SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ પછી માતાપિતાની ધર્મભાવના ઉત્તરોત્તર વધતી ચાલી. સદ્ગુરુનાં ચરણોમાં જીવન વિતાવવાની તાલાવેલી જાગી. માતાપિતાના આ સંસ્કારો નાનકડા અમૃતલાલને વારસામાં મળ્યા. તેમની ધર્મભાવના વિકસી અને આગળ જતાં, દીક્ષાની ભાવના દૃઢ થઈ. તેમણે માતાપિતા પાસે પ્રવજ્યાના પુનિત પંથે પ્રયાણ કરવાની અનુજ્ઞા માંગી. તે જમાનામાં બાળદીક્ષાનો પ્રબળ વિરોધ હતો. અમૃતલાલના માર્ગમાં અણકલ્પ્યા અંતરાયો ઊભા થયા પરંતુ અંતે અંતરની ઇચ્છાનો વિજય થયો. પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજી રાહબર બન્યા. સાડા છ વર્ષની ઉંમરે સં. ૧૯૮૮ના માગશર વદ ૧૧ને પુણ્ય દિને શ્રી શંખેશ્વર મહાતીર્થની છાયામાં બાલદીક્ષાનો મહોત્સવ ઊજવાયો. સિદ્ધચક્રારાધક તીર્થોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજના શિષ્ય મુનિશ્રી અરુણોદયસાગરજી બન્યા. માતા અને બહેન તથા ભાઈ પણ દીક્ષિત બન્યાં હતાં. આમ, પિતાપુત્ર ગુરુ-શિષ્ય બન્યા. મુનિશ્રી ધર્મસાગરજીએ બાલમુનિમાં સંસ્કારો સાથે જ્ઞાનવૃદ્ધિ થાય તેવા પ્રયત્નો આદર્યા. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, આદિના અધ્યયન સાથે જૈનધર્મનું અગાધ જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. પરિણામે, તેઓશ્રી જૈનધર્મના ગણનાપાત્ર શાસ્ત્રવેત્તા તરીકે સિદ્ધપ્રસિદ્ધ થયા. ‘જ્ઞાન વિમ્યાં મોક્ષઃ' એ જૈનધર્મના સૂત્ર પ્રમાણે જ્ઞાન અને ક્રિયા એક જ રથનાં બે ચક્રો છે. મુનિશ્રીએ બંને ચક્રોને સુસાધ્ય બનાવી દીધાં. સં. ૨૦૨૨માં જેઠ વદ ૧૧ને દિવસે કપડવંજ મુકામે ગચ્છાધિપતિ પૂજ્યપાદ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે ગણિપદથી અલંકૃત કરવામાં આવ્યા અને સં. ૨૦૨૯ના મહા સુદ ૩ને દિવસે સકલ સંઘની વિનંતીથી નરોડા તીર્થ-અમદાવાદમાં પૂ. ઉપાધ્યાયજી શ્રી ધર્મસાગરજી મહારાજની નિશ્રામાં પંન્યાસપદે આરૂઢ કરવામાં આવ્યા. તે સમયે પૂજ્યશ્રીના નામમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. પૂ. ગુરુદેવને ‘અરુણોદયસાગર’નો ઉચ્ચાર ફાવતો ન હતો, તેથી પંન્યાસ શ્રી અભયસાગરજી' નામકરણ થયું. ‘વાર: પરમો ધર્મ:' સૂત્રને સાક્ષાત્ આચરણમાં ઉતારી તેઓશ્રી વિદ્યા, જ્ઞાન અને તપમાં ખૂબ જ આગળ વધ્યા. નાના બાળક જેવી નિખાલસતા, સાચા સાધુનું નિરાભિમાનીપણું, સદાય સ્વસ્થ ચહેરો, ધીરગંભીર મુખભાવ, અપ્રમત્ત જીવન, શાસ્ત્રાનુસારી સાધના પૂજ્યશ્રીના ઉચ્ચ સાધુજીવનનાં સાક્ષીભૂત અંગો છે. શ્રમણજીવનની મર્યાદામાં રહીને, ટાંચાં સાધનો દ્વારા વિજ્ઞાન સામે જેહાદ જગાવવાની બુલંદી તેઓશ્રીના જીવનદર્શનના સુવર્ણકળશ રૂપે શોભે છે. તેમના હૈયામાં પ્રથમથી જ આ ભાવના Jain Education International For Private ચતુર્વિધ સંઘ જાગૃત થયેલી કે વિજ્ઞાનવાદે સર્જેલી વિસંવાદિતાને દૂર કરવા સૂર્ય-ચંદ્રની ગતિ આદિ વિશે સ્પષ્ટ જ્ઞાન મળે, ધર્માચાર્યોએ લોકોને ભરમાવ્યા નથી, શાસ્ત્રોનું જ્ઞાન ખોટું નથી તેની ખાતરી થાય. પૃથ્વી ફરતી નથી, પણ સ્થિર છે અને ચંદ્ર પર ઊતરેલો માનવી ખરેખર ચંદ્ર પર ઊતર્યો હશે કે નહીં વગેરે ભૂગોળખગોળના પ્રશ્નોને પૂજ્યશ્રીએ વીતરાગી વાણીની સચોટતાથી અને નિર્ણાયકતાથી વ્યક્ત કર્યા. ભૂ-ભ્રમણ શોધ સંસ્થાન' નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા સં. ૨૦૨૪થી મહેસાણામાં કાર્યરત છે. પૂજ્યશ્રીએ આ અંગે દેશવિદેશના વિજ્ઞાનીઓ સાથે પત્રવ્યવહાર કર્યો. પરિણામે, તેઓશ્રીને વિશ્વની અનેક સંસ્થાઓએ સભ્યપદ એનાયત કર્યાં. આવી સંસ્થાઓમાં— અમેરિકાની નેશનલ જ્યોગ્રોફિકલ સોસાયટી, મુંબઈની એશિયાટિક સોસાયટી, દિલ્હીની ઓલ ઇન્ડિયા સાયન્સ ટીચર્સ એસોસિયેશન અને હૈદ્રાબાદની ડેક્કન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓબ્ઝવેટરી જેવી જાણીતી અનેક સંસ્થાઓએ પૂજ્યશ્રીને સભ્યપદ આપીને સમ્માન્યા હતા. તેઓશ્રીએ ઘણાં વર્ષો જંબૂદ્વીપ, જૈન ખગોળ અને આધુનિક શોધખોળો વચ્ચે શું તફાવત છે તે દર્શાવવામાં ગાળ્યાં હતાં. અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી વગેરે ભાષાઓમાં પુસ્તકો પ્રગટ કરીને પોતાની માન્યતાઓનો બહોળો પ્રચાર કરાવ્યો. યુનિવર્સિટીઓ, કોલેજો, હાઇસ્કૂલો આદિમાં પ્રવચનો આપી, વિજ્ઞાને આપેલા આધાતોને ધર્મશ્રદ્ધાની ભૂમિકા પર સુનિશ્ચિત કર્યા. આવી અવિરત ચાલતી વિશ્વવ્યાપી વિશાળ પ્રવૃત્તિઓ વચ્ચે પણ તેમની તપસાધના અને ધર્મ-આરાધના અખંડ ચાલ્યા કરતી. ધર્મશાસ્ત્રોના અવિરામ અધ્યનનમાં તેઓશ્રી એક્કા હતા. શાસ્ત્રાધ્યયન માટે ગુજરાતી, હિન્દી, પ્રાકૃત, અર્ધમાગધી, સંસ્કૃત, ઉર્દૂ, અંગ્રેજી, મરાઠી આદિ ભાષાઓ પર તેમનું પ્રભુત્વ હતું. પૂજ્યશ્રીએ રચેલા ગ્રંથોમાં પણ આગવી દૃષ્ટિ જોવા મળે છે. તેઓશ્રીએ ચિંતન-મનનને અંતે જે ગ્રંથો લખ્યા તેમાં ‘શ્રમણ જીવનચર્યા દર્શન’, ‘આગમરહસ્ય’, ‘ભૂગોળ-ખગોળ સંબંધી સ્વચિંતન’, ‘પરમાત્મભક્તિ’, ‘ભટેવા પાર્શ્વનાથ સ્મારક ગ્રંથ', ‘આગમજ્યોતિર્ધર’ (ભાગ ૧-૨), ‘તત્ત્વજ્ઞાનસ્મારિકા' આદિ મુખ્ય છે. એ ઉપરાંત, પૂજ્યશ્રીએ મધ્યકાલીન ગુર્જર જૈનસાહિત્યમાંથી ‘ભક્તિરસ ઝરણાં' નામે બે ભાગમાં દળદાર ગ્રંથોનું સંપાદન કરીને, જૈન ધર્મની સ્તવન-ચોવીશીની અધિકૃત વાચના આપી. અનેક સ્થળોએ આપેલા સદુપયોગથી સંખ્યાબંધ ભાવિકો સદ્માર્ગે વળ્યા. પરિણામે, ૩૩ શિષ્યો-પ્રશિષ્યોનો વિશાળ પરિવાર ખડો કરી શક્યા. પૂજ્યશ્રીએ વેજલપુરમાં Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy