SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ સાધુ-સાધ્વી મહારાજોનાં બહુમાન સહિત વૈયાવચ્ચ-ભક્તિ કરવા લાગ્યા. બાબુભાઈ ધર્મકાર્યોમાં અગ્રેસર તો હતા જ, એમાં હવે પૂજ્ય આચાર્યશ્રીના સમાગમનો અને ઉપધાનતપનો પુણ્યયોગ સાંપડ્યો. તેથી સજોડે ઉપધાનતપમાં જોડાયા અને તેમાં તેઓને રસ લાગ્યો. તેઓના જીવનમાં એક નવું જ પરિવર્તન આવ્યું. ઉપધાનના છેલ્લા દિવસે તેઓનાં નયનો સજળ બની ગયાં. સં. ૨૦૧૦માં પૂજ્ય યશોદેવસૂરિ આદિ અહમદનગર પધાર્યા. ચાતુર્માસના એ દિવસો હતા. દીક્ષા લેવાની એ ઉત્કંઠા બાબુભાઈમાં તીવ્ર બની હતી. ચાતુર્માસ પૂર્ણ થતાં ચતુર્વિધ સંઘ સમક્ષ વિધિપૂર્વક સજોડે ચતુર્થવ્રતનાં પચ્ચક્ખાણ લીધાં. સં. ૨૦૧૧ના ફાગણ વદ ૪ દીક્ષા દિવસ નક્કી થયો. શ્રી સંઘના અગ્રેસર અને શહેરના નગરશેઠ તરીકે પ્રતિષ્ઠા પામેલા બાબુભાઈની દીક્ષાનો પ્રસંગ સૌને મન આનંદમંગલનો ઉત્સવ બની રહ્યો. તેમના સમ્માનસમારંભમાં જૈનો તેમ જ જૈનેતરો, સરકારી અધિકારીઓ, પ્રમુખ નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હતા. બાબુભાઈ સાથે તેમનાં ધર્મપત્ની ચાંદીબહેન પણ દીક્ષા લેવા તત્પર હતાં. એ ધન્ય દિવસ આવી પહોંચતાં આ ભાગ્યશાળી દંપતીને, ધનવૈભવ અને સંસારનો ત્યાગ કરતાં જોવા સ્થાનિક તેમજ પૂના, સંગમનેર, નાસિક વગેરે સ્થળેથી ૮૦ હજારની માનવમેદની ઊમટી હતી. વિશાળ દીક્ષામંડપમાં સિદ્ધાંતમહોદધિ પૂ. આચાર્ય પ્રવર શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે રડોહરણ સ્વીકારી દીક્ષાર્થીઓને નાચી ઊઠતાં જોઈ જોનારાં પણ ધન્ય બની ગયા. પ્રાંતે દીક્ષા અંગીકાર કરતાં ધનરાજભાઈ પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બનાવી મુનિ શ્રી ધનેશ્વરવિજયજી નામે અને ચાંદીબહેનને સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી નામે ઉદ્ઘોષિત કરવામાં આવ્યાં. પૂ. મુનિરાજ શ્રી ધનેશ્વરવિજયજી મહારાજ દીક્ષાજીવનના આરંભથી જ જપ-તપ, જ્ઞાન-ધ્યાન, વૈયાવચ્ચ અને સંયમની ઉત્કૃષ્ટ સાધનામાં લાગી ગયા. પૂ. મુનિશ્રીની યોગ્યતા જોઈ વડીલોએ તેમને સં. ૨૦૪૨માં અમલનેર મુકામે ગણિ પદ અને સં. ૨૦૪૪માં અહમદનગરમાં પંન્યાસ પદ પ્રદાન કર્યું અને સંગમનેરના મહાન પુણ્યોદયે સં. ૨૦૪૭ના જેઠ સુદ ૧૧ના શુભ દિને આચાર્ય પદે આરૂઢ કરી આચાર્યશ્રી વિજયધનેશ્વરસૂરિજી મહારાજના નામે ઘોષિત કરવામાં આવ્યા. ત્યારથી પૂ. આચાર્યશ્રીની પ્રેરણાથી અને શુભ નિશ્રામાં શ્રીસંઘ અને શાસનનાં અનેક કાર્યો પ્રભાવનાપૂર્વક Jain Education International ચતુર્વિધ સંઘ સુસંપન્ન બન્યાં છે. પૂનાથી પાલિતાણા શ્રી સિદ્ધગિરિ તીર્થનો છ'રીપાલિત યાત્રાસંઘ, ઉપધાન આદિ સુંદર રીતે યોજાયાં છે. પૂ. પં. શ્રી શિવાનંદવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી સુશ્રાવકો તરફથી પ્રશમરસતોનિધિ અને ગુરુદેવની અખંડ સેવાના ઉપાસક પૂ. આચાર્યશ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ મોતીભાઈ (ધર્મપત્ની-દિવાળીબહેન) 1 બાબુલાલ (ધર્મપત્ની-શાંતાબહેન) (પૂ. આ. શ્રી વિજયજયકુંજર સૂ.મ.) પ્રકાશકુમાર (પૂઆ.શ્રી વિજયપૂર્ણચન્દ્ર મ.સા.) મહેન્દ્રકુમાર (પૂ.આ.શ્રી મુક્તિપ્રભસૂ મ.) तस्मै श्री गुरये नमः For Private & Personal Use Only નરેન્દ્રકુમાર 3 કલા કવા ડાળ ડાબી (૧) સ્વ. પૂ.આ.શ્રી મુક્તિચંદ્રસુરીશ્વરજી મ.સા. (૨) ૫.પૂ.આ. શ્રી જયકુંજરસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ.શ્રી પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ.આ. શ્રી મુક્તિપ્રભસૂરીશ્વરજી મ.સા.(૫) પ.પૂ. આ.શ્રી શ્રેયાંસપ્રભસુરીશ્વરજી મ.સા. www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy