SearchBrowseAboutContactDonate
Page Preview
Page 919
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા GGU જિનશાસનની ધર્મનિષ્ઠ પુણ્યપ્રતિભાઓ અત્રે જો શ્રાવકની સ્થિતિમાં જીવદયાનો અહાલેક જગાવી એક જીવાત્મા ચક્રવર્તી અને તીર્થપતિ જેવી બેવડી સિદ્ધિ હાંસલ કરી પ્રભુ શાંતિનાથ બની શકતા હોય, અત્રે જો સાધુઓની વૈયાવચ્ચ કરનાર વૈદ્યરાજપુત્ર સમય જતાં આત્માનો વિકાસ સાધીને નાભિરાજાના પત્ર ઋષભ આદિનાથ જો તીર્થકર બની શકતા હોય અભિમાની ઇન્દ્રભૂમિ જો શિરોમણિ ગૌતમસ્વામી બની શકતા હોય, સુદર્શન શેઠ જો ચૌદ પૂર્વના જ્ઞાતા બની શકતા હોય, અર્જુન માળી અને દઢપ્રહરી જેવા ભયંકર હત્યારા વિષયકષાયની ભડભડતી આગમાંથી સંસારસાગર મજેથી તરી જતા હોય, રખડતો ભટકતો ઉદો જો સિદ્ધરાજનો વિશ્વાસુ ઉદયન મંત્રી બની શકતો હોય, સામાન્ય દીદારમાં ફરતો ભીમો કંડલિયો બાહડમંત્રીને માન્ય બની શકતો હોય તો આ જૈન શાસનની બલિહારી જ સમજવી. વર્તમાનમાં શ્રાવક પરંપરામાં પણ વિનયશીલ પ્રભાવક પ્રતિભાઓના જીવનપંથ દ્વારા શ્રદ્ધા ભક્તિ પ્રીતિ સમર્પણ જેવા વિશિષ્ટ ગુણોનું જ્યાં દર્શન થાય છે તેવા પુણ્ય પ્રભાવકોના જીવનકવનનું આ લેખમાળામાં અવલોકન કરીએ. હમણાં જ ગિરિરાજ ઉપરના ઐતિહાસિક અભિષેક પ્રસંગે શેઠ શાંતિ બાલુ અને રજની દેવડીના ભક્તિભાવનો સાગર જોવા મળ્યો તે લોકહૃદયમાંથી ક્યારેય ભૂંસાશે નહીં. પોપટ ધારશી, ગાર્ડીસાહેબ, જીવતલાલ પરતાપશી, કે. પી. સંઘવી કે ભેરુમલજી આં સમયના જગડુશા ગણી શકાય. આ સૌનાં શાસનકાર્યોની ભારોભાર અનુમોદના કરીએ. જીવનની પ્રત્યેક પળને સમાજ અને ધર્મશાસનના વિવિધક્ષેત્રોમાં સતત સક્રિય રાખી અહર્નિશ સેવારત રહેનારા અનેકોને અનેક પ્રસંગે પ્રેરણા, પ્રોત્સાહન અને પથદર્શક બની રહેનારી સનિષ્ઠ પ્રતિભાઓ જેમનાં ધર્મપરાયણ સદ્ગુણી અને ઊજળા વ્યક્તિત્વને કારણે બહોળા જનસમુદાયમાં જેઓ સૌના પ્રીતિપાત્ર બની શક્યા છે. જેઓની ધર્મભક્તિ, તીર્થભક્તિ, ગુરુભક્તિ અને જ્ઞાનભક્તિને કારણે ધર્મશાસનનાં અનેકવિધ કાર્યો સુસંપન્ન બન્યાં છે એવા સ્વાધ્યાયપ્રેમીઓ, પંડિતવર્યોના પરિચયો આ લેખ શ્રેણીમાં આપ્યા છે. આ પુણ્ય પ્રતિભાઓના જીવનબાગમાં સરળતા, વૈરાગ્ય જેવા સદ્ગુણો જોવા મળે છે તો ધર્મસંપન્ન પરિવારોની પણ અત્રે ઝાંખી કરાવવામાં આવી છે. આ સૌ આપણી વંદનાનાં અધિકારી બને છે. Iઈ કોઠારી ઉકાળેલું પાણી, ચૌદનિયમ, નવકારસી–ઉવિહાર હંમેશાં કરતા હતા. વિ.સં. ૨૦૦૩માં બીજા જિનાલય શ્રીચંદ્રપ્રભસ્વામીના ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી ગામ, ત્યાં કોઠારી અમૃતલાલ ભૂદરભાઈ રહે. તેમનું ટૂંકુ જીવનકવન. મૂળી મંદિરનું સર્વાગીણ કાર્ય સંભાળ્યું હતું. જૈન સંઘનું સુંદર સંચાલન કરતા હતા. પૂ. સાધુ-સાધ્વીજી અમૃતભાઈને ત્રણ પુત્રો અને પાંચ પુત્રીઓ હતાં. પુત્રીઓ મ.સા.ની વૈયાવચ્ચ તથા ભક્તિ કરતા હતા. જિનાલય. ધર્મિષ્ઠ ધરે સુખપૂર્વક ધર્મ આરાધના કરી શકે છે. ત્રણ પુત્રોપાઠશાળા, ઉપાશ્રયનું સુંદર સંચાલન કરતા હતા. તેમના પિતાશ્રી (૧) જયંતીભાઈ, (૨) મુગટભાઈ, (૩) મનહરભાઈ. પુત્રીકોઠારી ભૂદરભાઈ પરસોતમભાઈએ એક જ રાતમાં બે માળેનો (૧) ગજસબહેન, (૨) શારદાબહેન, (૩) મંજુબહેન, બર્માસાગનો લાકડાનો ઉપાશ્રય કરાવ્યો હતો. ઉદઘાટન પ્રસંગે . (૪) જસવંતીબહેન, (૫) અનસૂયાબહેન. પોતાના પરિવારને કાંસાની તાંસળી ભરી ચાંદીના રૂપિયાની પ્રભાવના કરી હતી. બચપણથી પૂજા-વ્રત–પચ્ચકખાણ-પ્રતિક્રમણ તથા કોઈ વખતે પૂ. સાધુ મ.સા. ન હોય ત્યારે અમૃતભાઈ એકાસણાં વ્યાખ્યાનાદિના સંસ્કારોનું સિંચન કરેલ. પૌષધ સાથે કલ્પસૂત્રની ઢાળો વાંચતા હતા. છેલ્લા ૩૫ વર્ષથી ધર્મના સંસ્કારના બળે મનહરભાઈએ મેટ્રિક પાસ કર્યા Jain Education Intemational Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy