SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રી નમસ્કાર મહામંત્ર તસ્વચંદ્રિકા સંપૂર્ણપણે જ્ઞાની ગુરુનિશ્રામાં શાસ્ત્રમર્યાદાપૂર્વક વાળવી. ઉપાધ્યાયોની આજ્ઞા શી છે? અનાદિકાલીન રાગ-દ્વેષના કચરાના ઉભરાટને શમાવવા શ્રી વીતરાગ પ્રભુના ઉપદેશોને સર્વજ્ઞતાના પાયા પર સ્થિર માની ગણધરભગવંતોએ ગૂંથેલ તે ઉપદેશના આગમોનો પંચવિધ સ્વાધ્યાયમાં લીન બની મોહના સંસ્કારોને ભેદવા અજબ પુરુષાર્થ કરવો. સાધુ ભગવંતોની આજ્ઞા શી છે? અનાદિકાલીન ક્રિયા મળને હટાવવા અંતરની પરિણામ શુદ્ધિ સાથે શ્રી વીતરાગ પ્રભુની સર્વવિરતિની આજ્ઞાને અણીશુદ્ધ રીતે જીવનમાં ઉતારી જીવનને સંયમી બનાવવું. આ જાતની પાંચે આજ્ઞાઓને જીવનમાં વિશિષ્ટ પુરુષાર્થ દ્વારા આત્મસાત્ કરવાનો ભવ્ય પુરુષાર્થ તે ભાવ નમસ્કાર. તે ભૂમિકાએ અંતરને સ્થિરતાપૂર્વક ટકાવવા પ્રયત્ન કરવો તેનું નામ આરાધના. આ બધું વિરાટ લાગે, પણ આ બધાની માસ્ટર કી જપયોગની વિધિપૂર્વક આરાધના, આહાર – વિહારના સંયમ સાથે નિયત સ્થાન, નિયત સમયે – નિયત સંખ્યાથી જાપ કરવાની પ્રક્રિયાથી ઉપરની બધી આજ્ઞાઓ જીવનમાં સક્રિય થવા માંડે, આ બધું જ્ઞાની ગુરુના માર્ગદર્શન નીચે નિયમિત થવું જોઈએ. આ માટે સંસારના મૂળ પાયા સમા સ્વચ્છંદવાદ, સુખશીલીયું જીવન, મોહક વાતાવરણ આદિથી પરહેજ કરવાની ખાસ જરૂર છે. દવાની અસર પરહેજીના પાલન સાથે ખૂબ સંકળાયેલી છે. કયારેક તો એવું પણ લાગે કે યોગ્ય રીતે પથ્ય આહાર-વિહારની ચર્યાનું વ્યવસ્થિત પાલન થાય તો દવાની ખાસ જરૂર પડે નહીં. અને જે કારણોથી રોગ થયો હોય તે કારણો પથ્ય ચર્યાથી હટી જાય એટલે આપોઆપ નીરોગી અવસ્થા આવી જાય. તેથી શ્રી નવકારના જાપમાં પરહેજીરૂપે સ્વચ્છંદતા, વિલાસિતા, મોહક વાતાવરણ અભક્ષ્ય આહાર આદિના ત્યાગ-ઘટાડાથી શ્રી નવકારની અપૂર્વ વિરાટ શક્તિ આપણા જીવનમાં ધીમે પણ નકકર પગલે પ્રકટવા માંડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy