SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. વનમાં સિંહ ઘણા હોય છે, પણ કેસરી સિંહ તો એક જ હોય છે. નીડરતા, વીરતા અને ઉદારતામાં તમારો પુત્ર એક ને અજોડ હશે. જગતના લક્ષ્મીવંતો એના ચરણકિંકર બનશે, એમ લક્ષ્મીદેવીનું સ્વપ્ન સૂચવે છે. સંસારમાં સહુનાં હૈયાંનો એ હાર હશે. એની કાંતિ શીતળ અને વદન ચંદ્ર જેવું હશે. ૭. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર અને જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવનાર સૂરજ જેવો એ તેજસ્વી હશે. તમારા કુળમાં એ ધજાસમાન બનશે. કળશનું સ્વપ્ન એનામાં સર્વ સંપત્તિઓ, સમગ્ર શક્તિઓ ને સંપૂર્ણ લબ્ધિઓનો વાસો બતાવે છે. ૧૦. સંસારમાં તળાવને કાંઠે બેસીને તરસ્યા રહેલા ને મખમલી છત્રપલંગ પર આરામ કરવા છતાં થાકેલા લોકોનાં તન-મનના તાપ દૂર કરનાર સરોવર જેવો એ બનશે. ૧૧. ગહન છતાં પાસે જવું ગમે એવા ક્ષીરસાગરસમો એ બનશે. ૧૨. દેવોનું વિમાન એ બતાવે છે કે એની કીર્તિ ઊંચે ઊંચે દેવભુવન સુધી જશે. દેવોને પણ વંદ્ય બનશે. ૧૩. રત્નોની ખાણ એને માટે ગુણરત્નની ખાણ બતાવે છે. ૧૪. અગ્નિ જ્યોત એ આત્મજ્યોતિનો ભાવ દર્શાવે છે. “હે રાજાજી ! હે રાણીજી ! તમારે ત્યાં આમ સર્વ ગુણથી સંપન્ન લોકનાયકનો જન્મ થશે. નવે ખંડમાં એનું નામ પ્રખ્યાત થશે !” રાજા ને રાણી આ સાંભળી ખુશ થયાં. જોષીઓને ભારે સરપાવ આપી વિદાય કર્યા. ૧૬ ભગવાન મહાવીર Jain Education International Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy