SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ બનાવી થોડી વારમાં એમને અહીંથી તહીં હેરવ્યાં-ફેરવ્યાં. કંઈક ગણ્ય આંગળીને વેઢે, ને પછી મોટી પાઘડીઓ ડોલાવતાં બોલ્યા : “રાણીજી ! અમકુલ મંડણ ને તુમકુલ દીવો – વિદ્યામાં બ્રાહ્મણ ને પરાક્રમમાં ક્ષત્રિય – એવો એક આત્મા અવતરવાની આગાહી છે ! સુપન શાસ્ત્રમાં ૭ર પ્રકારનાં સ્વપ્ન કહ્યાં છે. એમાં ૪૨ મધ્યમ છે. ૩૦ ઉત્તમ છે. ને એ ત્રીસમાં પણ ચૌદ સર્વોત્તમ કહ્યાં છે. સ્વપ્ન આવવાના પણ નવ પ્રકાર છે. એમાં છ પ્રકારે આવેલાં સ્વપ્ન નકામાં હોય છે. ત્રણ પ્રકારે આવેલાં સ્વપ્ન સાચાં હોય છે. ક્ષત્રિયાણી માતાને જે સ્વપ્ન લાધ્યાં, તે કાં ધર્મચક્રવર્તી કાં રાજચક્રવર્તીની માતાને આવે છે !” જરા સારી રીતે પંડિતની ભાષામાં કહીએ તો, ‘તમારે ત્યાં ધર્મની ધજોસમોવડો, કુળમાં દીપકસમો, સગુણોમાં મુગટસમાન, કિર્તિમાં કુમકુમ તિલકસમાન, ને જીવો માટે ગ્રીષ્મ ઋતુમાં વૃક્ષની છાયાસમાં પુત્ર જન્મશે.' રાય સિદ્ધાર્થ અને રાણી ત્રિશલા આ સાંભળી ખુશી ખુશી થઈ ગયાં. એમાંય ત્રિશલારાણીનું હૈયું વરસાદથી કદંબ વૃક્ષ ખીલે એમ ખીલી ઊઠ્યું. સાડા ત્રણ કરોડ રોમરાજિ હર્ષથી ખડી થઈ ગઈ. માતાનો પ્રેમ છે ને ! રાજા બોલ્યા : “આ તો ચૌદ સ્વપ્નોનું તમે સમગ્ર રીતે ફળ કહ્યું. છૂટાં છૂટાં સ્વપ્નોનો અર્થ કંઈ હશે ખરો ?” જોષીડા મોં મલકાવતાં બોલ્યા : અવશ્ય, દરેક સ્વપ્નનો આગવો પણ અર્થ છે.' રાણી બોલ્યાં : “અમને એ સાંભળવું, પુત્રજન્મ જેટલું જ પ્યારું લાગશે.” વડા જોષી કહે : “તો સાંભળો.” “૧. આ જમાનામાં મહાન પુરુષોમાં પણ મહાન અને બળવાનોમાં પણ બળવંત એ બનશે. સફેદ હસ્તિનું સ્વપ્ન એ સૂચવે છે. પૃથ્વી પર ધર્મનો રથ અધર્મના કાદવમાં ખૂંપી ગયો છે. આપનો પુત્ર એ કાદવમાંથી ધર્મના રથને કાઢનાર ધર્મધોરી બનશે. વૃષભનું સ્વપ્ન એ સૂચવે છે. ચૌદ સ્વપ્ન ૧૫ ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy