SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ધારણ કરનાર મારો ધર્માચાર્ય ગોશાલો છે. તે અહીં સવારે પધારશે, ત્યારે હું તેમને વંદન કરવા જઈશ. સવારમાં પ્રભુ પધાર્યાની ખબર પડતાં પરિવાર સાથે સદાલપુત્રે ત્યાં આવી વંદના કરી યોગ્ય સ્થાને બેસી પ્રભુદેવની દેશના સાંભળી. ત્યારબાદ પ્રભુદેવે રાતે બનેલી બીનાની બાબતમાં પૂછતાં સદ્દાલપુત્રે એ સાચી હોવાનું કહ્યું. પછી પ્રભુદેવે કહ્યું “હે સદ્દાલપુત્ર, તે દેવે જે કહ્યું તે તારે ગોશાલાને આશ્રીને ન સમજવું.” પ્રભુએ કરેલા આ ખુલાસાથી તેને ખાત્રી થઈ કે દેવે કહેલા ગુણો મહાવીર પ્રભુમાં ઘટે છે. માટે હું તેમને વંદના કરીને પીઠ ફલકાદિ વાપરવા માટે નિયંત્રણ કરું, આમ વિચારી તેણે વંદન કરી પ્રભુને કહ્યું કે— “હે ભગવન્, આ નગરની બહારના ભાગમાં કુંભકારની ૫૦૦ દુકાનો છે. તેને વિષે તમે પીઠ વગેરે ગ્રહણ કરીને વિચરો.” આ પ્રમાણે સદ્દાલપુત્રનાં વેણ સાંભળીને પ્રભુએ તેમ કર્યું. એક વખત સદ્દાલપુત્ર શાલામાંથી માટીના વાસણોને તડકે મૂકતા હતા. ત્યારે અવસર જોઈને પ્રભુએ તેને પૂછ્યું “આ વાસણો ઉદ્યમથી બન્યાં કે વિના મહેનતે બન્યાં ?’’ ત્યારે તેણે કહ્યું “વગર મહેનતે બન્યાં, માટે હું ઉઘમને માનતો નથી.” પ્રભુએ કહ્યું, “આ વાસણો કોઈ માણસ ચોરી જાય તો તું તેને શું કરે?’’ સદ્દાલપુત્રે કહ્યું, “હું તેની તાડના, તર્જના, હનનાદિ કદર્થના કરું.” એટલે પ્રભુએ કહ્યું, “હે સદ્દાલપુત્ર, તારાં જ વચનથી તું ઉદ્યમને કબૂલ કરે છે. તો પછી તારાથી તેનો નિષેધ કરાય જ નહીં.'' પ્રભુદેવે કહેલાં યુક્તિગર્ભિત વચનોથી તે પ્રતિબોધ પામ્યો અને તેણે વંદનાદિ કરી પ્રભુની પાસે બારે વ્રતો અંગીકાર કર્યાં. તેની સ્ત્રીએ પણ તેની માફક શ્રાવકધર્મ સ્વીકાર્યો. આ બીના જાણીને ગોશાલો સદાલપુત્રને પોતાના ધર્મમાં ખેંચવા માટે પોતાના પરિવાર સાથે ત્યાં આવ્યો. આજીવિકની સભામાં પોતાનાં ઉપકરણો મૂકીને કેટલાએક નિયતવાદીઓને સાથે લઈને સદ્દાલપુત્રની પાસે જવા નીકળ્યો. સદ્દાલપુત્રે ગોશાલાને આવતો જોયો, પણ તેનો તલભાર પણ આદરસત્કાર કર્યો નહીં અને તે મૌનપણે બેસી રહ્યો. આ પરિસ્થિતિ ઉપરથી ગોશાલાને ખાત્રી થઈ કે આ સદ્દાલપુત્ર મહાવીરના ધર્મનો દંઢરાગી છે. તેણે વિચાર્યું કે શ્રી મહાવીરનાં ગુણોત્કીર્તન કરવાથી મને પીઠ ફલકાદિ મળી શકશે. આ ઇરાદાથી ગોશાલાએ કહ્યું : “હે સદાલપુત્ર, અહીં મહામાહણ, મહાગોપ, મહાસાર્થવાહ, મહાધર્મકથક અને મહાનિર્યામક આવ્યા હતા ?’' સદ્દાલપુત્રે પૂછ્યું, “દેવાનુપ્રિય, એવા કોણ છે?” ત્યારે ગોશાલાએ કહ્યું : “તેવા પ્રભુશ્રી મહાવીરદેવ છે.” શ્રાવક સદાલપુત્રે કહ્યું—“ક્યા Jain Education International For Private to3to કારણથી તે તેવી ઉપમાને લાયક છે?’' ગોશાલાએ કહ્યું ‘(૧) પ્રભુ મહાવીર અનંત જ્ઞાનાદિને ધારણ કરનારા ચોસઠ ઇંદ્રોને પણ પૂજ્ય છે અને અહિંસા ધર્મના પ્રખર ઉપદેશક છે, તેથી મહામાહણ કહેવાય છે. (૨) પ્રભુ મહાવીર જ્યાં કામાદિ ભયંકર શત્રુઓનો ત્રાસ વર્તી રહ્યો છે, એવી આ સંસાર અટવીમાં ભટકતા ભવ્ય જીવોરૂપી પશુઓને ધર્મરૂપી દંડે સીધા માર્ગે ચલાવે છે અને નિર્વાણરૂપી વાડાને પમાડે છે, માટે મહાગોપ કહેવાય છે. (૩) જેમ સાર્થવાહ, સાથેના માણસોને જંગલના ઉન્માર્ગે જતા અટકાવે અને ઇષ્ટ નગરે પહોંચાડે, તેમ પ્રભુ જીવોને વિષય– કષાયાદિ સ્વરૂપ ઉન્માર્ગે જતાં અટકાવે છે, અને મુક્તિરૂપ ઇષ્ટ નગરે પહોંચાડે છે. માટે મહાસાર્થવાહ કહેવાય છે. (૪) પ્રભુદેવ સન્માર્ગથી ખસી જતા ભવ્ય જીવોને શાંતિ ભરેલાં વચનો વડે સન્માર્ગમાં લાવે છે અને સંસાર સમુદ્રનાં પાર પમાડે છે, તેથી ધર્મકથક કહેવાય છે. (૫) ખલાસી જેમ નાવમાં બેસાડી નિર્વિઘ્નપણે સમુદ્રના કાંઠે ઇષ્ટ નગરે પહોંચાડે, તેમ પ્રભુદેવ ભવ્ય જીવોને ધર્મરૂપી હોડીમાં બેસાડી સંસારનો પાર પમાડે છે માટે મહાનિર્યામક કહેવાય.” ગોશાલાનાં આ વચનો સાંભળી સદ્દાલપુત્રે તેને પૂછ્યું, “હે દેવાનુપ્રિય, મારા ધર્માચાર્ય સર્વજ્ઞ પ્રભુ મહાવીરની સાથે તમે વાદ કરવા સમર્થ છો?’ ગોશાલાએ સ્પષ્ટ ના કહી. પછી સદ્દાલપુત્રે કહ્યું, “હે દેવાનુપ્રિય, તમે મારા ધર્માચાર્યના વખાણ કરો છો તેથી જ હું મારા પીઠ ફલકાદિ વાપરવાનું તમને નિયંત્રણ કરું છું, પરંતુ ધર્મ માનીને હું નિમંત્રણ કરતો નથી. તમે મારી કુંભકારની દુકાને જાઓ અને પીઠાદિને ગ્રહણ કરો.” ત્યારબાદ ગોશાલે તે પ્રમાણે કર્યું. પછી ગોશાલક આ સદ્દાલપુત્ર મહાવીર દેવનો પરમ દેઢ શ્રાવક છે, માટે હવે અહીં રહેવું ઉચિત નથી’’ એમ વિચારી બીજે સ્થળે ચાલ્યો ગયો. એક વખત સદ્દાલપુત્ર દેશવિરતિ ધર્મની આરાધના કરતાં ચૌદ વર્ષો વીત્યાં બાદ, આનંદ વગેરેની પેઠે પૌષધશાલામાં રહ્યા હતા. આ અવસરે ચુલ્લનીપિતાની જેમ તેમને દૈવિક ઉપસર્ગ થયો, તેમાં ફેર એટલો કે ચોથીવાર દેવે કહ્યું કે “જો તું આ ધર્મનો ત્યાગ નહિ કરે તો હું તારી આ અગ્નિમિત્ર સ્ત્રીને જરૂર હણીશ.” આ વચન સાંભળી સદ્દાલપુત્ર કોલાહલ કરી તે દેવને પકડવા ગયા, તેવામાં દેવ આકાશમાં ઊડી ગયો. આ કોલાહલ સાંભળીને અગ્નિમિત્રા આવી અને તેણીએ સત્ય બીના જણાવી સમાધાન કર્યું. અંતિમ સમયે મહાશ્રાવક સદ્દાલપુત્ર એક માસની સંલેખના કરવાપૂર્વક સમાધિમરણ પામી સૌધર્મ દેવલોકે અરુણાચલ વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy