SearchBrowseAboutContactDonate
Page Preview
Page 931
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા કરતાં શત્રુંજ્ય તળેટી પર સમવસરણ જિન-પ્રસાદે, શંખેશ્વરમાં ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયે, હસ્તગિરિતીર્થે, ભરૂચ શ્રી મુનિસુવ્રતસ્વામીતીર્થે, વડોદરા પ્રતાપનગર જિનાલયે, ઉવસગ્ગહરં તીર્થે, બિહારના કુંડલપુરતીર્થે તથા પુના-કાત્રિજ આદિ અનેક સ્થાને પ્રતિષ્ઠાનો અને હસ્તિનાપુર તીર્થે જંગી ખર્ચ આકરિત અષ્ટપદજીના મંદિરના સજોડે શિલારોપણ સાથે તેમાં ભગવાન શાંતિનાથજીપ્રતિમા વિરાજિત કરવાના આદેશનો વગેરે લાભ લીધેલ. પૂ. નાનીમાના પાલનનું ઋણ અદા કરવા પ.પૂ.આ મેરુપ્રભસૂરિશ્વરજી મ.સા.ના ઉપદેશે પાલીતાણા તળેટી રોડ પર આકારિત શ્રમણવિહારમં સારું યોગદાન આપેલ. સંસ્કારીપુત્ર હરેશભાઈ કે જેઓ શેરબજારના ધંધામાં આંતરરાષ્ટ્રિય વિકાસ સાધી વ્યાપારીઓમાં આગવું સ્થાન ધરાવે છે. અને શ્વસુરગૃહોનાં આંગણાંને દીપાવતી બંને પુત્રીઓ શીલા અને પ્રીતિ, તથા ધર્મપત્ની નલિનીબેન તથા પુત્રવધુ દર્શના, પૌત્રો કૃણાલ, નેહા તથા કરનના બનેલા ખુશ્યુના ખજાના સમા આ પરિવારજનોએ ધર્મ-સંસ્કારના વારસાને ઊજાળ્યો છે. શ્રી શાંતિભાઈ તથા તેમનાં પત્નીની સાદાઈ, વિનમ્રતા, વિવેકે પરિચયમાં આવનારાઓને પ્રભાવિત કર્યા છે. શત્રુંજ્ય પર અભિષેકનાં સ્થળોની જૂની પરબને નવતર કલાત્મક બનાવી ‘રજની-શાંતિ’ પરબ નામ આપ્યું જેમાં અભિષેક વિગત સાથેનો ઐતિહાસિક શિલાલેખ લગાડાયેલ છે. શત્રુંજ્ય આરોહ પ્રારંભિક પગથિયે ત્રિ-દ્વાર યુક્ત વિશાળ પ્રવેશદ્વારનો પેઢી દ્વારા મળેલ આદેશ અત્યંત લાભદાયી મનાય છે. અહીં પણ ઐતિહાસિક શિલાલેખ મુકાવેલ છે. સાથે તળેટી પાસેના કીર્તિસ્તંભમાં સર્વસાધારણમાં રૂ. પાંચલાખ લખાવી અનેરો લ્હાવો લીધેલ. પ.પૂ.આ. ચંદ્રોદયસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં વિક્રમસર્જક ૮૦૦ સિદ્ધિતપની મહાન તપસ્યા શ્રી ભાવનગર જૈન શ્વે.પૂ. તપાસંઘના ઉપક્રમે થઈ તેની પાસે ઐતિહાસિક યાદગીરી રૂપે ભાવનગરના દાદાસાહેબ દેરાસરમાં સિદ્ધિતપચોક બનાવવાનો અનેરો લાભ લીધો. શિહોર-જૈન સોસાયટીના ભવ્ય દેરાસરમાં મૂ.ના ચૌમુખજીમાં આદિશ્વરભગવાનની પ્રતિષ્ઠાનો તથા ઉના અજારા પાસે નદી તટે પૂ.આ. હિરસૂરિશ્વરજી મ.સા.ના સમાધિમંદિરમાં એક દેરી બનાવવાનો તથા પાર્લા-ઘોઘા તીર્થ રાંદેરમાં પાર્શ્વનાથ જન્મકલ્યાણક પ્રસંગે અઠ્ઠમ તપની તપશ્ચર્યા સમયે કાયમી પારણાનો વગેરે લાભ લીધો. પાર્લામાં શિક્ષણ, આરોગ્યક્ષેત્રે પણ મોટી રકમનાં દાનો આપ્યાં. મલાડમાં પણ દેવકરણ મૂળજી જૈન Jain Education International For Private colo દેરાસરમાં મહાવીરસ્વામી કલ્યાણક પ્રસંગે તથા ઇસ્ટ મલાડના કાયમી ચૌવિહાર ઘરમાં કાયમી લાડુની પ્રભાવનાનો લાભ લીધો. શેરસા, મણીનગર, કાંકરિયા, ઉજ્જૈનના શ્રી પાળકાયણા દેરાસર પાસે પોતાના સહયોગથી ભવ્ય ઉપાશ્રયો બનાવ્યાં. પાર્લામાં દહેરાસરમાં માણીભદ્રવીરની દહેરીની પ્રતિષ્ઠા કરાવી. ઉપરાંત નાગેશ્વરતીર્થમાં મૂ.ના. પર ચાંદીનું સુંદર કલાત્મક છત્ર તથા ભોજનશાળા ઉપર ભવ્ય આરાધના હોલ તથા ધાર (મ.પ્ર.)માં ભક્તામર જિનાલયમાં એક દેરી, શંખેશ્વર કલ્યાણ પ્રસંગે ૩૫૦૦ અઠ્ઠમતપના આરાધકોનો ભક્તિલાભ અને આગમમંદિરમાં એક રૂમ તેમ જ ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં એક દેરીનો પ્રતિષ્ઠાલાભ, તથા નિર્માણાધીનજી અયોધ્યાપુરમાં મૂર્તિબિરાજન સ્થળે શિલારોપણનો લાભગોડીજી પાયધૂનીની દેરાસરમાં પદ્મનાથભગવાનની પ્રતિષ્ઠા કરાવેલ. દેરાસરમાં વાસૂપૂજ્ય સ્વામી પ્રતિષ્ઠા સમિતિ અને ઉપાશ્રયના મુખ્ય દાતા બનાવાનો તથા ઓરપાડ ભરૂચ પાસે સાયન ગામમાં કુંથુનાથ ભગવાન મૂ.ના. તરીકે વિરાજીત કરવાનો તથા સુરતમાં દેસાઈ પોળના દેરાસરે ધર્માદા દવાખાનામાં ને મહેસાણા-મેન્શન દવાખાનામાં મામા બાલુભાઈ ખીમચંદના નામે ફી દવા વિતરણ તથા માંડવગઢ (મ.પ્ર.)માં ખેતરમાંથી મળેલી અતિ પ્રાચીન મૂર્તિના ભારે લેપ કરાવી મુખ્ય દેરાસરના ભોયરામાં પ્રતિષ્ઠા કરાવવાનો, તથા ભોપાવરમાં પ્રાચીનમૂર્તિ શાંતિનાથ ભગવાનને નવેસરથી લેપ તથા પાવાપુરમાં મહાવીરસ્વામી ભગવાન તથા કુંડલપુરમાં પ્રાચીન મૂર્તિઓના લેપ, અને ગૌતમસ્વામીની પ્રતિષ્ઠા કરાવવાનો તથા સમેતશિખર ઉપર મૂ.ના. તથા આજુબાજુના ભગવાનના લેપ તથા શત્રુંજ્ય પરની મોદીની ટૂંકમાં પંચભગવાનની પ્રતિષ્ઠા તથા હસ્તગિરિમાં એક દેરી શાંતિનાથ ભગવાનની તથા ચાંદખેડામાં ગૌતમસ્વામીની વિશાળમૂર્તિ તેમજ મુનિસુવ્રતસ્વામિની પ્રતિષ્ઠા વગેરે અનેક ધર્મકાર્ય ને માનસેવાના લાભો લીધેલ છે. તેથી દરેક સંઘેડા (સંપ્રદાયો)ના પૂ. આચાર્યશ્રીઓ તથા મહારાજાની અપાર કૃપા શાંતિભાઈ પર નિરંતર વરસતી રહી છે. તેમના નામનું ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપી માનવતાના, સમાજસેવાના, શિક્ષણ, આરોગ્ય અને ગરીબ દર્દીઓ તથા કષ્ટસાધ્ય ભયંકર બિમારીવાળાઓને આર્થિક મદદ કરવાનું કાર્ય કરી રહ્યા છે ને ભવિષ્યમાં પણ તે યથાવત રાખવા સંકલ્પબદ્ધ છે. સને ૨૦૦૩માં ૭૫મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે ધાર્મિક અનુષ્ઠાનો ભવ્ય ભોજનસમારંભ પૂ. ગુરુ ભગવંતોનો ગૃહઆંગણે પ્રવેશ સાથે દેદીપ્યમાન ઉજવણી Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy