ અને ફ્રીજમાં મૂકેલ ચીજો આ બધાનો ઉપયોગ સદંતર બંધ રહે તેમ કરવાની જરૂર છે. વાતાવરણમાં નોકરી ધંધા સિવાય ઓળખાણનું મંડળ સદાચારના ઝકાવવાળું મળવું મુશ્કેલ, પણ દુરાચાર, ખોટાં વર્તનોમાં પ્રેરનાર હોય તેવા ભાઈબંધો - દોસ્તોનો સંપર્ક અને T.V, હોટલ, જુગારખાનું, કલબ, મેચ, સિનેમાઘરો વગેરે સ્થળોની મુલાકાત ન લેવી. દષ્ટિ માટે = સદા માટે નીચી નજર કે લક્ષ્યગામી નજર રાખવી, અત્યંત સુંદર વિજાતીયને ધારીને કદી ન જેવી, વિચારોમાં પડેલ તેના પ્રતિબિંબને ભૂંસવા મથવું. | વિચારોમાં ઉપરની ત્રણ બાબતોમાં સંયમ જાળવવાથી સાહજિક રીતે શુદ્ધિનું તત્વ પ્રગટે છે. વિચારોમાં નૈતિક – આધ્યાત્મિક વિચારોને અગ્રતા અપાય છે. તેવું વાતાવરણ – વાંચન – સાહિત્ય આદિની પકકડ આવે છે. આ રીતે સુસંસ્કારોની મૂડી જાળવી રાખવા પ્રયત્ન કરવો જરૂરી છે. શ્રી નવકારના શાશ્વત ૧૮ વર્ણોના નિધિને સુરક્ષિત રાખી શકે છે. જે મનની ભૂમિકામાં એ રીતે શ્રી નવકારને પધરાવાય તો. શ્રી નવકારના અક્ષરોનું વિશુદ્ધ ઉચ્ચારણ પદ્ધતિપૂર્વક કરાય તો સુસંસ્કારોને ડોળી નાંખનારા કુસંસ્કારો કે જે મોહના ઉદયથી ઊપજ આત્માની મૌલિક સંપત્તિ પર કબજો જમાવે છે તેને મૂળમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy