SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ ७३४ આવીને મિથ્યાદુષ્કૃત આપ્યો. ધન્ય છે આવા મહાપુરુષોને કે જેઓ આવી ઊંચ કોટીને પામ્યા છતાં સત્ય વસ્તુ સમજાતાં નમ્ર બની ભૂલ ખમાવે છે. એ પ્રમાણે આનંદ શ્રાવક ૨૦ વર્ષ સુધી બહુ પ્રકારના શીલવ્રતાદિ ધર્મકૃત્યની આરાધના કરી, છેવટે એક માસની સંલેખમાં કાલધર્મ પામી સૌધર્મ નામના પહેલા દેવલોકના અરુણ નામના વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ શ્રાવકકુલમાં જન્મ પામી, અવસરે સંયમાદિની સાધના કરી સિદ્ધિપદ પામશે. વિશેષ બીના શ્રી ઉપાસકદશાંગ, વર્ધમાનદેશના, ઉપદેશપ્રસાદાદિ ગ્રંથોથી જાણી લેવી. ૨. શ્રી કામદેવ શ્રાવક ચંપાનગરીમાં કામદેવ નામના એક સગૃહસ્થ રહેતા હતા. તેમને ભદ્રા નામની સ્ત્રી હતી. અને તે અઢાર કરોડ સોનૈયાના સ્વામી હતા. તેમાં છ કરોડ સોનૈયા નિધાનમાં, છ કરોડ વ્યાજમાં અને છ કરોડ વ્યાપારમાં જોડાયેલા હતા. તે છ ગોકુલના અધિપતિ હતા. આ ચંપાનગરની નજીકમાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું, ત્યાં દેવાધિદેવ પ્રભુ મહાવીર પધાર્યા. આ ખબર સાંભળીને કામદેવ શ્રાવક ખુશ થયા. પ્રભુને વંદના નમસ્કાર કરી તેમણે પ્રભુની દેશના સાંભળીને જિનધર્મની ઉપર અડગ શ્રદ્ધા રાખીને આનંદ શ્રાવકની પેઠે પ્રભુદેવની પાસે બારે વ્રતો અંગીકાર કર્યાં. તે પ્રમાણે તેની સ્ત્રીએ પણ કર્યું અને બન્ને જણાં અપૂર્વ ઉલ્લાસથી વ્રતોની આરાધના કરી આત્માને નિર્મલ બનાવતા હતા. એક વખત ધર્મજાગરિકા કરવાના પ્રસંગે કામદેવને આનંદ શ્રાવકની જેમ વિચાર થયો, જેથી તેમણે પોતાના મોટા પુત્રને કુટુંબની સંભાળ રાખવાની ભલામણ કરીને પૌષધશાળામાં આવીને દર્ભના સંથારા ઉપર બેસી પ્રભુદેવનું ધ્યાન કરતાં આનંદ શ્રાવકની જેમ તે કામદેવ શ્રાવક પ્રતિમાવહન કરવા લાગ્યા. એક વખત તે ધ્યાનમાં બેઠા હતા તે વખતે સૌધર્મેન્દ્રે ત્યાં દેવસભા સમ્મુખ કામદેવના તપસ્યાદિ ગુણોની પ્રશંસા કરી. તે પર શ્રદ્ધા નહીં રાખનાર કોઈ દેવ તેની પરીક્ષા કરવા આવ્યો. તે દેવ દેવતાઈ શક્તિથી (વૈક્રિયલબ્ધિથી) ઘણાં ભયંકર રૂપો વિકુર્તીને “કામદેવ, જો તું ધર્મને છોડી નહીં દે તો આ તલવારના ઘા કરીને તારું જીવિત અકાળે હરી લઈશ' જેથી તું કુધ્યાનથી ઘણી પીડા ભોગવીશ.’’ આ પ્રમાણે તેણે વારંવાર કહ્યું તો પણ કામદેવ લગારે ડર્યા નહીં, કે ધર્મશ્રદ્ધાથી ચલાયમાન પણ થયા નહીં. ત્યારે તેણે ક્રોધથી લાલચોળ બનીને કામદેવને તલવારના ઝાટકા માર્યા, Jain Education International For Private ચતુર્વિધ સંઘ તો પણ તે ચલાયમાન થયા નહીં. ત્યારબાદ તેણે એક હાથીનું રૂપ વિક્ર્યું અને કામદેવને કહ્યું કે-“હે દાંભિક, હું તને સૂંઢમાં ભરાવીને અદ્ધર આકાશમાં ઉછાળીશ અને જ્યારે તું પાછો નીચે પડીશ ત્યારે પગ નીચે દબાવીને તને કચરી નાખીશ.” એમ કહીને ઘણીએ કદર્થના કરી તો પણ શ્રેષ્ઠી લગાર પણ ચલાયમાન થયા નહીં. ત્યારબાદ તે દેવે ભયંકર સર્પનું રૂપ કરીને કામદેવને ધમકી આપી : “એ વીર ધૂર્તના ધર્મને તું છોડી દે અને મને નમસ્કાર કર, નહીં તો હું તને ઘણા તીવ્ર ડંખ મારીને હેરાન કરીશ, જેથી તું રિબાઈ રિબાઈને મરણ પામીશ.” તોયે શેઠ ચલાયમાન થયા નહીં, ત્યારે તે સર્પે તેમના શરીરને ત્રણ ભરડા દઈને ગળે આકરા ડંખ માર્યા. આ વેદના પણ શેઠે આનંદપૂર્વક સહન કરી અને લગાર પણ ડગ્યા નહીં. તેથી તે દેવ થાક્યો અને છેવટે નમસ્કાર કરીને બોલ્યો : “હે ધર્મવીર, તમને ધન્ય છે. તમારી અડગ શ્રદ્ધાને મેં બરોબર તપાસી છે. આથી હું પણ પ્રભુ મહાવીરના ધર્મમાં અડગ શ્રદ્ધાળુ બન્યો છું. મારા ધર્મગુરુ તમે જ છો. સુખડના ઝાડની જેમ પરીષહો સહન કરીને તમે મને સમ્યગ્દર્શન રૂપી અપૂર્વ સુગંધ આપી તેથી હું તમારો ઉપકાર માનું છું. મારા કરેલા ગુના માફ કરજો.' એમ કહીને ત્રણ પ્રદક્ષિણા દઈને તેના ઉપકારને યાદ કરતો તે દેવ સ્વસ્થાને ગયો. ત્યારબાદ કામદેવ કાઉસગ્ગ પારીને પ્રભુ મહાવીરને વંદન કરવા ગયા, તે વખતે પ્રભુદેવે બારે પર્ષદાની સમક્ષ કામદેવને પૂછ્યું : “હે મહાનુભાવ, તેં આજ રાતે મહાભયંકર ત્રણ પરીષહો ધૈર્ય રાખીને સહન કર્યા, અને ધર્મધ્યાનમાં સ્થિરતા રાખી મેરુપર્વતની જેમ અડગપણે વ્રતો જાળવ્યાં, એ વાત સાચી છે?” કામદેવે કહ્યું : “પ્રભો, આપે કહ્યું તેમજ છે.” પછી પ્રભુએ આ બીના ગૌતમાદિક મુનીશ્વરોને જણાવીને સંયમમાં સ્થિર કર્યા. ત્યાં રહેલા સર્વ લોકોએ પણ કામદેવની ઘણી પ્રશંસા કરી. પ્રભુની ભવ્ય દેશના સાંભળીને કામદેવ શ્રાવક પોતાને ઘેર ગયા. તેમણે આનંદ શ્રાવકની માફક અગિયાર પ્રતિમાઓ વહન કરીને, વીશ વર્ષ સુધી શ્રાવકધર્મની આરાધના કરી અને અંતે એક મહિનાની સંલેખના આદરીને સમાધિમરણ પામી સૌધર્મ દેવલોકના અરુણાભ નામના વિમાનને વિષે તે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં ચાર પલ્યોપમના આયુષ્યનું સુખ ભોગવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ શ્રાવકકુલમાં જન્મ પામી ચારિત્રની આરાધના કરી સિદ્ધિપદ પામશે. ૩. શ્રી ચુલ્લનીપિતા વારાણસી નગરીમાં ચુલ્લનીપિતા નામે એક ગૃહસ્થ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy