SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમરકાર મહામંત્ર તત્તચંદ્રિકા ૧૦૫ ૧૦૫ U પાલનપુર ૬-૧૦-૮૩ વિસંસ્કારોની ગૂંચ ઉકેલ્યા વિના આરાધના સુશકય નથી. સંસ્કારોની ગૂંથામણ, પ્રમાદ, શિથિલતા, વિધિનો અનાદર અને ભાવોલ્લાસના ઘટાડાને ઊપજાવે છે. માટે વિવેકી પુણ્યવાને સંસ્કારોની ગૂંચને ઉકેલવાની મથામણના બદલે “ચાદૃરસ્તાદૃશ વાટું શપ તે પ્રપત્રોડક્તિ” એટલે જેવો તેવો પણ હું તારા શરણે આવ્યો છું.” એવા શરણાગતિભાવને કેળવવાથી ગૂંચનો ઉકળાટ શમી જાય છે. નાના બાળકને વાત્સલ્યભરી માતાની ગોદ બધી રીતે નિર્ભય બનાવે છે. તેમ અંતરંગ ભાવથી નિખાલસ શરણાગતિ આપણને બધી બાજુથી નિર્ભયતાના વાતાવરણમાં લઈ જાય છે. આવી શરણાગતિ નિષ્કામ કર્તવ્યનિષ્ઠા, નિષ્કામ સમર્પણભાવના બળે કેળવી શકાય. અંતરમાં લક્ષ્યની જાગૃતિ કમજોર હોય કે વાસના-કામના પ્રબળ હોય તો સાચા સમર્પણનું બળ ઊપજતું નથી. પરિણામે સાચી શરણાગતિ થઈ શકતી નથી. માટે આરાધકે લક્ષ્યની જાગૃતિ કેળવી કર્તવ્યનિષ્ઠ બનવાન અને નિષ્કામ સમર્પણભાવ કેળવવાનો પ્રયત્ન કરવો ઘટે. શ્રી નવકારમાં પાંચ વખત છે તે શું સૂચવે છે. કે ન = નહીં મો = મારું કંઈ નથી, કશું નથી, કોઈ નથી એ ભાવ સાથે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય સાધુ ભગવંતના શરણે વૃત્તિઓને લીન કરવા રૂપનો ભાવ નમસ્કાર મેળવવાનો છે. તેનાથી વૃત્તિલય, મનોબળ અને સર્વ દુ:ખોનો ક્ષય મેળવી શકાય છે. આ જાતના ભાવ નમસ્કાર માટે સતત માનસિક જાગૃતિ અને અંતરંગ ઉપયોગની ધારણા કેળવવી જરૂરી છે કે મારે મારા અસ્તિત્વને વીસરી જઈ પરમેષ્ઠીઓના આલંબને જીવનશકિતઓને પ્રવર્તાવવાની છે. એટલે કે પંચ પરમેષ્ઠીઓની આજ્ઞાને જીવનમાં આત્મસાત્ કરવાની છે. અર્થાતુ અરિહંતોની આજ્ઞા શી છે? આત્મા અને તેના વિકાસને અટકાવનાર બંનેની ઓળખાણ મેળવી સક્રિય બનવું. સિદ્ધોની આજ્ઞા શી છે! પૂરા પ્રયત્ન અને ભગીરથ પુરુષાર્થથી કર્મોનાં બંધનોને હટાવવા કમ્મર કસીને તૈયાર થવું. આચાર્યોની આજ્ઞા શી છે! જીવનને પંચાચારમય બનાવી સદાચારના પવિત્ર પંથે જીવનશકિતઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy