SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા શ્રીમો જન્મ સં. ૧૮૮૩ની સાલમાં પોષ સુદ ૭ના દિવસે ભરતપુરમાં થયો હતો. પિતાનું નામ ઋષભદાસ, માતાનું નામ કેસરબાઈ અને તેમનું પોતાનું નામ રત્નરાજ હતું. માણેકચંદ તેમના વડીલ બંધુ હતા અને પ્રેમા તેમની નાની બહેન હતી. રત્નરાજ નાનપણથી જ લાગણીશીલ, સાહસિક તેમ જ ધર્માભિમુખ હતા. ૧૪-૧૫ વર્ષની વયે તેઓ પોતાના વડીલભાઈ સાથે જ્યારે કેસરિયાજી તીર્થની જાત્રાએ ગયા હતા ત્યારે પાછા ફરતી વખતે જયપુર પાસેના અંબર ગામના રહેવાસી શેઠ કનૈયાલાલજીને ભીલોના હુમલાથી બચાવ્યા હતા અને તેમની પુત્રીની વ્યંતરબાધા દૂર કરી હતી. તેમનાં પરાક્રમ અને પરોપકારથી શેઠશ્રી પ્રભાવિત થયા. તેમને પોતાની પુત્રીનું સગપણ રત્નરાજ સાથે કરવાની ભાવના થઈ અને તેમણે પોતાની ભાવના રત્નરાજને જણાવી, પણ રત્નરાજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “હું તો ત્યાગમાર્ગનો પથિક છું. સંસારનાં બંધનમાં પડવાની મારી ઇચ્છા નથી.” જાત્રા પછી તેઓ પોતાના વડીલ બંધુ માણેકચંદ સાથે વેપારાર્થે સિલોન સુધી ગયા અને ઘણી સંપત્તિ પ્રાપ્ત કરીને પાછા ભરતપુર આવ્યા. તેમનાં માતાપિતાની તેમણે ખૂબ સેવાભક્તિ કરી. કાળક્રમે તેમનાં માતાપિતાનું દેહાવસાન થયું. પછી મોટાભાઈની અનુમતિ મેળવીને ૨૧ વર્ષની યુવાન વયે રત્નરાજે પૂ. આ. શ્રી પ્રમોદસૂરિજી મહારાજના ઉપદેશથી પ્રભાવિત થઈને ઉદયપુરમાં યતિશ્રી હેમવિજયજી મહારાજ પાસે શ્રી પ્રમોદસૂરિજીના શિષ્ય તરીકે ચારિત્ર ગ્રહણ કર્યું. યતિશ્રી રત્નવિજયજી નામ ધારણ કર્યું. પણ શ્રીમદ્ પોતે એક શુદ્ધ શ્રમણજીવન જીવવા માગતા હતા. આથી સં. ૧૯૨૬ની સાલમાં અષાઢ સુદ ૧૦ના દિવસે પોતે જાવરાનગરમાં શ્રીપૂજ્યપદના સમસ્ત વૈભવનો ત્યાગ કર્યો અને ક્રિયોદ્ધાર પૂર્વક શ્રી ધનવિજયજી અને પ્રમોદરુચિજી સાથે સંવેગી સાધુપણું સ્વીકાર્યું. શ્રીમદ્દ્ના જીવનનું જાગતિક મહત્ત્વનું કાર્ય છે ‘અભિધાન રાજેન્દ્ર' નામના વિશ્વકોષની રચના. આ વિશાળકાય કોષ સાત ભાગમાં પૂર્ણ થયો છે. જૈન આગમનાં રહસ્યોને ઉકેલવાની આ કોષ Masterkey છે. દસ હજાર પાંચસો છાંસઠ પૃષ્ઠોમાં લગભગ સાઠ હજાર શબ્દોની સમગ્ર વ્યાખ્યા કરવામાં આવી છે. આ કોષ એટલે માત્ર શબ્દોના અર્થોનો જ સંગ્રહ નથી, પણ એમાં શબ્દથી”સંબંધિત મતમતાંતર, ઇતિહાસ અને વિચારોનું પણ પૂરેપૂરું વિવેચન છે. ન્યાય, દર્શન, જ્યોતિષ, ધર્મ, અલંકાર ઇત્યાદિ વિષયક પ્રમાણો એમાં ઉપલબ્ધ છે. તેમ જ શબ્દ, ઉત્પત્તિ અને લિંગભેદ સાથે તે કયા ઠેકાણે કયા અર્થમાં વપરાયો Jain Education International ૩૬૯ છે તેના બધા જ સંદર્ભો આ કોષમાં ઉપલબ્ધ છે. આ એક એવો સંદર્ભગ્રંથ છે કે એમાં શ્રમણસંસ્કૃતિનો એક પણ શબ્દસંદર્ભ છૂટ્યો નથી. શબ્દના મૂળ સાથે તેનો ક્રમિક વિકાસ પણ આપેલો છે. ‘અભિધાન રાજેન્દ્ર’ની રચના કરીને શ્રીમદે વિશ્વપુરુષોની શ્રેણીમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે. શ્રીમદ્નું સમગ્ર જીવન અને તેનું જીવંત પ્રતીક આ ‘અભિધાન રાજેન્દ્ર કોષ' છે, જે વિશ્વસંસ્કૃતિનું અવિસ્મરણીય મંગલાચરણ છે. ૬૩મા વર્ષમાં તેમણે આ ગ્રંથરચનાનો પ્રારંભ સિયાણા (રાજસ્થાન)માં સં. ૧૯૪૬માં કર્યો હતો અને સાડાચૌદ વર્ષમાં આ ગ્રંથ સં. ૧૯૬૦માં સુરતમાં પૂરો કર્યો હતો. સાહિત્યની સમૃદ્ધિમાં આપતો આ મહાગ્રંથ જિજ્ઞાસુઓ અને અભ્યાસુઓ માટે એક અણમોલ ખજાનો છે. આ ઉપરાંત, શ્રીમદે નાનામોટા કુલ ૬૧ ગ્રંથોની રચના કરી છે. તેમાં અભિધાન રાજેન્દ્ર', ‘પાઈઅ સદંબુરી’, ‘શ્રી કલ્પસૂત્ર બાલાવબોધ', ‘કલ્પસૂત્રાર્થ પ્રબોધિની', ‘શ્રી સિદ્ધચક્રપૂજા’, શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજા', ‘દેવનંદનમાળા' ઇત્યાદિ ગ્રંથો પ્રસિદ્ધ છે. શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ ઉગ્ર તપસ્વી પણ હતા. ક્રિયોદ્ધાર પછી પોતાના શ્રામણ્યની વિશેષ શુદ્ધિ કરવા માટે તેઓશ્રીએ ઉગ્ર તપસ્વીનું જીવન સ્વીકાર્યું. આત્મશુદ્ધિ માટે તેઓશ્રીએ સર્વપ્રથમ અભિગ્રહ ધારણ કરવા શરૂ કર્યા. અભિગ્રહની પૂર્તિ માટે તેઓશ્રીને ઘણી વાર સાત-સાત દિવસ સુધી નિરાહાર રહેવું પડતું હતું. તેઓશ્રીએ આજીવન ચૌમાસી પર્વનો છઠ્ઠ અને સંવત્સરી પર્વનો અઠ્ઠમ કર્યો. એ સિવાય બડા કલ્પનો છઠ્ઠ, દર વર્ષે ચૈત્રી અને આસો માસની ઓળી તથા દર મહિને ૧૦નું એકાસણું કરતા હતા. એ સિવાય માંગીનુંગી પહાડનાં જંગલોમાં તેઓશ્રીએ છ છ મહિના સુધી અઠ્ઠાઈના પારણે અઠ્ઠાઈ કરીને નવકાર મંત્રની આરાધના કરી હતી. માંગીતુંગી પર્વત, સ્વર્ણગિરિપર્વત (જાલોર) અને મોદરાનું ચામુંડવન એ બધાં સ્થાનો તેઓશ્રીનાં તપસ્યાસ્થાન હતાં. શ્રીમદે પોતાના જીવનમાં અનેક ધાર્મિક તેમ જ લોકોપયોગી કાર્યો કર્યાં છે. સ્વર્ણગિરિ તીર્થનાં જિનાલયોમાં ભરેલા શાસ્ત્રગ્રંથો બહાર કઢાવી રાજાના કબજામાંથી મુક્ત કરાવી તેનો ઉદ્ધાર કર્યો. મોહનખેડા તીર્થની સ્થાપના કરી. એવી જ રીતે, તેઓશ્રીએ કોરટાજી, ભાંડવપુર અને પાલનપુર તીર્થનો પણ ઉદ્ધાર કર્યો. અઢીસો વર્ષોથી સમાજમાંથી બહિષ્કૃત કરાયેલા ચીરોલા અને આસપાસનાં આઠ ગામોના સંઘોના ૫૦૦ પરિવારનો તેઓશ્રીએ ઉદ્ધાર કર્યો. નાનીમોટી કુલ ૨૭ પ્રતિષ્ઠાઅંજનશલાકા કરાવી, જેમાં સૌથી મહાન પ્રખરતમ કાર્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy