SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ અને ધ્યાન તમામ યોગોમાં સમય વીતતો હોવાથી તેમના દિવસ પણ ટૂંકા પડતા હતા. તેમ કરતાં બેઉ ભાઈઓ યુવાન બન્યા, અને માતાપિતાએ સુંદર કન્યાઓ સાથે પરણાવ્યા. લગ્નજીવન છતાંય મરુભૂતિનો જીવ ભોગલંપટ ન બની ઘરમાં સ્ત્રીપાત્ર આવતાં વધુ ધર્માત્મા બન્યો. મોટો ભાગ ધર્મસ્થાનકોમાં વીતવા લાગ્યો. તેથી પોતાની સ્ત્રી ઉપર પણ અનાસકત તેને દેખી મોટા ભાઇ કમાની નજર મરુભૂતિની પત્ની ઉપર બગડી. આડા સંબંધો ચાલુ કરવા યુકિતઓ કરી. ભેટો મોકલી, વાર્તાલાપ પણ ચલાવ્યો છતાંય લજજામર્યાદાએ ભાર્યાએ જેઠ પ્રતિ લગીર વિકાર ન ધર્યો, પણ મરૂભૂતિની ઘરમાં સતત ગેરહાજરીનો લાભ ઉઠાવી કમકે નાના ભાઈની પત્ની સાથે પરાણે પણ પ્રીત સંબંધ ચાલુ કર્યો. પોતાની સુંદર-ગુણવાન પત્ની છતાંય ભોગલંપટ બની મરુભૂતિને છેતરી પરસ્ત્રી-ગમનના પાપો સુધી માં આગળ ગયો. અને એક વારના શીલભંગ પછી મરુભૂતિની પત્નીને પણ કમઠ પ્રતિ કામરાગ ઊભો થયો. Jain Education International ચતુર્વિધ સંઘ સંસ્કારવશ દશમાં ભવ સુધી જ્યારે જયારે મનુષ્યપણું પામ્યા ત્યારે ભવમાં કર્માંનો મરણાંત ઉપસર્ગ સમતાથી સહી, પ્રથમ ભવની ભૂલ સુધારતાં ચરમ ભવમાં મરુભૂતિ પુરુષાદાણીય પાર્શ્વપ્રભુ બની ગયા. For Private ૪ બ્રહ્મવ્રતની પરાકાષ્ઠા : શ્રાવક વિજયશેઠ પરમાત્મા સ્થાપિત શ્રી સંઘ એટલે ગુણોની ગુણભાર, ગુણોની ગંગા ને ગુણોના ગુણાકાર કરતું વાતાવરણ, શ્રી સંઘમાં ભૂતકાળમાં થઈ ગયેલા, વર્તમાનમાં થઇ રહેલા ને ભાવિમાં થનારા અનંતા આત્માઓ એવા છે જેમના ગુણોના શ્રવણ માત્રથી આપણો આત્મા પાવન થઈ જાય છે, અને અંતર દાવા સાથે સ્વીકારી લે છે કે આવી ઘટનાઓ ફકત જિનશાસન પામ્યાના જીવનમાં જ ઘટી શકે, બાકી આવી અશકય વાતો શક્ય કેમ માની શકાય? બસ એવી જ અનુપમ એક કથાવાર્તા શીલવ્રતધારીની પરાકાષ્ટા રૂપે અત્રે પ્રસ્તુત છે. ગમે તેમ કમાંની પત્નીને પોતાની દેરાણી સાથે પોતાના પતિના આડા સંબંધની ગંધ આવી ગઇ, ને ઘરની ખાનદાની રક્ષવા તરત પોતાના દિયેર મરુભૂતિને બોલાવી ચેતવ્યા. સગી પત્ની ઉપર તેવો અવિશ્વાસ અસ્થાને લાગતાં મરુભૂતિએ પણ આંખ આડા કાન ધર્યા, પણ મામલો વધી જતાં જયારે ખુદ્દ કૃપી તપાસ કરી ત્યારે વ્યભિચાર-સેવન સત્ય સાબિત થતાં તેમના આત્માને ઠેસ લાગી, પણ મોટાભાઇને સુધારી ન શકવાથી ને પોતાની મર્યાદાઓ હોવાથી સીધી ફરિયાદ રાજા જે વ્રત સાધુઓના જીવનનો પ્રાણ છે, જગતમાં જે વ્રતને દીવાની ઉપમા છે, સર્વે વ્રતોમાં જે વ્રત અપેક્ષાએ સર્વશ્રેષ્ઠ છે, જેનું પાલન દુષ્કર દુષ્કર છતાંય નવવાડ દ્વારા સરળ છે તથા જે અરવિંદને કરી. રાજાએ પણ ઊલટતપાસ કરાવી. રાજપુરોહિત વ્રતધારી અશુભ કર્મ નિર્જરા તથા સંવર કરી અલ્પ ભવમાં મુકિત વરી જાય છે તેવું અનુપમ બ્રહ્મચર્ય વ્રત સાધુઓને સહજ છતાંય સાવચેતીથી પાર પડે તેવું છે, જયારે ગૃહસ્થોને માટે તો અત્યંત દુર્લભ છતાંય સુગમ છે. સંસારમાં રહેવા છતાંય અડધું ચારિત્ર પુણ્ય મેળવી કેવળી ભગવંતની પણ પ્રસંશા મેળવી જનાર વિજયરોઠની આત્મનિષ્ઠા એક અપૂર્વ કહાણી છે. કમઠ્ઠની અપવિત્રતાના દંડ રૂપે ભર બજારે તિરસ્કાર કરી કમર્ઝને નગર-નિકાલની સજા ફરમાવી. અપમાનિત કમહે સ્ત્રી લંપટતામાં રાજસુખ ખોયું ને જંગલમાં જઇ તાપસ ધર્મ સ્વીકારી આબરૂ ઊભી કરવા ઘોર તપ ચાલુ કર્યો, પણ મનમાં નાના ભાઇ મરુભૂતિ અને રાજા અરવિંદ ઉપર ઉગ્ર વેર બુદ્ધિ રાખી બાળતપની સાધના કરી. લોકોમાં તપસ્વી તરીકે ઓળખાવા લાગ્યો. સમય જતાં પ્રભુ પાર્શ્વનાથના જીવ મરુભૂતિને ભાઇ પ્રતિ રાજાએ કરેલ ઉગ્ર દંડનું દુઃખ ને પશ્ચાતાપ થયો. તેથી રાજા અરવિંદની સાફ ના છતાંય મનમાં ક્ષમાભાવ મુખ્ય હોવાથી સામે ચડી ખમાવવા ગયા. પણ ઘણાં દિવસથી બદલાની ગાંઠ રાખનાર કઢે પત્થર મારી મરુભૂતિને હણી નાખ્યા. ઉચ્ચ આરાધક મરુભૂતિ છતાંય મૃત્યુ સમયની પ્રશસ્ત સમાધિ જતાં તેમનો જીવ બીજા ભવમાં હાથીના ભવમાં ચાલ્યો ગયો. છતાંય ગૃહસ્થ જીવનની આરાધનાનાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહસંજ્ઞા દરેક જીવોને પીડ છે, તેમાંય નર-નારી ને નપુસંકને પણ મૈથુન સંજ્ઞાનો મહાવરો હોવાથી તેમાંથી સંસાર ઊભો થાય છે. પરંપરાએ રાગ-દ્વેષ જન્મ લે છે અને તેના ફળરૂપે સંસાર- ભ્રમણ ચાલે છે. ફકત સંયમી સાધકો જ અબ્રહ્મસંજ્ઞાને નાથી આત્મવિજેતા બની શકે છે. આજ ભરત ક્ષેત્રના કચ્છ પ્રદેશની ધર્મધરા ઉપર ભદ્રેશ્વર તીર્થ છે, ત્યાંથી નિકટના ક્ષેત્રમાં જેનો નિવાસ હતો તે શ્રેષ્ઠી શ્રાવક વિજયે ઉત્તમ ધાર્મિક સંસ્કાર-બળે નાની ઉંમરમાં અને લગ્ન પૂર્વેજ મહિનાના પંદર દિવસ તે પણ વદ પક્ષના સમયે સંપૂર્ણ બ્રહ્મચર્ય સવિશુદ્ધ પાળવું તેવી પ્રતિજ્ઞા ગુરુમુખે વહન કરી હતી. પૂર્વ ભવના ઋણાનુબંધ પૂરા કરવા તેનાં લગ્ન તેના જેવી જ ભાવનાશીલ ને ધર્માત્મા કન્યા વિજયા સાથે થયાં. ત્યાં સુધી બેઉને પોતપોતાના વ્રતની વાત કરવાનો પણ અવસર Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy