SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ બાળક મનહરને બાળપણથી જ ધર્મ અને તપ પ્રત્યે અભિરૂચિ. પિતા નગીનદાસભાઈ અને માતા કમળાબહેને સિંચેલા ધાર્મિક સંસ્કાર અને બાળક સ્વયંના અંતરમાં પ્રગટેલો ધર્મનો દીવો અને આ બધાના સરવાળા રૂપે બાળકનું ઘડતર થયું. બાળકનો આધ્યાત્મિક દેહ ઘડાયો. સંસાર ખારો લાગવા માંડ્યો બાળક મનહરને. બધું અનિત્ય લાગવા માંડ્યું. સમયની નદી વહી જાય છે. સમયનાં જળ વહી જાય છે. તો એનો ઉપયોગ કરી લો. ક્ષણક્ષણને શ્વાસમાં ભરી લો. જીવનનાં ઉત્તમ ધ્યેયો તરફ આગળ વધો. અંતર ઉલેચાયું. હૈયું વલોવાયું. મનમાં કશમકશ ચાલી ને છેવટે ૨૧ વર્ષની ઉંમરે સં. ૨૦૦૫ના કારતક વદ દસમના શુભ દિવસે મુંબઈ ખાતે એમણે | દીક્ષા અંગીકાર કરી ને તેઓ વીતરાગની વાટે ચાલી નીકળ્યા. જીવનનો સાચો રાહ એમને લાધી ગયો. જીવન ધન્યતા અનુભવી ચતુર્વિધ સંઘ કોને ખબર, એમના હાથે શરૂ થનારી સર્જનયાત્રા ક્યા ક્યા માર્ગે વિચરણ કરશે? કેવાં ઊર્ધ્વ શિખરો સર કરશે? જેન ધર્મ તો મહાસાગર સમો છે. એનું ઊંડાણ તમને હાથ ન લાગે. અંદર પડ્યાં છે મબલખ મોતી, પણ એ માટે મરજીવા બનવું પડે. ડૂબકી લગાવવી પડે. જીવની પણ પરવા કર્યા વગર ઊંડાણમાં જે ઊતરે, તે ભરે મોતીથી મુઠ્ઠી! કિનારે ઊભા રહીને તમાશો જોનારા પસ્તાય. અંદર પડેલ જીવાત્મા મોતીઓથી મુટ્ટી ભરીને બહાર આવે. આ કોઈ સરળ વાત નથી. સર્પ પકડવા સરળ છે. ઝેરી કોબ્રા પકડવા ય સરળ છે. પણ જ્ઞાન સાગરનાં મોતી મુઠ્ઠીમાં પકડવાનું કાર્ય અઘરું છે, કારણ કે એમાં ડૂબવાનું છે, અગાધ ઊંડાણમાં સરકવાનું છે; જીવસટોસટનો ખેલ ખેલવાનો છે, મોહ માયાનો પરિત્યાગ કરવો પડે. મુનિમાંથી આગળ વધતાં વધતાં આજના પ્રશાંતમૂર્તિ આચાર્ય ભગવંત બનેલા પૂ. શ્રી મનોહરકીર્તિ સાગરસૂરીશ્વરજી મહારાજ તો ખમતીધર સર્જક છે. શબ્દોનાં મોતી પકડનારા છે. અંતરમાં પડેલી ઉત્તમોત્તમ કથાઓને કંડારનારા છે. સરળ ભાષા ને સહજપણે સરી પડતા શબ્દો. લખાણમાં ઊંચાઈ પણ એટલી જ અને ઊંડાણ પણ એટલું જ, છતાં વાંચનારને લખાણનો ભાર ન લાગે. ઝરણું વહે એમ કથા વધે જાય. જ્ઞાનદૃષ્ટિ ખૂલતી જાય. મન પ્રફુલ્લિત બનતું જાય. સરળતા છતાં શ્રેષ્ઠતા. ચોટદાર સંવાદો અને હૃદયને સ્પર્શી જતો શબ્દપ્રવાહ. તેઓશ્રી ઉત્કટ ચારિત્રનાં આરાધના અને જ્ઞાનસાધના કરતાં કરતાં સં. ૨૦૨૬ના મહા વદ પાંચમના શુભ દિને જૂના ડીસા નગરમાં ગણિ–પંન્યાસ પદ પામ્યા ને અનેકવિધ રીતે શાસનપ્રભાવના કરતાં કરતાં પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજાએ તેમની સવિશેષ યોગ્યતા જાણી અમદાવાદમાં સાબરમતી ખાતે સં. ૨૦૩૧ના મહાસુદ પાંચમે તેમને આચાર્યપદથી અલંકૃત કર્યા. બારડોલી સંઘની વારંવારની વિનંતીને ધ્યાનમાં રાખી દીક્ષા પછી ૩૬ વર્ષે પ્રથમવાર તેઓશ્રી ગુરુદેવ સાથે બારડોલીમાં ચાતુર્માસ માટે પધારતાં આખાય નગરમાં અનહદ આનંદ છવાઈ ગયો. જિનશાસનનો જયજયકાર થઈ રહ્યો. જેનોમાં તો આનંદ પ્રવર્તી જ રહ્યો. એ તો ઠીક પણ, જૈનેતરો પણ તપસ્યામાં અને રહ્યું. આમ માર્ગ મળ્યો મનગમતો. એકવીસ વર્ષના આ યુવાનને મળ્યા મનગમતા જ્ઞાની ગુરુદેવ. વાત એમ બની કે મેટ્રિક થયેલા યુવક મનહરને છાત્રાલયમાં યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજ વિરચિત “યોગદીપક' નામનો ગ્રંથ વાંચવા મળ્યો ને દૃષ્ટિ બદલાઈ ગઈ યુવાનની. મનમાં દીક્ષાની તીવ્ર તાલાવેલી જાગી ને તે યુવાન મનહર પૂ. શ્રી સુબોધસાગર મહારાજનો શિષ્ય બન્યો. આ નૂતન મુનિરાજને નામ અપાયું મુનિ મનોહરકીર્તિ સાગરજી. મુનિ મનોહરકીર્તિ સાગરજીએ જ્ઞાનસાધનાનો આરંભ કર્યો. અને તપોમાર્ગી, સંયમમાર્ગી અને આત્મમાર્ગ મુનિ શ્રી મનોહરકીર્તિ સાગરજીની જ્ઞાનયાત્રા અતિ વેગવંતી બની. તેઓ સ્વાધ્યાયમગ્ન બની ગયા. અલ્પકાળમાં જૈનદર્શનનું સમગ્ર જ્ઞાન મેળવી લીધું. સંસ્કૃત અને પ્રાકૃતનો ઊંડો અભ્યાસ કર્યો. એમના હૃદયની ભીતરમાં એક સત્ત્વશાળી સર્જક લપાઈને બેઠો હતો. બસ, આ સર્જકને હાથમાં કલમ પકડવાની જવાર હતી. શબ્દ રાહ જોતો હતો. કલમ રાહ જોતી હતી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy