SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૪ ત્રણે બહેનો પૂજ્યશ્રીજીનાં પ્રવચનથી વૈરાગી બની. સ્નેહલતા પ.પૂ. પ્રવર્તિનીરના સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નાં શિષ્યા, પ.પૂ.સા. શ્રી સંયમરત્નાશ્રીજી મ.સા. બન્યાં અને શ્રીમતી અને વર્ષાબહેન પોતાની બહેન મ.સા. ૫.પૂ. સા. શ્રી સંયમરત્નાશ્રીજી મ.સા.નાં શિયા, પ.પૂ. સા. શ્રી શીલરત્નાશ્રીજી મ.સા., પ.પૂ. સા. શ્રી વિવેકદર્શિતાશ્રીજી મ.સા. બન્યાં. ત્યાર બાદ એમના સંસારીભાઈ પ્રકાશભાઈ ભેમાણીના પુત્ર શ્રેયાંસ અને કુ. પિંકી પણ વૈરાગ્યથી વાસિત બન્યાં અને સંયમ લઈ શ્રેયાંસકુમારે પ.પૂ. યુગચંદ્ર વિ. મ.સા.ના ચરણે જીવન સમર્પિત કર્યું અને પિંકી કુમારી પોતાનાં ફઈ મ.સા. ૫.પૂ. સા. શ્રી વિવેકદર્શિતાશ્રીજી મ.સા.નાં શિષ્યા, ૫.પૂ. સા. શ્રી દેશનાનિધિ મ.સા. બન્યાં અને એમના સંસારીબહેનની દીકરી કુ. અલ્પા પણ વેરાગી બનીને પોતાનાં માસી મ.સા. ૫.પૂ. સા. શ્રી વિવેકદર્શિતાશ્રીજી મ.સા.નાં શિષ્યા પ.પૂ. સા. શ્રી આત્મનિધિ મ.સા. બન્યાં અને એ અમૃતલાલ ભેમાણીના સાઢુભાઈ જેશીંગલાલ ચૌથાલાલ મેપાણીનાં દીકરી મધુમતી પણ વૈરાગ્ય પામી. ૫.પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના શિષ્યો ૫.પૂ. સા. શ્રી મોક્ષરત્નાશ્રીજી મ. થયાં. (૩) પ.પૂ.સા.શ્રી મંદિરનાશ્રીજી મ.સા, પ.પૂ. સા. શ્રી ગુપ્તિરનાશ્રીજી મ.સા. રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલ મંડવારિયા ગામના રહેવાસી શા. છગનલાલજી પ્રતાપચંદજીનાં સુપુત્રી ઇન્દ્રાબહેન અને રસીલાબહેનને નાની ઉંમરમાં પૂ. ગુરુ ભગવંતોના મુખેથી જિનવાણીનું પાન કરતાં વૈરાગ્ય ભાવ પ્રગટ્યો. એમાં પૂ.સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નો સત્સંગ થતાં, તેમના ચરણે જીવન સમર્પિત કર્યું. ઇન્દ્રાબહેન ૫.પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નાં શિષ્યા ૫.પૂ. સા. શ્રી નંદિરત્નાશ્રીજી મ.સા. બન્યાં અને રસીલાબહેન પોતાના બહેન મ. પ.પૂ. સા.શ્રી મંદિરનાશ્રીજી મ.સા.નાં શિષ્યા પ.પૂ. સા. શ્રી ગુપ્તિરત્નાશ્રીજી મ.સા. બન્યાં. (૪) પ.પૂ. સા. શ્રી ચેતોદશિતાશ્રીજી મ.સા. તથા પ.પૂ. સા.શ્રી કલ્યરક્ષિતાશ્રીજી મ.સા. રાજસ્થાનમાં આવેલ તીર્થોમાં જગપ્રસિદ્ધ જીરાવલા તીર્થની બાજુમાં આવેલ દાંતરાઈ ગામના વતની શા. પુખરાજજી કાનાજીના એકની એક સુપુત્રી શ્રી શાંતિબહેનને નાનપણથી જ ધર્મભાવના હતી. એમાં પૂ. ગુરુદેવનો ભેટો થતાં વૈરાગ્યભાવથી ચતુર્વિધ સંઘ વાસિત બની. પ.પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નાં શિષ્યા ૫.પૂ.સા. શ્રી ચેતોદર્શિતાશ્રીજી મ.સા. થયાં. ત્યારબાદ તેમનાં સંસારી માસી હસુબહેન સમરથમલજીનાં દીકરી કંચનબહેનને પણ વૈરાગ્યભાવ જાગ્રત થતાં કરેલા સગપણને છોડીને પ.પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નાં શિષ્યા પ.પૂ. સા. શ્રી કલ્પરણિતાશ્રીજી મ.સા. બન્યાં. (૫) પ.પૂ. સા.શ્રી ઉધોતદર્શનાશ્રીજી મ.સા. તથા પ.પૂ. સા.શ્રી શ્રેયોરત્નાશ્રીજી મ.સા. રાજસ્થાન પ્રાન્તમાં સિરોહી જિલ્લામાં આવેલ દાંતરાઈ નગરમાં વસતા શા. ધૂપચંદજી વાલાજીનાં સુપુત્રી ઉષાબહેનની નાનપણમાં જ સગાઈ કરેલ પણ ત્યાર બાદ ગુરુ ભગવંતના પરિચયમાં આવતાં વૈરાગ્યભાવ પ્રગટ્યો તેથી સંયમની ભાવના થઈ અને માતા-પિતાની આજ્ઞા મેળવી પ.પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના ચરણે જીવન સોંપી પ.પૂ. સા. શ્રી ઉદ્યોતદર્શનાશ્રીજી મ.સા. રૂપે સંયમ સાધના કરવાં લાગ્યાં. ત્યાર બાદ તેમના સંસારી કાકા શા. સમરથમલજીનાં સુપુત્રી રેખાકુમારીને પણ પૂ. ગુરુવર્યોના સત્સંગથી વૈરાગ્ય ભાવ પ્રગટતાં. તેઓ પણ સંયમ સ્વીકારી પ.પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નાં શિષ્યા પ.પૂ. સા. શ્રી શ્રેયોરત્નાશ્રીજી મ.સા. બન્યાં. (૬) પ.પૂ. સા.શ્રી ચન્દ્રદર્શનાશ્રીજી મ.સા, પ.પૂ, સા.શ્રી કલ્યાણરમાશ્રીજી મ.સા. આબુની પાસે સ્વરૂપગંજ સ્ટેશનની નજીકમાં આવેલ રોહિડા ગામના વતની શા. મિસરીમલજી અચલદાસજીની એકની એક સુપુત્રી સાધનાકુમારી જેઓને શ્રાવક જીવનના કર્તવ્ય સમા ઉપધાન તપ કરતાં સંયમની ભાવના થઈ. એમાં પૂ.સા. ભગવંતના પરિચય દ્વારા એ ભાવના પ્રબળ થઈ અને માતાપિતા વગેરે પરિવારની અનુમતિ મેળવી પૂ.સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના ચરણે પ.પૂ. સા. શ્રી ચન્દ્રદર્શનાશ્રીજી મ.સા. રૂપે જીવન સમર્પિત કર્યું. એમની દીક્ષાના દિવસે જ એમના સંસારી બનેવી શા. મીઠાલાલજીએ પણ ખંભાત મુકામે સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ. આ. ભગ. શ્રી વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે સંયમ સ્વીકારી તેમના જ શિષ્ય પ.પૂ. પ્રીતિવર્ધન વિ.મ.સા. બન્યા, જેઓ મોટી ઉંમરમાં સંયમ લેવા છતાં સંયમની સુંદર સાધના કરી રહ્યા છે. ત્યાર બાદ પૂ.સા. ચન્દ્રદર્શનાશ્રીજી મ.સા.ના મોટા પિતાશ્રી શા. છગનલાલજી અચલદાસજીનાં સુપુત્રી એવં શા. પ્રવીણકુમારજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy