SearchBrowseAboutContactDonate
Page Preview
Page 967
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૯૪૩ બની કરણાનો ધોધ વહાવે છે. ભક્તામરસ્તોત્રના સાહજિક રચયિતા સરસ્વતીલબ્ધપ્રસાદ આચાર્ય ની માનતુંગસૂરિજીએ માટે તો પોતાના ચમત્કારિક કાવ્યમાં બાવીશમા શ્લોકમાં તીર્થકરની માતાના ગુણગાન ગાતી રચના કરી દીધી છે. "स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान्, नान्या सुतं त्वदुपमं जननी प्रसूता।" સેંકડો નારીઓ સેંકડો પુત્રોને જન્મ આપે છે પણ હે ભગવન્! તારા જેવા પુત્રને જન્મ કોઈ નારીએ નથી આપ્યો, અર્થાત્ તીર્થકરને જન્મ ફક્ત તીર્થકરની માતા જ આપી શકે છે. જે માતા સૌભાગ્યવંતી, સદાચારિણી, સમતા-સૌજન્યતાથી સંપૂર્ણ હોય છે. સુમતિનાથ તીર્થપતિના જન્મ પૂર્વે ગર્ભાવસ્થામાં જ તેમની માતાએ પુત્રના પ્રભાવે આપેલ સચોટ ન્યાય અને સન્મતિદાતા પ્રભુનું નામ જ સુમતિનાથ તે પણ અલૌકિક ઘટમાળ છે. “પુત્ર તમારો, સ્વામી અમારો”ની સ્નાત્રપૂજાની ઉક્તિ તીર્થકરની માતાને સંબોધીને છે. આવું તો અનેક પ્રકારનું ઉત્તમ સાહિત્ય વર્તમાનમાં ઉપલબ્ધ છે, જેમાંથી તીર્થકર અને તીર્થકરમાતાના ઋણાનુબંધી સમન્વય સંપ્રાપ્ત થઈ શકે તેમ છે. આ લેખમાળા રજૂ કરનાર જૈનધર્મના અભ્યાસી બીલીમોરાના ડૉ. કવિન શાહે ભારે જહેમત લઈને આ માહિતી રજૂ કરી છે. સૌ કોઈને ઉપયોગી થશે. – સંપાદક વર્તમાન ચોવીશીના તીર્થકરોની માતાઓ માતા વિશેની અવનવી વિગતો જીવનના ઊર્ધ્વગમનમાં નિમિત્તરૂપ બને તેવી છે એટલે તેની નોંધ અત્રે રજૂ કરવામાં આર્ય સંસ્કૃતિ અને વિશ્વની અન્ય સંસ્કૃતિઓમાં માતૃપ્રેમ આવી છે. માતૃદેવો ભવઃ ના સૂત્રનો અહોભાવપૂર્વક સ્વીકાર થયો છે. માતાપિતા તીર્થસમાન પવિત્ર, પૂજનીય, વંદનીય અને સન્માનને • તીર્થકર નામ કર્મ ઉપાર્જિત કરેલો આત્મા દેવલોકનું પાત્ર છે. ચાર ગતિમાં પરિભ્રમણ કરતા જીવો કર્માનુસાર મનુષ્ય આયુષ્ય પૂર્ણ કરીને માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. આ ગતિમાં આવે ત્યારે માતાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે માહિતી જૈન દર્શનમાં ચ્યવન કલ્યાણક તરીકે સુવિદિત છે. દરેક અને પછી જન્મ પામે છે. તીર્થકરો, બળદેવ, ચક્રવર્તી, વાસુદેવ, ભગવાનના પાંચ કલ્યાણક હોય છે. તેમાં ચ્યવન, જન્મ, દીક્ષા, માંડલિક, રાજા, શેઠ અને અન્ય મનુષ્યોનો આત્મા માતાની કેવલજ્ઞાન અને નિર્વાણનો સમાવેશ થાય છે. વિશ્વના આત્માના કુક્ષિમાં આવ્યા પછી જ જન્મ ધારણ કરી ક્રમશઃ ઉચ્ચપદવી કલ્યાણરૂપ જેમનું જીવન અને કાર્ય છે એવા પ્રસંગો કલ્યાણક પ્રાપ્ત કરે છે. એટલે જન્મદાતા અને બાલ્યાવસ્થાની તરીકે મનાય છે. એક ઉદાહરણ જોઈએ તો વર્તમાન ચોવીશીના સારસંભાળની નિઃસ્વાર્થ સેવાનો બદલો વાળી શકાય તેમ નથી. છેલ્લા ૨૪મા તીર્થકર શ્રી મહાવીરસ્વામીનો આત્મા સ્થૂલ ૨૭ અગણિત ઉપકારી માતાનું વાત્સલ્ય, સેવા, સમર્પણ લાગણીનો ભવ પૈકી ૨૬મા ભવમાં પ્રાણી કલ્પ નામના દેવલોકનું ૨૦ ધોધ વહેવડાવતી જનનીની જોડ આ વિશ્વમાં અન્યત્ર ઉપલબ્ધ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને અષાઢ સુદી-છઠ્ઠને દિવસે થવી અશક્ય છે. એક માત્ર માનવજન્મમાં જ માતૃવાત્સલ્યની પુણ્યોત્તર વિમાનમાંથી ચ્યવીને દેવાનંદાની કુક્ષિમાં ગર્ભપણે પ્રાપ્તિ થાય છે. માતા વિશેની ઉપરોક્ત માહિતી પછી તીર્થકરની ઉત્પન્ન થયા એટલે આ ચ્યવન કલ્યાણકનો દિવસ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy