SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ તવારીખની તેજછાયા છેલ્લા સમયમાં પ્રતિક્રમણ, પડિલેહણ, લોગસ્સ, નવકાર સાર્થ, પછી તો ‘નમો અરિહંતાણં' ની ધૂન સતત ચાલતી રહી ‘અરિહંત' ત્રણ વખત બોલીને ગુરુદેવે સદાને માટે આંખ મીંચી લીધી અને મુક્તિના મંગળ પંથે પ્રયાણ કર્યું. તા. ૫-૩-૯૩ના રોજ મુંબઈ શાંતિનાથ જૈન દેરાસર (ફોટ) થી સવારના નીકળેલી પાલખી અવિસ્મરણીય હતી. સાગર સમુદાયનો એક ઝળહળતો સિતારો ખરી પડ્યો. સૌજન્ય : શ્રી નિત્યચંદ્રદર્શન જૈન ધર્મશાળા-પાલીતાણા અદ્ભુત આત્મશ્રદ્ધા ધારણ કરનાર, સાધુ સાધ્વીઓનાં અધ્યનના હિમાયતી પૂ.આ. શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મ. ગુજરાતના અતિખ્યાત પાટનગર પાટણ નગરમાં સંઘવી અમૃતલાલભાઈ અને પારસબહેનના ગૃહ . ૧૯૪૬માં જન્મ ધારણ કરીને ભીખાભાઈએ બાલ્યકાળમાં જ વાત્સલ્યભરી માતા ગુમાવી. મોસાળમાં ઉછેર પામ્યા. આજે પણ પિતૃક્ષેત્રે હેમચંદ મોહનલાલની પેઢી સુપ્રસિદ્ધ છે. ધર્મભાવના તો તેમનામાં ભરપૂર હતી બાર વર્ષની ઉંમરથી જ નવપદજીની ઓળી કરતા હતા અને દીક્ષાની વાનગી તરીકે કોઈ કોઈ વખત એકલા ચણા ખાઈ ચલાવી લેતા. એક વખત ચાલુ ઓળીમાં જ દીક્ષા લેવા માટે નાસી છૂટ્યા અને ઓળીના બાકીના બધા દિવસો ચણાથી જ પસાર કર્યા. આ કારણે પિતાએ અનાદિ વાસનાજન્ય મોહને તિલાંજલિ આપી. સ્વહસ્તે જ દીક્ષા માટે પૂ. આચાર્યભગવંતશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને સુપ્રત કર્યા. ગુરુદેવે તેમને ૧૬ વર્ષની ભર યુવાન વયે, સં. ૧૯૬૨ના કારતક વદ ત્રીજને દિવસે દીક્ષા આપી મુનિ શ્રી વિજ્ઞાનવિજયજી નામે ઘોષિત કર્યા. દીક્ષા લીધા પછી દશ વર્ષમાં પૂ. મુનિશ્રીએ અવિરત ગુરુસેવા, વિનયાદિને કારણે ઉત્તમ અને વિશાળ અભ્યાસ કરીને જ્ઞાનયોગ સિદ્ધ કર્યો, જેના ફળ સ્વરૂપે તેઓશ્રી આસપાસ આજે વિશાળ શિષ્ય પરિવાર જોવા મળે છે. પૂ. ગુરુભગવંતે પણ તેમનામાં વિચક્ષણ વ્યવહારજ્ઞાન જોઈ, તેમને બાલસાધુઓને સાચવવાનું જવાબદારીભર્યું કાર્ય સોંપ્યું હતું. પૂ. ગુરુભગવંતની આજ્ઞાથી સં. ૧૯૬૮નું ચાતુર્માસ સ્વતંત્રપણે ખંભાત જૈનશાળામાં કર્યું. સં. ૧૯૭૩માં તેઓશ્રીને ઘાણેરાવ મુકામે પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. સમયની પરખ, નીડરતા અને આત્મશ્રદ્ધાના ગુણને કારણે અત્યંત વિકટ પરિસ્થિતિમાં સાધુઓને દીક્ષા આપવાનું અને સાચવવાનું કાર્ય પોતે જ ઉપાડી લેતા. તેમાં સં. ૧૯૭૬માં કસ્તૂરસૂરિજી મહારાજને દીક્ષા આપતાં તો તેઓશ્રીને દસ દસ વર્ષ સુધી મારવાડમાં જ વિચરવું પડ્યું અને તેથી તો તેઓ ઘણા જ નીડર અને આત્મશ્રદ્ધાના પ્રેરક બની રહ્યા. પોતાના આશ્રિતો પ્રત્યેનો એટલો વાત્સલ્યભાવ હતો કે તેઓને અધ્યયન-અધ્યાપન વગેરેમાં પોતાનાં કરતાં સવાયા પકવવા સતત ચિંતન અને મનન કરતા, સતત પરિશ્રમ ઉઠાવતા. તેના પ્રતીક તરીકે તેઓશ્રી પૂ. કસ્તૂરસૂરિજી મહારાજને અધ્યાપન કરાવવા પોતાની જાતે જ યતિ અને સંતો પાસે લઈ ગયાનાં દૃષ્ટાંતો છે. જ્યારે પણ દર્શન કરો ત્યારે જાણે એક પ્રભુતામય પ્રાચીન સાધુપુરુષની યાદ આવે એવી સાદાઈ અને પવિત્રતા તરવરી રહે. જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યા ત્યાં ત્યાં સંઘમાં જૂના-જામી ગયેલાં તડનાં પડ ઉખેડી પરસ્પર મૈત્રીભાવ પ્રગટાવ્યો. પૂજ્યશ્રીના જીવનમાં ત્રણ મુદ્દા ખાસ તરી આવતા : (૧) પ્રાચીન હસ્તપ્રતો સચવાય તે માટે કાળજી લેતા. (૨) વૈરાગ્યનો આધાર અને ચારિત્રની શુદ્ધિ પઠન-પાઠનને આભારી હોવાથી કોઈ પણ સાધુ કે સાધ્વીજી મહારાજ પઠનપાઠન વિના રહી ન જાય અને તેમને પૂરેપૂરી સગવડ મળી રહે તે માટે અથાગ પ્રયત્ન કરતા અને એ જ કારણે છેલ્લા શ્વાસ ઈ કામદાર મ ધી વેવિશાનીમજી મસા ગયા બાદ પાક, સમવય જય બાદ જાનહાઇન દ જર્મ આ કામ A ડિ સાધુ સાધ્વીઓના ઇનયચના પ્રખર હિમાવી ભાગ ૧ " ની જ (૧) પ.પૂ.આ.શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ. આચાર્યશ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મ.સા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy