SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા 463 વૈશાખ સુદ પાંચમનો. જ્ઞાન-ધ્યાનમાં રંગાયેલા તે મુનિરાજ મુંબઈ-મુલુંડમાં સંવત ૨૦૩૪-માં સૂરિપદવી પામ્યા. તે જ વરસથી સૂરિમંત્રની આરાધના શરૂ કરી. સળંગ પચ્ચીસ વરસોથી તે આરાધના કરી રહ્યા છે. એમનાં આપેલાં મુહૂર્તો અજોડ અને સર્વમાન્ય ગણાય છે. દેશ-વિદેશમાં હવે એમનાં મુહૂર્તો જાય છે. એમનાં આપેલ મુહૂર્વે થયેલાં શાસનકાર્યો અજોડ અને અદ્વિતીય બન્યાં છે. ભોળા–ભદ્રિક, સમતાના સાગર આ મહાત્માને ચોથા આરાના સાધુનું બિરુદ મળ્યું છે. બધા એમને ‘દાદા’ના હુલામણા નામે બોલાવે છે. સદાયે હસતા આ મહાત્મા બધાના પ્રીતીપાત્ર બન્યા છે. બધા જ એના પૂજક છે. સંયમી બનેલા બે પુત્રોની સંયમ સાધના દેખી પિતાશ્રી ચિમનભાઈનું હૈયું આનંદ પામે છે. અને એમનું મન સંસારમાંથી વિરક્ત બને છે. દીકરાઓએ સંયમ લીધું હોય તેમાં મારા આત્માનું શું? મારે મારા આત્માનો ઉત્કર્ષ કરવો હોય તો મારે જાતે જ સંયમી બનવું જોઈએ. વિરાગી બનેલા ચિમનભાઈ ચોસઠ વરસની જૈફ વયે મુંબઈ મુકામે પૂજ્ય આ. શ્રી વિ. વિજ્ઞાનસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી પ્રસન્નચંદ્રવિજયજી બન્યા. ધન્ય દિવસ હતો સંવત ૨૦૧૪ અષાડ સુદ ત્રીજનો. નામ જેવા જ ગુણો ધરાવતા સદાયે પ્રસન્નચિત્ત રહેતા તે મુનિરાજ સમગ્ર સમુદાયના પ્રીતિપાત્ર બન્યા. જીવનની ઢળતી સંધ્યાએ મળેલા મહામૂલા સંયમને ખૂબ વફાદાર રહ્યા. સંયમસાધના તો સાત જ વરસ ચાલી પરંતુ જાણે સિત્તેર વરસના સંયમધર હોય એ રીતે જીવ્યા. મૃત્યુની છેલ્લી મિનિટ સુધી પૂરેપૂરી સમતા અને સાધનામાં લીન રહ્યા. અપાર અશાતાની વચ્ચે ભરપૂર સમતામાં રમતા રહ્યા. જોનારા ‘અહો!’ થઈ જતા. મૃત્યુશય્યા પર પોઢેલા મહાત્માની સહુ અનુમોદના કરતા અને બોલતા, “ધન્ય મુનિ! ધન્ય તમારું જીવન! હે પ્રભુ! અમને પણ આ મહાત્મા જેવું સમાધિમૃત્યુ આપજે.” અપાર સમતા અને સમાધિ વચ્ચે પિતામુનિએ જીવનલીલા સંકેલી લીધી. આ મુનિરાજ જગતને જીવવાની અને મરવાની રીત શીખવી ગયા. દિવસ હતો સંવત ૨૦૨૧ મહાવદ ૧૧નો ગામ હતું ખંભાત. ત્યારબાદ સંવત ૨૦૨૫માં ૫. પૂ. આચાર્યદેવશ્રી કસ્તૂરસૂરીશ્વરજી મ.સા. તથા સંયમી બંધુબેલડી શ્રી ચંદ્રોદયવિજયજી તથા શ્રી અશોકચંદ્રવિજયજી સુરત પધાર્યા. કુટુંબના વડીલ શ્રી શાંતિભાઈના દીકરા હેમંતકુમાર ઉ. વ. ૧૨ તથા દીકરી નયના ઉ.વ. ૧૪ને કાકા મહારાજનાં પગલેપગલે ચાલવાના કોડ જાગ્યા. હજી તો માનું દૂધ હોઠ પરથી સૂકાયું નથી એવાં નાનાં નાનાં બાલુડાંઓને દીક્ષાની રજા કેમ અપાય? પરંતુ જન્માંતરના આરાધક અને ભાઈ-બહેનની મક્રકમતા જોઈ કુટુંબીજનોએ પ્રેમથી રજા આપી. ખૂબ જ ધામધૂમપૂર્વક દીક્ષા થઈ. ભાઈ બન્યા મુનિરાજ શ્રી અશોકચંદ્રવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી સોમચંદ્રવિજયજી અને બહેન પં. પૂ. સાગરાનંદસૂરીશ્વરજી મ.નાં આજ્ઞાવર્તિની સાધ્વીજી શ્રી તિલકશ્રીજી મ.સા. ના શિષ્યા, સાધ્વીશ્રી મૃગેન્દ્રશ્રીજીનાં પ્રથમ શિષ્યા, પૂ. સંવેગશ્રીજીનાં શિષ્યા, પૂ. પ્રશમશ્રીજીનાં શિષ્યા પૂ. નિર્વેદશ્રીજીનાં શિષ્યા, પૂ. પ્રશાંતશ્રીજીનાં ગુરુબહેન પૂ. યશસ્વિનીશ્રીજી બન્યાં. સંવત ૨૦૨૫ ના માગશર વદ ત્રીજનો એ દિવસ ધન્ય બન્યો. મુનિરાજશ્રી સોમચંદ્રવિજયજી અગિયાર વરસથી સંયમ સાધનાના અંતે વ્યાકરણાચાર્ય બન્યા. સંવત ૨૦૫૨માં પોતાની જન્મભૂમિ સુરતમાં આચાર્ય પદવી પામ્યા. બહુમુખી પ્રતિભા ધરાવતા તે સૂરિરાજે જિનશાસનમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ બે દીક્ષા થયા પછી એમ લાગતું હતું કે સંઘવી પરિવારમાં હવે સંયમનાં દ્વાર બંધ થઈ ગયાં છે. અઠ્ઠાવીસ વરસોનાં વહાણાં વાયાં, પણ સંઘવી કુટુંબમાંથી કોઈ દીક્ષાર્થી નીકળ્યો નહીં. ત્યાં જ અચાનક કમળાબાના સહુથી નાના દીકરા જયંતીભાઈને (ઉ.વ. ૬૮) સંયમના કોડ જાગ્યા. કુટુંબીઓને વાત જણાવી ધર્મપત્ની શ્રીમતી મંજુલાબહેન રડતી આંખે પણ મક્કમ મનથી રજા આપતાં બોલ્યાં કે પતિનાં પગલે ચાલવું એ આર્યનારીનો ધર્મ છે.' પરંતુ તમને સંયમ માર્ગે જતાં મારાથી અંતરાય કેમ થાય? “ભલે પધારો! સ્વામીનાથ.” “સુખી છું હું કે દુઃખી છું હું કે Jain Education International મારા સ્વામી જગતવંધ બનશે આવી શકું ના તમ સાથે. “ભલે પધારો સ્વામીનાથ! કોઈ જનમમાં ભેગા થાવ તો મને તારી લેજો.” એકનો એક લાડકો દીકરો નીકેશ–પ્રેમાળ પુત્રવધૂ રાગિણી અને ખૂબ જ સમજુ અને શાંત દીકરી મીનાએ પિતાના માર્ગમાં અંતરાય ન કરતાં રડતી આંખે પણ મક્કમ મને રજા For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy