SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International પ્રાકૃતિક સૌંદર્ય અને ધર્મપ્રાણથી ધબકતા શ્રી જૈન આર્યતીર્થ અયોધ્યાપૂરમ તીર્થ ક્ષેત્રમાં અનેકવિધ સેવાનો લાભ લેનાર ધન્ય દંપતિ શ્રી ભોગીભાઈ વેલચંદ જોટાણી જન્મ : સંવત ૧૯૮૯ માગશર વદ ૧૪ સોમવાર તા. ૨૬-૧૨-૩૨ (સ્થળ : વલ્લભીપુર) અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી જન્મ : સંવત ૧૯૯૦, જેઠ સુદી ૭, મંગળવાર તા. ૧૯-૬-૩૪ (સ્થળ : ખારી, તા.સિહોર) • વેવિશાળ : સં. ૨૦૦૯ પોષ સુદી - ૫ રવિવાર, તા. ૨૧-૧૨-૫૨, સ્થળ : અમદાવાદ લગ્ન : સં. ૨૦૧૦ વૈશાખ સુદી - ૧૧ ગુરૂવાર તા. ૧૩-૫-૫૩, સ્થળ : અમદાવાદ જનની જાણજે ભક્તજન કાં દાતા કાં શૂર नहि तो रहे वांगी भत गुभावीश नूर પૂર્વના કોઈ પ્રબળ પૂણ્યોદયે ઉપરોક્ત ધન્ય દંપતિના શુભ હસ્તે જૈન આર્યતીર્થ અયોધ્યાપૂરમ તીર્થની શિલારોપણવિધી સંપન્ન થઈ હતી. અયોધ્યાપૂરમ તીર્થના સંકુલની આશરે ત્રણ લાખ ચોરસ ફૂટ જગ્યા શાસનને અર્પણ કરી છે. આ તીર્થને જંગલમાંથી મંગલ બનાવવામાં અને તેના વિકાસમાં તન મન ધનથી નિઃસ્વાર્થભાવે સેવા કરી છે. અયોધ્યાપુરમ ટ્રસ્ટની રચનામાં પણ અ.સૌ. પ્રભાલક્ષ્મીબેન પ્રથમ દાનના પ્રણેતા બન્યા છે અને શ્રી ભોગીભાઈ અયોધ્યાપૂરમ તીર્થના આજીવન પ્રથમ ટ્રસ્ટી છે. શ્રી ભોગીભાઈ સેવાપ્રિય અને સૌજન્યશીલ છે. શાસનસેવા અને સામાજિક સેવામાં પણ ખૂબ રસ ધરાવે છે. પોતાની આવડત અને કાર્યકુશળતી સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. સાધુ સાધ્વીઓની વૈયાવચ્ચમાં કે શાસનના કોઈપણ પ્રસંગોમાં તેમની હાજરી અચૂક હોય જ. સરળ સ્વભાવી શ્રી ભોગીભાઈના ઘરનો આતિથ્ય સત્કાર, ઘરનું ધાર્મિક વાતાવરણ અને સાધર્મિક ભક્તિને લીધે તેઓ સારી એવી યશકીર્તિ પામ્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy