SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા રાજાની રાણી. પૂર્વ ભવમાં દેઢરથ રાજાએ ન્યાયપૂર્વક રાજ્ય ઉપાર્જન કરીને અંતે દીક્ષા લીધી હતી. સંયમની અપૂર્વ આરાધનાથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરીને દેવલોકમાં ગયા. ત્યાંથી સુવ્રતા માતાના ગર્ભમાં આવ્યા. ભગવાનનો જીવ ગર્ભમાં આવ્યો ત્યારે માતાની ભાવના ધર્મ કરવાની હતી એટલે પુત્રજન્મ થયા પછી ધર્મકુમાર નામ રાખવામાં આવ્યું. દીક્ષા લીધા પછી ધર્મકુમારને બે જ વર્ષમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. માતા આરાધના કરીને આયુષ્ય પૂર્ણ થતાં સનતકુમાર દેવલોકમાં ગયાં. ૨૦. અચિરાદેવી : સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનની માતા અને હસ્તિનાપુરના રાજા વિશ્વસેનની મહારાણી. મેઘરથ રાજા પૂર્વ ભવમાં જીવદયાનું પાલન કરીને અપૂર્વ આરાધનાથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરીને અંતે દેવલોકમાંથી અચિરા માતાની કુક્ષિએ ગર્ભરૂપે આવ્યા હતા. હસ્તિનાપુરમાં મરકીનો રોગ ફેલાયો હતો, તેનું નિવારણ શાંતિનાથ ભગવાનના જન્મ પછી થયું હતું. એટલે પુત્રનું નામ શાંતિનાથ પાડવામાં આવ્યું હતું. શાંતિકુમારે દીક્ષા લઈને કઠોર સાધનાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને અંતે મોક્ષે સિધાવ્યા. અચિરાદેવી માતા ધર્મારાધના કરીને આયુષ્ય પૂર્ણ થતાં સનતકુમાર દેવલોકમાં ગયાં. ૨૧. શ્રીદેવી : શ્રી કુંથુનાથ ભગવાનની માતા અને હસ્તિનાપુરના રાજા સુરની મહારાણી. સિંહાવહ નામના પૂર્વભવમાં દીક્ષા અંગીકાર કરીને ઉત્કૃષ્ટ તપ અને વીશસ્થાનક તપની વિશુદ્ધ આરાધનાથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. દેવલોકમાંથી આવીને ભગવાનનો આત્મા શ્રીદેવીના ગર્ભમાં આવ્યો. માતાએ ગર્ભાવસ્થા દરમ્યાન કુંથુ નામનાં રત્નોનો સમૂહ સ્વપ્નમાં નિહાળ્યો તેથી પુત્રરત્નનો જન્મ થતાં કુંથુનાથ નામ પાડવામાં આવ્યું. કુંથુનાથ ચક્રવર્તી રાજા પણ હતા. એટલે શ્રીદેવીને ચક્રવર્તી રાજાની માતાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું હતું. રાજ્યનો ત્યાગ કરીને કુંથુનાથે દીક્ષા લઈને અપૂર્વ ધર્મસાધના કરીને, કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થ સ્થાપ્યું અને અંતે મોક્ષે સિધાવ્યા. શ્રીદેવી માતા ધર્મધ્યાનની પ્રવૃત્તિ કરીને આયુષ્ય પૂર્ણ થતાં ચોથા મહેન્દ્ર દેવલોકમાં સિધાવ્યાં. ૨૨. મહાદેવી : અઢારમા તીર્થંકર શ્રી અરનાથ ભગવાનની માતા અને હસ્તિનાપુરના રાજા સુદર્શનની ગુણિયલ મહારાણી. પૂર્વે સુસીમા નગરીમાં ધનપતિ રાજાના ભવમાં રાજ્યની જવાબદારી હોવા છતાં અંતરની શુભ ભાવનાથી જૈન ધર્મ પ્રત્યે પ્રેમ ઉદ્ભવ્યો હતો. ત્યાર પછી સંવર નામના Jain Education International For Private ૬૩૫ આચાર્યના ઉપદેશથી પ્રતિબોધ પામીને દીક્ષા સ્વીકારી હતી. અપૂર્વ ઉલ્લાસથી સંયમની આરાધના કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. દેવલોકમાંથી આવીને ભગવાનનો આત્મા મહાદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. મહાદેવી માતાએ ગર્ભકાળ દરમ્યાન ‘આરાચક્ર’ સ્વપ્નમાં જોયું હતું, એટલે પુત્રરત્નનો જન્મ થતાં અરનાથ નામ રાખવામાં આવ્યું હતું. દીક્ષા લીધા પછી ત્રણ વરસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તીર્થસ્થાપના કરીને અંતે નિર્વાણ પામ્યા. માતા મહાદેવીએ ધર્મધ્યાનની પ્રવૃત્તિ, મન, વચન અને કાયાના શુભયોગથી કરીને આયુષ્ય પૂર્ણ થતાં ચોથા મહેન્દ્ર દેવલોકમાં સિધાવ્યાં. ૨૩. પ્રભાવતી : ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાનની માતા અને મિથિલાના કુંભ રાજાની રાણી. મહાબલ રાજાના પૂર્વભવમાં તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. ચોથા અનુત્તર વિમાનમાંથી આવીને ભગવાનનો આત્મા પ્રભાવતી માતાના ગર્ભમાં ઉત્પન્ન થયો. ગર્ભકાળના ત્રણ મહિના પછી માતાને એવો દોહદ ઉત્પન્ન થયો કે એ માતાઓને ધન્ય છે કે જેઓ પંચવર્ણયુક્ત સુવર્ણશય્યા પર શયન કરે છે. ગર્ભકાળ પૂર્ણ થતાં માતાએ કન્યારત્નને જન્મ આપ્યો. પુષ્પશય્યાના દોહદને કારણે પુત્રીનું નામ ‘મલ્લિ’ પાડવામાં આવ્યું. મલ્લીકુમારીએ દીક્ષા ગ્રહણ કરીને ચારિત્રની અપૂર્વ આરાધનાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને અંતે મોક્ષે સિધાવ્યાં. મલ્લીકુમારીને વિશિષ્ટ કોટિનું જ્ઞાન હતું એટલે મલ્લી ભગવતી નામથી પ્રસિદ્ધિ પામ્યાં હતાં. માતા પ્રભાવતી ધર્મધ્યાન કરીને આયુષ્ય પૂર્ણ થતાં ચોથા મહેન્દ્ર દેવલોકમાં ઉત્પન્ન થયાં. મલ્લીનાથ ભગવાને સ્ત્રીયોનિમાં જન્મ પ્રાપ્ત કરીને તીર્થંકરપદ પ્રાપ્ત કર્યું હતું. તેમનો ઉલ્લેખનીય પ્રસંગ નીચે પ્રમાણે છે : મહાબલ રાજાના પૂર્વભવમાં ધર્મઘોષ મુનિના ઉપદેશથી પ્રતિબોધ પામીને રાજાએ પોતાના ૬ મિત્રો સાથે દીક્ષા લીધી હતી. દીક્ષા પછી વિહાર કરીને તપની આરાધના કરી અને એવો વિચાર કર્યો કે, બધા મિત્રો એકસરખા તપની આરાધના કરીએ તો પુનર્જન્મમાં સાથે જ રહેવા મળે. નિયમ પ્રમાણે દરેક જણે એકસરખી તપશ્ચર્યા કરી પણ મહાબલ મુનિએ તપસ્યા ચાલુ રાખીને વીશસ્થાનક તપ કર્યું. આમ, કપટપૂર્વક માયાથી તપ કરવાને કારણે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરવા છતાં સ્ત્રીવેદનું નિકાચિત કર્મ બાંધ્યું. પરિણામસ્વરૂપે, તીર્થંકર થવાના હોવા છતાં સ્ત્રીનો અવતાર ધારણ કરવો પડ્યો. પ્રભાવતી માતા Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy