SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૩ તવારીખની તેજછાયા એકવીસમી સદીના સરળ, નિસ્પૃહ, સંગઠ્ઠન, શાસનપ્રભાવકતા અને હૃદયની નિખાલસતા આદિ અનેક ગુણોના સ્વામી પ.પૂ. આચાર્યશ્રી નરદેવસાગરસૂરિજી મહારાજ સાહેબ પૂ. આગમોદ્ધારકશ્રીના શિષ્યરત્ન માલવદેશોદ્ધારક આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય વાત્સલ્યસિંધુ, પ્રશાંત ચારિત્રમૂર્તિ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન અને સરળહૃદયી શિષ્યરત્ન પૂ. આચાર્ય શ્રી નરદેવસાગરસૂરીશ્વરજી મહારાજનો જન્મ બનાસકાંઠાના વાવ ગામે સં. ૧૯૯૮માં થયો હતો. પિતાનું નામ ભૂધરભાઈ, માતાનું નામ મણિબહેન અને તેમનું જન્મનામ સેવંતીલાલ હતું. સં. ૨૦૧૦માં પૂ. સાધ્વીશ્રી મહોદયશ્રીજીના સૌહાર્દપૂર્ણ સૂચનથી સેવંતીલાલ પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મહારાજના પરિચયમાં આવ્યા અને પૂર્વભવના પુણ્યોદયે સં. ૨૦૧૨ના વૈશાખ સુદ ૩ના દિવસે શ્રી શત્રુંજય તીર્થની છત્રછાયામાં સંયમમાર્ગનો સ્વીકાર કર્યો. દીક્ષા પછી થોડા જ સમયમાં ક્ષયોપશમની તીવ્રતાથી વ્યાકરણ, ન્યાય, કર્મગ્રંથ આદિનો પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં સુંદરતમ અને તલસ્પર્શી અભ્યાસ કર્યો. ત્યારથી સ્વ-પર સમુદાયના સાધુ-સાધ્વીઓને વાચનાની વિશિષ્ટ શૈલી દ્વારા આગમનાં અનુપાન કરાવવા નિમિત્તભૂત બન્યા છે. અત્યાર સુધીની ૩૬ વર્ષની સંયમયાત્રામાં, અનેકવિધ શાસનપ્રભાવનાનાં પ્રસંગોમાં લગભગ ૧૮ ઉપરાંત સ્થળોએ પ્રતિષ્ઠા કરાવી છે. ખાપર તથા પાંટુરના-હૈદ્રાબાદનાં આ ત્રણ સ્થળો પર અંજનશલાકા–પ્રતિષ્ઠા ૧૦૮ છોડનાં ઉજમણાં સહ થયેલ છે. ૨૧થી વધુ ઉદ્યાપનમહોત્સવ સહ ઉપધાન તપ ઊજવાયાં છે. સુરત, કતારગામ, વિસનગર, ઉવસગ્ગહર તીર્થ, કલકત્તા, બારડોલી, નાગપુરા, યેવલા, શિરપુર ટીંડોઈ, સિકંદરાબાદ, કોલ્હાપુર આદિ સ્થળોમાં ઉપધાનતપની આરાધનાઓ થયેલ છે. પૂજ્યશ્રીની પ્રેરણા પામી અનેક પુણ્યાત્માઓએ દીક્ષા પ્રાપ્ત કરી છે. પૂનાના ૧૭૫ વર્ષ પ્રાચીન શ્રી ગોડીજી પાર્શ્વનાથ જિનાલયના જીર્ણોદ્ધાર માટે પૂજ્યશ્રીની એક માત્ર પ્રેરણા પામી શિલ્પકળાસમૃદ્ધ જિનાલય થયેલ છે, જેની પ્રતિષ્ઠા સં. ૨૦૪૭માં થઈ. આવું જિનાલય આખા મહારાષ્ટ્રમાં બીજું નથી તથા શ્રી કુલપાકજીમાં ચૌમુખજી જિનાલયનો ઐતિહાસિક જીર્ણોદ્ધાર થયો. છેલ્લાં છ વર્ષથી તાત્ત્વિક રીતે પ્રશ્નોત્તરી શૈલીથી “શ્રી ભગવતીજી સૂત્ર” તથા “શ્રી મલયસુંદરી ચરિત્ર' ઉપર આગવો પ્રકાશ પાથરી રહ્યા છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ઘણા છ'રીપાલિત સંઘો નીકળ્યા છે. નાનીમોટી અનેક શાસનપ્રભાવના કરતાં-કરાવતાં ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, ઓરિસ્સા આદિ પ્રદેશોમાં વિચર્યા છે. પૂજ્યશ્રીની ઉત્તમ પ્રભાવનાનું મુખ્ય અંગ કોઈ પણ હોય તો તે એ છે કે, દરેક શ્રીસંઘમાં પૂર્ણ ઐક્ય અને પૂર્ણ સહકાર તથા પ્રેમસંપાદન કરીને જ કાર્ય કરે છે. નિ:સ્પૃહતાથી થયેલાં આવાં ભવ્ય કાર્યો સ્વ-પરની સાધનાનાં સુંદર દૃષ્ટાંતો બની રહે છે. પૂ. આચાર્ય પદવી સં. ૨૦૪૯માં વૈશાખ માસે પાલિતાણા મુકામે ભવ્ય રીતે થઈ હતી. પૂજ્યશ્રીના ત્રણ શિષ્યો પૈકી મુખ્ય વયોવૃદ્ધ શિષ્ય મુનિશ્રી નરરત્નસાગરજી ખેડા ચાતુર્માસમાં સં. ૨૦૪૧ના આસો સુદ ૧૩ને દિવસે સુંદરતમ આરાધના કરી કાળધર્મ પામ્યા. બીજા શિષ્યો-મુનિશ્રી ચંદ્રકીર્તિસાગરજી અને પૂજ્યવયોવૃદ્ધ મુનિશ્રી પુણ્યકીર્તિ સાગરજી મ., પ્રશિષ્ય મુનિરાજશ્રી પાકીર્તિસાગરજી મ. સુંદર પ્રભાવના કરતાં જયવંતા વર્તી રહે છે. એવા એ વિદ્વધર્મ સાધુવરને શતશઃ વંદના! ૨૦૫૯ ચાલુ વર્ષનું કોલ્હાપુરનું ચોમાસું ઐતિહાસિક બન્યું છે. “શ્રી ભગવતી સૂત્ર' વાચનના માધ્યમે આરાધનાનું વાતાવરણ અતિ અદ્ભુત બન્યું છે. દરરોજ સુવર્ણ–રજતથી સૂત્રપૂજા, સંઘપૂજા વ. ઉલ્લેસભેર થયેલ છે. ઉપધાન તપની આરાધના ઉલ્લાસભેર શરૂ થયેલ છે આમ પૂજ્યશ્રીને પગલે અનેક ધર્મઆરાધનાઓ પુણ્યક્ષેત્રોમાં થઈ રહેલ છે. પૂજ્યશ્રીના વરદહસ્તે ૨૧થી અધિક ઉપધાન તપ, ઉજમણાં સહિત દરેક ઉપધાન તપના માધ્યમે અનેક આત્માઓની દીક્ષાઓ થઈ છે. સતત ૧૯વર્ષથી “ભગવતી સૂત્ર'નું ચોમાસામાં સૂત્રવાચન, હૈદ્રાબાદમાં છ પ્રતિષ્ઠાઓ, એક અંજનશલાકા થયાં છે. . સં. ૨૦૫૯ કોલહાપુર (મહારાષ્ટ્રમાં ચાતુર્માસ દરમ્યાન અનેકવિધ આરાધના કરી કરાવી શ્રી સંઘમાં અપૂર્વ જાગૃતિ લાવનાર શાસનપ્રભાવક પૂ. સ્વ. ગચ્છાધિપતિ આ.શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મ.ના પટ્ટપ્રભાવક સરળ સ્વભાવી આ.શ્રી નરદેવસાગરસૂરિજીના શિષ્ય પ્રશિષ્યરત્ન પૂ. ગણિવર્યશ્રી ચન્દ્રકીર્તિસાગરજી મ. તથા પૂ. મુનિશ્રી ઘઘકીર્તિસાગજી મ.ની પ્રેરણાથી શ્રીમતી કંકુબેન સાંકળચંદ્રજી પરિવાર હઃ સુરેશભાઈ, નરેન્દ્રભાઈ, ધનરાજભાઈ કોલ્હાપુર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy