SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા અનુભવસિદ્ધ આ હકીકત છે. આ અંગેના મારા જીવની અદ્ભુત ઘટના છે, વિ. સં ૨૦૧૧ના માહ મહિને વિહાર કાળમાં એક વખતે સાંજે ૮ માઈલ વિહાર કરી છત્તીસગઢ બંગાળ વચ્ચેના એક ગામડામાં બીજે જગ્યા ન મળવાથી એક મુસલમાન ઘાંચીને ત્યાં રાત્રિવાસ કર્યો. મારા તે વખતના નિયમ પ્રમાણે મુસ્લિમ કે એવા ઘરમાં રહેવું પડે તો ઊતરતી વખતે માનસિક ૭ નવકાર, ૩ ઉવસગહરં, આત્મરક્ષા ૩ વાર અને યસ્યા:ક્ષેત્રં ગાથા ૨૧ વાર ગણતો. તે ગણતી વખતે બે તુચ્છ દૃશ્યો દેખાયેલ, એટલે વધુ સાવચેત થયો. રાત્રે સૂતી વખતે શ્રી નવકાર આત્મરક્ષા વારાફરતી ૭ વાર કરી સૂઈ ગયો. ૧।। વાગે જાપના સમયે ઊઠતાં પૂર્વે પ્રાય: ના કલાક પૂર્વે સ્વપ્ન જોયું. ૯૫ એક મોટો અખાડો તેમાં ૧ મલ્લ મને કુસ્તી માટે બોલાવે. હું મનમાં નવકાર ગણતો અખાડામાં ઊતર્યો, પેલા મલ્લને પછાડી તેની છાતી પર ચઢી શ્રી નવકાર જોરથી બોલ્યો, પેલો મલ્લ ન જાણે કેમ માયાવી રૂપ કરી મારા ઘૂંટણ તળેથી છટકી અખાડાના એક કિનારે દૈત્યનું રૂપ કરી મને બિવડાવવા લાગ્યો. તે પુષ્ટ મંત્ર જો અંત્ ‹િ àવ...... કહી મારી નજીક આવે ને પાછો ન જાણે કેમ પાછો ભાગે, મને કહે કે તે પુષ્ટ મંત્ર જો વંદ્ ગમી મન્ના પાડું.... મને લાગ્યું કે શ્રી નવકારના પ્રભાવથી નજીક નથી આવી શકતો એટલે હું જોરથી ઊંઘમાં નવકારનો ઘોષ કરવા માંડ્યો. જેમ જેમ હું જોરથી બોલું તેમ તેમ પેલો થર થર ધ્રૂજે, છેવટે તેનું સ્વરૂપ સૂક્ષ્મ થતું ગયું. છેલ્લે મારા પગમાં પડ્યો 'बस करो महाराज.. ! मेरे शरीर में आग लग रही हैं. अब मै आपका कुछ नहीं बिगाडुंगा... मैं तुम्हारे मन में छूपे विचारोका रुप हुं, बस करो महाराज ! आप इस विचारो से त्रास नहीं पायेंगे, आपका मोह ફૂટ રહા હૈ, અવ ગુણ મંત્ર નાવ જો બંધ ો. ફરી મારા પગમાં પડ્યો, અચ્છા તો મેં ના રા હૂં.. કહી આકાશમાં મચ્છરની માફક ઊડ્યો અને મારી આંખ ઉઘડી. મેં પૂ. ગુરુદેવને જગાડી બધી વાત કરી. પૂ ગુરુદેવે મારા માથે હાથ મૂકી વાસક્ષેપ નાંખી આશીર્વાદ દીધો કે ખરેખર તું વિકારોથી રહિત થાય! તારો મોહ ઘટવાની તૈયારીમાં લાગે છે. આ દૈત્ય અને પહેલવાન તે બંને મોહના પ્રતીક લાગે છે. તારું કલ્યાણ થાય, કહી મારા માથે ફરી હાથ ફેરવ્યો. પછી મેં મારો જાપ શરૂ કર્યો, ૪ સુધી કરી પ્રતિક્રમણ કરી સવારે વિહાર કર્યો. આ રીતે મોહના સંસ્કારોની પ્રબળતા નિયમિત જાપથી જરૂર ઘટે છે. તમો પણ નિયમિત – વ્યવસ્થિત જાપથી મોહના સંસ્કારોની પકકડમાંથી છૂટો એ મંગલ કામના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy