SearchBrowseAboutContactDonate
Page Preview
Page 980
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૬ પ્રોત્સાહન પામેલી તેણી રાજાની પણ માનીતી રાણી બની ગઈ. જોગાનુજોગ રાજાની અન્ય રાણીઓ જે કુંતલાની શોક્ય ગણાય તે પણ કુંતલાના કામનામથી ઓવારી તેણી પાસેથી અષ્ટપ્રકારી પૂજા, નવાંગી પૂજા વગેરે વિધિપૂર્વક શીખી. પછી પ્રભુપૂજામાં રસ વધતાં બધીય શોક્યોએ પોતાના દ્રવ્યથી સોનાના કળશવાળા સુંદર જિનાલયો બંધાવી જિનભક્તિ વધારી. કુંતલા પાસેથી જ તેઓ પૂજાવિધિ પામી હતી પણ કુંતલા કરતાં પણ સારાં દ્રવ્યોથી અને સાચી ભક્તિથી દેવાધિદેવને ભજવા લાગી. પ્રભુજીની અંગરચનામાં પણ જાણે સ્પર્ધાઓ ચાલી હોય તેમ શોક્યો કુંતલાથી આગળ નીકળી ગઈ. સાવ યુવાવસ્થા, લગ્ન તાજાં થયેલાં છે અને દિવસ પણ પૂરો નથી થયો તેવામાં તો નાગિલાના દેહ ઉપર કુળાચાર પ્રમાણે શણગાર સજાવી રહેલા ભવદેવને ત્યાં ભાઇ મહાત્મા ભવદત્ત મુનિ અચાનક ઘેર પધાર્યાં. દૂરના વિહારો કરી સુગ્રામ નગરે તેઓ પોતાના નાના ભાઈને પ્રતિબોધી સંયમ માર્ગે લાવવા ઉદ્યમશીલ બન્યા હતા, પણ ત્યાં પહોંચવામાં મોડું લોકપ્રવાહ હવે કુંતલાના બદલે શોક્યોની તરફેણમાં થવા લાગ્યો, જેથી કુંતલા જેવી આરાધિકાના મન - મગજમાં ઈર્ષ્યારૂપી નાગણે ડંખ માર્યો, જેનું વિષ વિકારી વિચારો રૂપે થયું. નાનો ભાઈ તો સંસાર માંડી ચૂકેલો. આજની જ પરણેલી નવોઢાને રાત્રિ પૂર્વે સાજ-શણગારથી શોભાવવાની સાંસારિક વિલાસ-ક્રિયા તે કરી રહ્યો હતો ત્યારે જ આવેલ ભાઇ મહારાજે જાણે રંગમાં ભંગ પાડયો હોય તેવું થયું! છતાંય એક ધર્મસંસ્કારના બળે ભવદેવે ઔચિત્ય આત્મપ્રદેશમાં જાણે વ્યાપી ગયું હોય તેમ તેણી શોક્યો પ્રતિ ભગિનીભાવ ખોઈ બેસીને અસૂયાનો શિકાર બની ગઈ. પોતાનું વર્ચસ્વ રાખી રાજાનો પ્રેમ સૌથી વધુ મેળવવા અને પ્રજા તરફથી પણ મળતાં આઠર - સન્માનને વધારવા તેણીએ પોતાનું જિનાલય મત્સરભાવથી વિશેષ શોભાવાળું બંધાવ્યુ. છતાંય માયા - અસૂયાના કારણે પુણ્ય ઘટ્યું હોવાથી જાળવ્યું ને પત્નીનો અંગરાગ અને મનરાગ છોડી તરત ભાઇનાં શોક્યોની ભક્તિ વધતી ચાલી ત્યારે અંતે નિંદા - અબહુમાન, આત્મપ્રશંસા વગેરે દોષોથી ઘેરાઈ ગઈ. જિનપૂજા સાથે નૃત્યપૂજામાં પાવરધી તેણી એકદા માનસિક ત્રાણમાં બીમાર પડી. રાજાએ તેણીના દાગીના લઈ લીધાને દહેરાસરનો ભંડાર પૂર્યો. તે સમાચાર મળતાં જ કુંતલા આર્તધ્યાનમાં ચડી ગઈ અને મૃત્યુ પછી કૂતરીના ભવમાં ગઈ. પૂર્વના સંસ્કાર સ્મરણથી જિનમંદિરે જ બેસવા લાગી. દર્શન-વંદનાર્થે ઓરડામાંથી બહાર આવ્યો. થોડાઘણા વાર્તાલાપ પછી તરત જ મહાત્માને વળાવવા ગામને પાદરે ગયો. ત્યાં પણ મહાત્માના અનુરોધથી પાછા ન વળતાં છેક ઉપાશ્રય સુધી પહોંચી ગયો અને લજજાવાન તેને તેના ભાઇએ જયારે દીક્ષા માટે પણ આગ્રહ કર્યો ત્યારે મોટા ભાઇને પિતા સમાન ગણનાર તેમનાં વચન ઉત્થાપી ન શકવાથી લગ્નના દિવસે જ સંસાર માંડયો ને લજજાગુણથી સંસાર છાંડયો પણ ખરો. આ તરફ નાગિલા એકલી પડી. - રાણીના અવસાન પછી શોક્યો તેણીના ગુણોની અનુમોદના કરતી હતી. એકદા કેવળી ભગવંત પધાર્યા ત્યારે પોતાની વડીલ રાણીની ગતિ પૂછતાં જાણવા મળ્યું કે ઉત્તમ જિનપૂજા જેવી આરાધના સાથે કરેલ હલકા વિચારોની આશાતના દ્વારા તેણી સમ્યકત્વને મલિન કરી કૂતરીના ભવમાં ચાલી ગઈ છે. તરત જ શોક્યોએ શૂની પ્રતિ કરુણા, લાવી તેણીને ઉપદેશ આપવાનો ચાલુ કર્યો. ઉત્તમ અન્નપાનથી સેવા કરી. પ્રેમ - વાત્સલ્ય - કરુણા થકી શૂનીને જાતિસ્મરણ જ્ઞાન થયું. વૈરાગ્ય થતાં જ પૂર્વનાં પાપોની દુષ્કૃતગર્હા કરી અણસણ લઈને વૈમાનિક દેવ બનીને ક્રમે મોક્ષ પામી. કરેલ જિનપૂજાનું ફળ નિષ્ફળ ન થયું તે સત્ય સૌએ સમજવા જેવું છે. Jain Education International For Private ચતુર્વિધ સંઘ ૭ નાગિલાનો ભવ્ય ત્યાગ પ્રાચીન કાળમાં નારીઓએ એક નાના સિદ્ધાંત કે સત્યની રક્ષા ખાતર જીવનમાં કેવાં બલિદાનો આપ્યાં છે, અન્યના સુખ ખાતર પોતે ઇચ્છાપૂર્વક કેવાં દુ:ખો વેઠી લીધાં છે તે જાણવાસમજવા જંબુસ્વામિનો પૂર્વ ભવ જેમાં તેમનું નામ હતું મુનિ ભવદેવ તથા તેજ ભવમાં ગૃહસ્થ દશામાં રહેલી તેમની જ સાંસારિક પત્ની નાગિલાનું જીવન જાણવા જેવું છે. હજુ પતિ સાથે સંસારની શરૂઆત પણ નથી કરી શકી ને પતિનો વિરહ! છતાંય જેવા સમાચાર મળ્યા કે પતિદેવે તો પોતાનો ત્યાગ કરી સંયમનો સ્વીકાર કરી લીધો છે. ગુણવંતી તેણીએ ઘટનાને ગંભીરતાપૂર્વક વધાવી લીધી. એક સારો જ જીવનપંથ પતિને પ્રાપ્ત થયો છે, પછી બીજી ચિંતા પણ શું કરવી ? -કહીને તેણી પોતાના પતિ ભવદેવ મુનિને મનોમન વધાવવા લાગી, તેમની અનુમોદનામાં જ પોતાનું સુખ માની પોતાને આવી પડેલ દુઃખને ભૂલવા મથવા લાગી. કલ્પના પણ કેમ કરી શકાય કે નવોઢા નાગિલાના દિવસો પતિ વગર સાસરિયામાં રહી કેવા વીતતા હશે ? તેણીના Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy