SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ રચના કરવા માટે જ આચાર્ય ભગવંત પૂ. સુબોધસાગર સૂરીશ્વરજી મહારાજને વિજાપુરના સંઘે વિ.સં. ૨૦૨૯ના ચાતુર્માસ માટે વિનંતી કરી. પૂજ્યશ્રી ત્યાં પધાર્યા. એમનાં ભગવતી સૂત્ર પરનાં પ્રવચનોએ લોકોને ઘેલું લગાડ્યું હતું. કોઈ અકળ અગમ્ય કારણસર પૂજ્યશ્રીનાં હૃદયમાં એક વાત સતત ગુંજ્યા કરતી હતી. આ સમાધિ મંદિરની પુણ્યવંતી ભૂમિ પર અલૌકિક તીર્થધામનું સર્જન થાય, હજારો ભાવિકો આ તીર્થ ભૂમિની સ્પર્શના કરે અને આધ્યાત્મિક વિકાસની પ્રેરણા મેળવે. અને આજે તો આ સ્થાન એક દિવ્ય તીર્થભૂમિ બની ગયું છે. કામ કરી ગઈ પૂજ્યશ્રીની અંતઃ પ્રેરણા. એક પુણ્યવંત તીર્થ બન્યું. પૂજ્યશ્રીનાં પાવન પગલાં ઠેરઠેર પડ્યાં. પગલાં પડ્યાં ને ભૂમિ પાવન થઈ. જ્યાં પગ માંડ્યા, ત્યાં મંદિર બન્યાં. અનેક જિનાલયોનો જિર્ણોદ્ધાર થયો. અનેક નૂતન જિનાલયોનું નિર્માણ થયું. | મુંબઈમાં ગોરેગાંવના જવાહરનગરના શ્રીસંઘને આંગણે પૂજ્યશ્રી પ્રતિષ્ઠા કરવા પધાર્યા. જવાહરનગરમાં પ્રભુના કલ્યાણકોની ઉજવણી થતી હતી ત્યારે પુનઃ એકવાર સૌએ ગચ્છાધિપતિપદ સ્વીકારવાની પૂજયશ્રીને આગ્રહભરી વિનંતી કરી. શ્રી સંઘની વિનંતી પર ચિંતનં–મનન કર્યા બાદ એમણે કરી : તે પણ પદવીની નહીં, પણ આસપાસની ભીષણ અને વિષમ એવી દુષ્કાળની પરિસ્થિતિની. ત્રણ ત્રણ વર્ષથી દુષ્કાળ પડતા હતા. માણસો તરફડતા હતા. ઘાસચારા વિના અબોલ પશુઓ બાંગરતાં હતાં. તે સમયે તેમના પટ્ટધર શિષ્ય પૂ. આ.શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ.સાહેબે વિશાળ માનવમહેરામણને પડકાર ફેંકતા કહ્યું : “આજના આ સમયે એક નમ્રાતિનમ્ર અપીલ છે કે પૂજ્યપાદશ્રીને ૬૬ વર્ષ થયાં છે તેથી જીવદયા ફંડમાં પણ ૬૬ લાખ રૂપિયાનું ભંડોળ એકત્રિત કરવામાં આવે તો મને અવશ્ય ખાતરી છે કે આપણા સહુની વિનંતીનો સ્વીકાર કરીને પૂજ્યપાદશ્રી ગચ્છાધિપતિપદનો જરૂર સ્વીકાર કરશે.” સાંભળીને મેદનીએ શાસનદેવની જય બોલાવી. સૌએ જીવદયાનું ફંડ એકત્રિત કરવાનો મક્કમ નિર્ધાર કર્યો. કરુણાભર્યું પૂજ્યપાદશ્રીનું હૈયું. અબોલ જીવો માટે કરણાવહી નીકળી. કરણાની પ્રેરણા વહી નીકળી. સૌનાં હદય ઉત્સાહ અને ઉમંગથી ભરાઈ ગયાં. “જવાહરનગરની ધન્ય ધરા ચતુર્વિધ સંઘ પર સકળ સંઘની ઉપસ્થિતિમાં ગચ્છાધિપતિ પદની માંગલિક વિધિ કરવામાં આવશે.” સમય હવે ઓછો હતો. ૬૬ કલાકથી પણ ઓછો. ને ત્યાં સુધીમાં ૬૬ લાખનું માતબર ફંડ એકઠું કરવાનું હતું. પરિણામ ચમત્કારિક આવ્યું. માત્ર ૪૮ કલાકમાં જ ૬૬ લાખ જેવી માતબર રકમનો ફાળો નોંધાઈ ગયો. અને એ દિવસ પણ આવી પહોંચ્યો. વિક્રમ સંવત ૨૦૪૪ના મહાવદ પાંચમ ને સોમવારનો એ દિવસ. તા. આઠમી ફેબ્રુઆરી, ૧૯૮૮. ભવ્ય શમિયાણો. ગોરેગાંવ જવાહરનગરની ધન્ય ધરા. હજારો શ્રાવકોનો છલકાયો મહેરામણ. એ જ શમિયાણામાં અનુપમ શાસનપ્રભાવક, ભગવતીસૂત્રના માસ્ટર માઇન્ડ સમા, નિખાલસહૃદયી પૂ. આ. ભ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મ. સા.ને યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મ.સા.ના સમુદાયના ગચ્છાધિપતિ તરીકે અલંકૃત કરવાનો એ ઐતિહાસિક અવસર હતો. મહામહોત્સવ યોજાયો હતો. સકલ સંઘના ઉત્સાહનો કોઈ પાર નહોતો. જવાહરનગરના ઇતિહાસમાં નોંધાયેલી આ મહાન ઘટના છે, જેને આજે પણ સૌ યાદ કરે છે. ભાવિકો આનંદથી નાચી ઊઠ્યા હતા. જૈન ધર્મનું આ મહત્તમ પદ. આ મહાન પદથી અલંકૃત થયા પૂજ્યપાદશ્રી. પૂજ્યપાદશ્રીનાં ચાતુર્માસો ભવ્ય રીતે ઠેરઠેર થયાં છે. પાલનપુર, આંબલીપોળ (અમદાવાદ), પાદરા, નવસારી, ગોડીજી (મુંબઈ), પૂના, ડીસા, વિજાપુર, રાજકોટ, ભાવનગર, મલાડ (મુંબઈ), પુંધરા, સાબરમતી, નવસારી, વાલકેશ્વર, ગોરેગાંવ, મહુડી એમ વિવિધ સ્થળોએ પૂજ્યપાદશ્રીનાં ચાતુર્માસ સંપન્ન થયાં છે. પૂજ્યપાદશ્રીના હસ્તે નિર્માણ પામ્યાં છે અનેક ઉપાશ્રય જેવા કે, નવસારી મહાવીર સોસાયટી, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, શ્રી વિજાપુરતીર્થ સોસાયટી-વિજાપુર, ધાનેરા, જૂના ડીસા, કુંભાસણ, સુરત-સૈફી સોસાયટી, ધનાલી, સુરત-મગદલ્લા શ્રી નાગેશ્વરતીર્થ, સીરસાડ, લોદરા, આજોલ, ગવાડા, પુંધરા, મિરામ્બિકા (અમદાવાદ), સોલા રોડ (અમદાવાદ), સુપાર્શ્વનાથ-વાલકેશ્વર-મુંબઈ, વસઈ-દહીંસર, ભાવનગર આયોજનાર (અમદાવાદ)—એમ સંખ્યાબંધ ઉપાશ્રયો તથા તીર્થ નિમાણ થયેલ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy