SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૮ બુદ્ધિપૂર્વક વિચારીને પ્રત્યુત્તર આપ્યો : “હે દેવાનુપ્રિયે! આ સ્વપ્નો શુભ, મંગલમય અને સર્વશ્રેષ્ઠ છે. તમે એક ઉત્તમ, ગુણવાન, પરાક્રમી અને વિશ્વવંદનીય એવા પુત્રરત્નને જન્મ આપશો.'' ત્રિશલાદેવીએ આ સાંભળી પરિતોષ અનુભવ્યો ને હર્ષોલ્લાસ પૂર્વક સ્વસ્થાને ગયાં. યશોદા : વીર વર્ધમાનકુમારની સહધર્મચારિણી અને વસંતપુરના મહાસામંત સમરવીરની સુકન્યા. તદુપરાંત ગુણાલંકારયુક્ત ત્રિશલામાતાની પુત્રવધૂ. યશોદાદેવી વર્ધમાનકુમારને પોતાના ‘સ્વામી’ તરીકે પ્રાપ્ત કરીને ધન્ય ધન્ય બની ગઈ હતી. તેણે પોતાનું જીવન પતિના વિચારોને અનુરૂપ વિતાવ્યું હતું. યશોદાએ સમય જતાં એક કન્યારત્નને જન્મ આપ્યો, જેનું નામ પ્રિયદર્શના રાખવામાં આવ્યું હતું. ભોગાવળી કર્મ હોવાથી ભગવાને લગ્ન કર્યાં છતાં પણ એમનું મન તો ત્યાગ અને વૈરાગ્યસભર હતું. એમણે યશોદાને સંસારની અસારતા સમજાવી. ભગવાન પોતે રાજ્યવૈભવમાં લેશમાત્ર રસ લેતા ન હતા. તેમને વૈભવની કોઈ આસક્તિ કે મોહ ન હતો. સ્વામીની આ પ્રકારની પ્રવૃત્તિથી યશોદા પર અનન્ય પ્રભાવ પડ્યો અને વૈરાગ્ય ભાવનાનું બીજારોપણ થયું. ભગવાન મહાવીર દીક્ષા લેવા માટે નીકળ્યા ત્યારે યુદ્ધમાં વિજયશ્રીને વરવા જતાં પતિને આર્ય સ્ત્રી કુંકુમતિલક કરીને “મારા કેસરભીના કંથ હો, સિધાવોજી રણવાટ.'—કહીને ભાવભીની વિદાય આપે છે એ રીતે યશોદારાણીએ પોતાના સ્વામી દીક્ષા અંગીકાર કરવા માટે નીકળ્યા ત્યારે વિદાય આપતાં કહ્યું, “હે સ્વામી! આપ કર્મશત્રુઓ પર વિજય મેળવવા માટે સંસાર ત્યાગ કરો છો, તો આપનો માર્ગ નિષ્કંટક હજો.” પતિની આત્મકલ્યાણની ભાવનાને અનુસરીને યશોદાએ પણ ભૌતિક સુખ-સમૃદ્ધિનો ત્યાગ કર્યો. યશોદાનો આ મૂક ત્યાગ ભવ્ય અને ઉદાત્ત છે. જૈનસાહિત્યમાં યશોદાના જીવન વિશે કોઈ ચોક્કસ સંદર્ભ પ્રાપ્ત થતો નથી. ચરમ તીર્થંકર ભગવાનની ધર્મપત્ની વિશે કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે. ભગવંતની દીક્ષા વખતની યશોદાની મનઃસ્થિતિ અને દીક્ષા લીધા પછીનું યશોદાનું જીવન—એ વિશે કોઈ સંદર્ભ પ્રાપ્ત થતો નથી. જે કાંઈ માહિતી ઉપલબ્ધ થાય છે તે ઉપરથી એવું અનુમાન તારવી શકાય કે યશોદા ભગવાન સાથે રહીને ત્યાગપ્રધાન જીવન જીવી ગયાં અને શેષ વર્ષો આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં નિર્ગમન કર્યાં હશે. Jain Education International For Private ચતુર્વિધ સંઘ શ્રમણી પ્રિયદર્શના : વીર વર્ધમાન અને યશોદાની સુપુત્રી. શ્રી વર્ધમાનકુમારની બહેન સુદર્શનાના સુપુત્ર જમાલી સાથે પ્રિયદર્શનાનું પાણિગ્રહણ કરવામાં આવ્યું હતું. જમાલીના કુટુંબીજનો તે જમાનામાં અત્યંત વૈભવશાળી અને પ્રતિષ્ઠિત ગણાતા હતા. પ્રવ્રજ્યા બાદ એક વખત ભગવાન મહાવીર ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ક્ષત્રિયકુંડ નગરમાં પધાર્યા અને સમવસરણમાં બિરાજી દિવ્ય વાણીથી ઉપદેશ આપતા હતા. જમાલી–પ્રિયદર્શના સાથે પ્રભુની વાણી સાંભળવા આવ્યાં હતાં. પ્રભુના ઉપદેશથી વૈરાગ્યવાસિત બનીને, માતાની અનુજ્ઞા લઈને જમાલીએ પાંચસો પુરુષો સાથે અને પ્રિયદર્શનાએ ૧૦૦૦ સ્ત્રીઓ સાથે ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી. પ્રિયદર્શનાએ એક હજાર સાધ્વીના પરિવાર સાથે ચંદનબાળાની નિશ્રામાં ૧૧ અંગ સુધીનો અભ્યાસ કર્યો અને તપશ્ચર્યામાં પુરુષાર્થ આદર્યો. એક વખત જમાલી પાંચસો શિષ્યોના પરિવાર સાથે શ્રાવસ્તી નગરીના કોષ્ટક ઉદ્યાનમાં પધાર્યા. જમાલીનું શરીર કઠોર તપ અને સાધનાથી અત્યંત કુશ થઈ ગયું હતું. તેણે શિષ્યોને આદેશ કર્યો, “હે દેવાનુપ્રિય! સંથારો તૈયાર કરો.” ત્યારે શિષ્યોએ સંથારો પાથરવાની ક્રિયા પૂર્ણ થયાં પહેલાં જ પ્રત્યુત્તર આપ્યો કે “સંથારો કરી દીધો છે.’” જમાલીને આ કથન અસત્ય લાગ્યું કારણ કે સંથારાની ક્રિયા થઈ રહી છે, છતાં થઈ ગઈ એમ કેમ કહેવાય? આ વાતથી એ ભગવાનના સંઘથી છૂટા થઈ નવો મત સ્થાપ્યો. કેટલાક શિષ્યો જમાલીના મતમાં ભળીને એમની સાથે રહ્યા અને બાકીના મહાવીરસ્વામી પાસે રહ્યા. પ્રિયદર્શનાએ પણ સંથારાના પ્રસંગની ચર્ચા સાંભળીને જમાલીના મતનો સ્વીકાર કર્યો. એક વખત સાધ્વી પ્રિયદર્શના ઢંક નામના કુંભાર જાતિના વાડામાં ઉતર્યાં હતાં, ત્યારે આ શ્રદ્ધાળુ શ્રાવકે સાધ્વી પ્રિયદર્શનાના મિથ્યા ભ્રમને દૂર કરવા માટે માટીનો ઢગલો કરીને ગુપ્ત રીતે એક તણખલું સળગાવીને સાધ્વી પર નાખ્યું. પ્રિયદર્શનાનું વસ્ત્ર સળગવા લાગ્યું, એટલે એ કહેવા લાગ્યા : “હે ઢંક શ્રાવક, તું શું કરે છે? મારું વસ્ત્ર બળી ગયું.'' ઢંકે પ્રત્યુત્તર આપ્યો કે, “તમે અસત્ય વચન બોલો છો. તમારા મતાનુસાર તો વસ્ત્ર બળીને ખાખ થઈ જાય પછી જ બળી ગયું છે એમ કહેવાય.” આ સાંભળીને પ્રિયદર્શનાનો ભ્રમ ભાંગી ગયો અને શુદ્ધ બુદ્ધિ ઉત્પન્ન થતાં સર્વજ્ઞની વાણીમાં શ્રદ્ધા દેઢ થઈ ગઈ. ત્યાર પછી જમાલીને છોડી ભગવાન મહાવીરના Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy