SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ פד ૪૪ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા પાલનપુર ૧૩-૯-૮૩ સંસ્કારોની મથામણના સંઘર્ષમાં આપણી જીવનશકિતનો મોટો ભાગ વપરાય છે, પણ શ્રી નવકારના આરાધકને સંસ્કારો ઉદયાગત થવા છતાં તેમાં પ્રબળ વિપાકની અસર મથામણ કે સંઘર્ષરૂપે અનુભવાય નહીં. F1 કેમ કે સંસ્કારને ક્ષીણ કરનાર શ્રી નમસ્કારનો ભાવ આપણા અંતરને એવું સક્ષમ બનાવે છે જેમાંથી સંસ્કારો ઉદયાગત થઈ સામાન્ય - નોર્મલરૂપે વેદાઈને ક્ષીણ થઈ જાય, પણ મથામણ સંઘર્ષરૂપે – આરાધકને ન થાય. કેમ કે સંસ્કારોની આધારશિલા મોહનીય હોય છે. તે મોહનીય પંચપરમેષ્ઠીઓના ગુણાનુરાગપૂર્વકના નમસ્કારના બળે લગભગ ક્ષીણ થવા પામે છે. એટલે ભૂમિકા વિના સંસ્કારો શી રીતે પ્રબળતા મેળવે ? Jain Education International - આ વાત મહાપુરુષોના જીવનમાં પરિષહ ઉપસર્ગાદિ મારણાંતિક કષ્ટના પ્રસંગે શ્રી નવકારની વિશિષ્ટ આરાધના વડે ભાવિત થયેલ અંતરના કારણે ઉદયાગત કર્મો સંસ્કારોની પ્રબળતા ન મેળવવાથી નોર્મલરૂપે = પ્રતિસંવેદન ઉપાયા સિવાય ભોગવાઈને ક્ષીણ થઈ જાય છે. આ રીતના સંસ્કારોને ક્ષીણ – ભૂમિકાવાળા બનાવવા આપણે સતત – નિયમિત – વ્યવસ્થિત જાપની જરૂર છે. સતત – નિયમિત - વ્યવસ્થિત જાપ આપણા અંતરને સંસ્કારોની ભૂમિકાની પ્રબળતા ક્ષીણ કરી નોર્મલ બનાવી મૂકે છે. માટે નિયત સમયે - નિયત સ્થાને - નિયત સંખ્યાથી જાપ એ ખરેખર અંતરને નિર્મળ બનાવવા માટે, સંસ્કાર - ક્ષીણતા માટે જરૂરી છે. વિચારોની ચંચલતા સંસ્કારોની પ્રબળતા સૂચવે છે પણ નિયમિત વ્યવસ્થિત જાપથી સંસ્કારો ક્ષીણ થઈ જાય છે. માટે જાપની નિયમિતતા જાળવવા પ્રયત્ન કરવો, વળી જાપ વખતે પણ શ્રી નવકારના અક્ષરોને સ્ફટિક વર્ણના કલ્પી નજર સામે રાખવાનો અભ્યાસ કરવાની ખાસ જરૂર છે. For Private & Personal Use Only મોટા સફેદ અક્ષરોના ચાર્ટ-પટને સામે રાખી એકેક અક્ષર, લીટી, પદસમૂહ અને પછી આખો નવકાર ટૂંકા અભ્યાસથી પણ દૃષ્ટિગોચર થાય છે. આ અભ્યાસ વધારવાથી મનની ચંચળતા પણ શમે છે. વિચારોની અસ્થિરતા ટળે છે. વિચારોમાં ચંચળતા મોહના સંસ્કારોની પ્રબળતાથી થાય છે પણ શ્રી નવકારના વ્યવસ્થિત સતત નિયમિત (છ મહિના) જાપથી મોહના સંસ્કારોની પ્રબળતા શમી જાય છે. www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy