SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ માત્ર ૧૨ વર્ષની ઉંમરે સંયમી બનેલા અને ૩૭ વર્ષની યુવા વયે સૂરિવર બનેલા આ નૂતન આચાર્યશ્રીએ પોતાના ૩૦ વર્ષના સંયમપર્યાયમાં જિનશાસનનાં અનેક ઉજ્વળ કાર્યો પૂરાં કર્યા છે. આ આચાર્યશ્રીની પુણ્યાઈ અને પ્રેરણાના પ્રતાપે જે ઉત્તમ કાર્યો થયાં તે આ પ્રમાણે :-પાલિતાણામાં ‘નિત્યચંદ્રદર્શન' ધર્મશાળા અને તેમાં ભોજનશાળા, ઉપાશ્રય અને જિનાલયનું નિર્માણ થયું. સુમેરપુરમાં શ્રી દર્શનવિહાર ધામનું નિર્માણ થયું. મુંબઈ હરકિશન હૉસ્પિટલમાં સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ માટે ડિલક્ષ વ્યવસ્થા થઈ. ઠાકુરદ્વાર, મુંબઈમાં ભોજનશાળા-ર્મશાળા થઈ. નાકોડાજી તીર્થમાં આલિશાન ધર્મશાળા-ભોજનશાળા થઈ. શંખેશ્વરથી નાકોડાજી છ'રીપાલિત સંઘ આયોજિત થયો. મુંબઈ કાંદિવલીમાં દિવ્યાનંદ જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટનું વિશાળ ભવનનિર્માણ, વતન આદરિયાણામાં જૈન જ્ઞાનશાળાનું નિર્માણ, અમદાવાદમાં જૈન જ્ઞાનમંદિરનું નિર્માણ, મુંબઈ, ભાયખલા ચતુર્વિધ સંઘ પોલીસચોકી સામેના ચાર રસ્તાને ‘દર્શનસાગરસૂરિજી ચોક' નામ સ્થાપન કરાવ્યું. આમ શાસન, ધર્મ અને સમાજને ઉપયોગી કાર્યો કરાવીને એક ઉત્તમ સત્કાર્યશૃંખલાનું સર્જન કરી દીધું છે. વર્તમાનમાં મગરવાડા-ગુજરાતમાં અધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્રવીરના તીર્થની રક્ષા અને વિકાસ માટે પૂ. આચાર્યશ્રી સતત પ્રયત્નશીલ છે. દાદા ગુરુદેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ.સા.ની અંતિમ સમય સુધી સતત સેવા અને વૈયાવચ્ચમાં રહીને તેમણે ગુરુસમર્પણનાં સુમનોથી પોતાના જીવનને સુગંધિત કર્યું છે. પોતાના ગુરુદેવ આચાર્યશ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા.ની આજ્ઞામાં રહીને પૂ. આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મ. દર્શનગુરુવરના નામને ચાર ચાંદ લગાવી રહ્યા છે અને જિનશાસનનો જયજયકાર કરાવી રહ્યા છે. સૌજન્ય : નિત્યચંદ્રદર્શન જૈન ધર્મશાળા પાલીતાણા આ જ છે તો આ છે આ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy