SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા Solo ૨૯ળીશ્રયીના સાધકો સકલ વિશ્વનાં દુર્લભ અને મહામૂલાં ત્રણ રત્નો એટલાં સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આ પાવન રત્નત્રયીને પામવા સકલ સંસારનો ઘાસના તણખલાની જેમ ત્યાગ કરીને સર્વસંગત્યાગનું ભીષ્મ પરાક્રમ આદરનારાં શ્રમણ અને શ્રમણી ભગવંતો જૈન સંઘની શોભા છે. રત્નત્રયીની સાધનાનો મહાયજ્ઞ માંડી અનેક ભવોમાં સંચિત કર્મરાશિનું દહન કરી રહેલાં આ સંયમીઓ શ્રાવકસંઘ માટે પણ એક ઊચ્ચ આદર્શ છે. નાસ્તિકતાનો પ્રસાર કરનારા પરિબળોનો રાફડો ફાટ્યો છે ત્યારે આ સાધકવર્યો સમ્યગ્દર્શનનાં દિવ્ય અજવાળાં સર્વત્ર પાથરી રહ્યાં છે. મિથ્યાજ્ઞાનનો મહિમા ચોમેર પ્રસરેલો છે તે કાળમાં આ શ્રતોપાસકો સમ્યક જ્ઞાનના તારક તેજદ્વારા મોહ અને અજ્ઞાનનાં અંધારાં જનગણમાંથી ઉલેચી રહ્યા છે, અને સમ્યક ચારિત્રની પ્રખર સાધના દ્વારા આ ચારિત્રધરો સ્વ–પરના કલ્યાણના સુપેરે સાધી રહ્યા છે. વંદન હો એ રત્નત્રયીનો આરાધકોને! શ્રી પાર્જચંદ્રગચ્છના પ્રભાવક શ્રમણભગવંત સારા વિચારક અને અભ્યાસી હતા. શિથિલાચારના વિરોધી અને સત્યના શોધક એવા હેમરાજભાઈએ ધર્મક્ષેત્રમાં ક્રાંતિ આણવાનો મંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજી ગણિવર પણ સંકલ્પ કર્યો. સંવેગી દીક્ષા લઈ શુદ્ધ માર્ગને દઢ કરવાની વિક્રમની વીસમી શતાબ્દીમાં જૈન ધર્મે વિશાલ પાયા પર તેમની વાતોને કોરશીભાઈ વગેરે અન્ય મિત્રોએ ઝીલી લીધી. કાયાપલટ કરી. સુષુપ્તિ, શિથિલતાના અંધકારમાંથી જૈનસંઘ હેમરાજભાઈએ એવું પણ નક્કી કરેલું કે પાંચમની સંવત્સરી બહાર આવ્યો. એ સમયને “સંધિકાળ' કહી શકાય. જૈનસંઘના કરતા હોય તથા સફેદ વસ્ત્ર ધારણ કરતા હોય એવા ગુરુ પાસે દરેક ગચ્છમાં આ સમયે સંવેગમાર્ગને પ્રબળ વેગ આપનાર જ દીક્ષા લેવી. પાંચ મિત્રોની આ મંડળી ભાગીને પાલિતાણા મુનિવરો પાક્યા, જેમણે જુદા જુદા વિસ્તારોમાં નવજાગૃતિ ઊભી પહોંચી. ત્યાં બિરાજમાન પાર્જચંદ્રગચ્છના શ્રીપૂજ્ય શ્રી કરી. કચ્છ અને કાઠિયાવાડના પ્રદેશમાં આ જાગૃતિ લાવવાનું હર્ષચંદ્રસૂરિજી પાસે તેઓને દીક્ષા લેવી હતી, પણ ત્યાં પહોંચ્યા કાર્ય જાણે કે પૂ. શ્રી કુશલચંદ્રજી મહારાજને સોંપાયું હતું. પછી ખબર પડી કે તેઓશ્રી વડીલોની રજા વિના દીક્ષા નહીં કચ્છમાં ધર્મવિષયક નવજાગરણનું શ્રેય આ મહાત્માને ફાળે જ આપે. શ્રી કલ્યાણવિમલ નામે મુનિરાજની સલાહ મુજબ અંતે જાય છે. શ્રી પાર્થચંદ્રના ઇતિહાસમાં તેઓશ્રીનું સ્થાન વિશિષ્ટ સ્વયં સાધુવેશ ધારણ કરી તળેટીએ બેસી ગયા. સંઘના છે કારણ કે તે લુપ્ત થયેલી સુવિહિત મુનિપરંપરાને તેઓશ્રીએ અગ્રણીઓને ખબર પડી. તેઓની દઢતા જોઈને તેઓને સ્વીકારી સજીવન કરી, કચ્છ-કાઠિયાવાડ-હાલારના પ્રદેશમાં, ગચ્છના લેવાની શ્રીસંઘે શ્રી હર્ષચંદ્રસૂરિજી મહારાજને વિનંતી કરી. ભેદ વગર, તેઓશ્રીની નિર્મળ સાધુતાનો એવો પ્રભાવ વિસ્તર્યો આમ, સં. ૧૯૦૭માં આ મુમુક્ષુઓની દીક્ષા થઈ, અલબત્ત, કે જુદા જુદા ગચ્છના યતિઓ પણ તેમનો આદર કરતા. તેઓશ્રી | સંવેગી દીક્ષા જ. પાછળથી ખબર પડતાં જ વડીલો આવ્યા. પદવીધારક ન હોવા છતાં પાર્થચંદ્રગચ્છ અને કચ્છની જૈન પાલિતાણાના દરબાર પાસે ફરિયાદ થઈ. નવદીક્ષિતોને ચલિત જનતાએ તેમને “મંડલાચાર્ય', ‘ગણિવર' જેવી માનવાચક કરવા માટે જેલની કોટડીમાં પૂરવામાં આવ્યા, ભૂખ્યા રખાયા, પદવીથી નવાજ્યા. છતાં કોઈનો નિશ્ચય ડગ્યો નહીં. છેવટે દરબારે વડીલોને તેમની જન્મભૂમિ : કોડાય (તા. માંડવી, કચ્છ). પિતા : શ્રી ઇચ્છા મુજબ છોકરાઓને પાછા લઈ જવાની રજા આપી. અંતે જેતશીભાઈ. માતા : શ્રી ભમઈબાઈ. જન્મ સં. ૧૮૮૩. બે જણને સંમતિ મળી. ત્રણને તેમના વડીલો પાછા લઈ ગયા. સંસારીનામ-કોરશીભાઈ. કોડાયના જ તેમના એક સમવયસ્ક હેમરાજમાઈને પાછા ફરવું પડ્યું. કોરશીભાઈ અને બીજા એક મિત્ર હેમરાજભાઈના સમાગમથી કોરશીભાઈને વૈરાગ્યનો રંગ મિત્ર દીક્ષામાં રહ્યા અને કોરશીભાઈનું નામ પડ્યું કુશલચંદ્રજી. લાગ્યો. બીજા થોડાક મિત્રો પણ એમાં ભળ્યા. હેમરાજભાઈ શ્રી હર્ષચંદ્રસૂરિ એક સમર્થ વિદ્વાન હતા. યતિ આચાર્ય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy