SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા પુષ્પ જેવું હતું. તેથી જ ધૂપસળી નથી પણ સુવાસ છે. ફૂલ ગયું ને ફોરમ રહી . તેઓશ્રીના જીવનનાં સત્કાર્યો, ગુણરૂપી સુવાસ આજે પણ ચોમેર મહેંકી રહી છે. પરમ પ્રભાવક શ્રદ્ધાવર્યોની પરંપરાના પ્રતાપી વીરપુરુષ શ્રી જયંતિભાઈએ સુસંસ્કારિતાના આગવા તેજ દ્વારા સદાયે સુસ્મિત ચહેરે જીવનને ઊજાળ્યું. મૃત્યુને મહોત્સવ બનાવ્યો અને વિશ્વમાંથી વિજયવંતી વિદાય લઈને પોતાનું નામ અને કામ સદાને માટે રાજતું, ગાજતું અને ગૂંજતું કરી દીધું. વ્યાપારઉદ્યોગમાં અગ્રેસર : જાણીતા દાનવીર શ્રી જીવતલાલ પરતાપશીભાઈ જૈન ધર્મપુરીઓનાં આગેવાન ગણાતા ઉત્તર ગુજરાતના રાધનપુર શહેરમાં પરમ ધર્મ શ્રદ્ધાળુ અને સંસ્કારી પિતાશ્રી પરતાપશીભાઈ તથા માતા જયકોરબેનને ત્યાં શ્રી જીવાભાઈનો જન્મ વિ.સં. ૧૯૪૩ના જેઠ વદી ૪ને દિવસે થયો હતો. બાળપણમાં જ માતાપિતાના ઉત્તમ ધાર્મિક, વ્યવહારિક સંસ્કારો અને શ્રદ્ધા સચ્ચાઈનો વારસો મળ્યો હતો. પ્રાથમિક અભ્યાસ રાધનપુરમાં જ પુરો કરી માત્ર સોળ વર્ષની નાની વયમાં જ કુટુંબની આર્થિક જવાબદારી ઉપાડવા મુંબઈ શહેરમાં આવી નોકરથી જીવનની શરૂઆત કરી. ત્યારબાદ સોના ચાંદી બજારમાં સ્વતંત્ર દલાલીનો ધંધો શરૂ કરી ઉત્તરોત્તર ભાગ્ય દેવીની કૃપાથી મુંબઈના આગેવાન વાયદાબજારો તેમાં શેરબજાર, રૂબજાર, એરડાબજાર તથા સોનાચાંદી બજારના માન્ય દલાલ બન્યા. શહેરમાં સોનાચાંદીનો વાયદાનો બજાર વ્યવસ્થિત કરી સ્થાપવામાં આવેલ ધી બોમ્બે બુલીયન એક્ષચેંજ લી.ના ફાઉન્ડર ડાયરેક્ટર તરીકે બુલીયન એક્ષચેંજ વિકસાવવામાં ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ને જમાનામાં થતાં અનેક બેલાકબાડામાં પોતાની આગવી બુદ્ધિ પ્રતિભા અને વ્યાપારી કુનેહથી ઉભી થતી આંટી ઘુંટીઓ અને ગુંચો ઉકેલી બજારને સફળ માર્ગદર્શન આપવામાં આગળ પડતો ભાગ લીધો હતો. શેરબજારની ગર્વનીંગ બોર્ડના લાગલગાટ ૧૭ વર્ષ સુધી ડાયરેક્ટર તરીકે સેવા બજાવેલ હતી. હિન્દુસ્તાન બહાર લીવરપુલ કોટન એક્ષચેંજ અને ન્યુયોર્ક કોટન એક્ષચેંજના પણ મેમ્બર બનેલ. વાયદા બજાર ઉપરાંત અનેક ઇન્ડસ્ટ્રીઝમાં ડાયરેક્ટર તરીકે સેવા બજાવેલ અને એક સમયે લગભગ ૩૬* ૩૭ કંપનીઓના ડાયરેક્ટર હતાં. પોતાના ધંધાકીય વ્યવસાયમાં તેમના લઘુબંધુ સ્વ. ભાઈશ્રી કાન્તિલાલભાઈને જોડેલ હતા. આ સિવાય અનેક ઉદ્યોગો જેવા કે રંગરસાયણ, બેટરીઝ, સોના Jain Education International For Private 283 ચાંદી, કાપડ, સાઈકલ, એન્જીનિયરીંગ, પોટરીઝ, સ્યુગર અને પેઈન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં પણ તેઓએ રસ લઈ ઉદ્યોગો સ્થાપેલ. ઉંમરના કારણે તેઓ સક્રિય ધંધામાંથી નિવૃત્ત થયાં છે એટલે ફક્ત વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝ લિ.ના ડાયરેક્ટર તથા સૌરાષ્ટ્ર પેઈન્ટ પ્રા. લિ.ના ચેરમેન તરીકે રહ્યા હતા. પેઈન્ટ કંપનીનું કામ તેમના બીજા નંબરના પુત્ર ચંદ્રકાન્તભાઈ તથા મુંબઈ ખાતેની પેઈન્ટની ઓફીસ તથા વેચાણ વિગેરેનું કામ તેમના ભત્રીજા પ્રફુલ્લભાઈ સંભાળતા હતા. ત્યારપછી ભત્રીજા પ્રફુલ્લભાઈએ ટેક્ષટાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી હતી. આજે ઉમરગામમાં બીઝનેસના નામે વિશાળ ટેક્ષટાઈલ્સ ફેક્ટરી નાંખી ૧૦૦% અમેરિકા ખાતે એક્ષપોર્ટ કરે છે. શેરબજારનું કામકાજ જયેષ્ઠ પુત્ર વસંતલાલ સંભાળી રહ્યા છે તથા સૌથી નાના પુત્ર નલીનભાઈ જેઓ અમેરિકા ખાતે અભ્યાસ કરી એન્જીનિયર થયાં છે તેઓ હાલ બીરલા ગ્રુપની કંપનીનું ન્યુયોર્ક ખાતેનું કામ સંભાળી રહ્યાં છે. જીવતલાલભાઈએ જીવનમાં અનેક લીલી સુકી જોઈ અને આજે એક આગેવાન વેપારી તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. વેપાર સાથે સામાજીક તથા ધાર્મિક કાર્યોમાં પણ ખુબ રસ લેતા હોઈ અનેક સંસ્થાના ટ્રસ્ટી તરીકે સેવા અર્પી અને કામ કરેલ અને આજે પણ કરી રહ્યા છે. મુંબઈ શહેરના આગેવાન જૈન મંદિર ટ્રસ્ટોના ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી સેવા આપ્યા બાદ હવે નિવૃત્ત થયા છે. છતાં શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ, મહેસાણા જૈન સંસ્કૃત પાઠશાળા, મુંબઈ વર્ધમાન તપ આયંબિલ સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની કમિટીમાં હાલ પણ સક્રિય ભાગ લઈ રહ્યા હતા. શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ સંસ્થા જે ઇ.સ. ૧૯૫૦માં લગભગ મૃતઃપ્રાય બની ગઈ હતી અને બંધ થવાની તૈયારીમાં હતી તે સંસ્થાનું સુકાન સ્થાનિક કાર્યકર્તા શ્રી મનસુખલાલ જીવાભાઈના સહકારથી હાથમાં લઈ મદ્રાસ, કલકત્તા, મુંબઈ તથા અમદાવાદ વિગેરે સ્થળે પ્રવાસો કરી અથાગ મહેનત લઈ સંસ્થા માટે રૂ।. ૧૧ લાખનું મોટું ભંડોળ ભેગું કર્યું અને સંસ્થામાટે રૂા. ૧૧૫ લાખના ખર્ચે પાલિતાણામાં નવુ મકાન ઉભું કર્યું જેમાં હાલમાં લગભગ બસો ઉપરાંત બાલિકાઓસ્ત્રીઓ લાભ લઈ રહેલ છે. અને વાર્ષિક ખર્ચ લગભગ રૂા. ૧૮ લાખનો થાય છે, જે સમાજ ઉદારતાથી પુરો કરી આપે છે. તેમના સ્વ. ધર્મપત્ની શ્રીમતી મસુદબેનના સ્મરણાર્થે સ્થાપેલ શ્રી મસુદબેન જૈન પાઠશાળા સ્થાપી હતી. રાધનપુરમાં ગુજરાતી સ્કૂલનું મકાન, હાઈસ્કૂલનું મકાન, આયંબિલ ભવન વગેરે સંસ્થાઓમાં સારી નાણાંકીય સહાય કરી છે. સમાજના બીજા Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy