SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રેરણા આપી હતી. અંતકાળે પૂજ્યશ્રી ગિરિરાજ ઉપર દેવાધિદેવ સમ્મુખ પૂ. સાધ્વીજી મહારાજોના મુખે નમસ્કાર મહામંત્ર શ્રવણ કરતાં કરતાં સં. ૨૦૨૯ના ફાગણ સુદ પાંચમે કાળધર્મ પામ્યા. તેઓશ્રીનો અગ્નિ-સંસ્કાર ઘેટી ગામે કરવામાં આવ્યો હતો. અનેક પુણ્યશાળી જીવોને યાત્રાનું માહાત્મ્ય દર્શાવનાર એ મુનિરાજને કોટિ કોટિ વંદના! (સંકલન : શાંતિલાલ સુંદરજી પરિવાર, શિહોર (મુંબઈ) ). આકૃતિથી અનોખા, પ્રકૃતિથી પ્રભાવશાળી, કૃતિથી કામણગારા, એક એકથી અધિકી અજોડતાના અવતાર, આ યુગના યોગી, પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર આ મહાપુરુષનો જન્મ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનાં પવિત્ર ચરણકમળોથી પાવન બનેલી પાટણ નગરીમાં વિ. સં. ૧૯૫૯ના માગસર સુદી ૩ ના મંગલ પ્રભાતે શેઠશ્રી હાલાભાઈ મગનભાઈના ધર્મપત્ની ચૂનીબહેનની કુક્ષિએ થયો હતો. કોને ખબર હશે કે આ આજે જન્મેલો બાલશિશુ જૈન શાસનનો એક તેજસ્વી રત્ન બની જશે. બાલકનું નામ ભગવાનદાસ રાખવામાં આવ્યું હતું. પિતાશ્રી હાલાભાઈનો વ્યાપાર મુંબઈ હોવાને કારણે એમનો બાલ્યકાળ મુંબઈ અને પાટણમાં વ્યતીત થયો. કોઈ પૂર્વજન્મના ઉત્તમ સંસ્કારોને કારણે નાનપણથી જ ભગવાનદાસભાઈ પ્રભુપૂજા, માતા-પિતાને પ્રણામ, ધાર્મિક અભ્યાસ, રાત્રિ ભોજન ત્યાગ, કંદમૂલાદિના ત્યાગનું પાલન કરતા હતા. ૧૬ વર્ષની વયમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા પછી ધંધામાં જોડાયા. ધંધાની સાથે સાથે જ ગોડીજી પાઠશાળા આદિમાં પંચપ્રતિક્રમણ, મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મ.ના ગુર્જર સાહિત્યનો સારા પ્રમાણમાં અભ્યાસ કરેલો. ઉપરાંત પ્રકરણો તથા સંસ્કૃત વગેરેનો પણ અભ્યાસ કર્યો હતો. માતાપિતાદિ વડીલોના દબાણથી લગ્નગ્રંથિમાં પણ જોડાવું પડ્યું હતું. સંવત ૧૯૮૨ માં સકલાગમરહસ્યવેદી આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજશ્રી પોતાના શિષ્ય-પ્રશિષ્ય પરિવારાદિ સાથે મુંબઈ પધાર્યા અને ત્યાં પૂ.પાદ મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજના વૈરાગ્ય ભરેલાં પ્રવચનો સાંભળ્યા પછી આ સંસારનાં બંધનોમાંથી વહેલી તકે છૂટી જવા માટે અવસરની શોધમાં હતા. ભગવાનદાસભાઈની અત્યંત વૈરાગ્ય ભાવના અને Jain Education International For Private ચતુર્વિધ સંઘ મક્કમતા જોઈ સ્વજનોએ પણ ખુશીથી દીક્ષાની રજા આપી અને ખૂબ જ ધામધૂમપૂર્વક પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મહારાજશ્રીનાં વરદ હસ્તે મુંબઈમાં ભાયખલા મુકામે બીજા ચાર મુમુક્ષુઓની દીક્ષાઓની સાથે સંવત ૧૯૮૭ના કાર્તિક વદ ૩ ના દિવસે ભગવાનદાસભાઈએ દીક્ષા અંગીકાર કરી અને એજ પ્રસંગમાં પ.પૂ. મુ. શ્રી પ્રેમવિજયજી મ. સા.ને ઉપાધ્યાયપદવી અને પ. પૂ. શ્રી રામવિજયજી મ.ને પણ પંન્યાસ પદવીથી અલંકૃત કરવામાં આવેલ હતા. નવદીક્ષિત મુનિશ્રીનું નામ ‘મુનિશ્રી ભદ્રંકરવિજયજી મહારાજ' રાખવામાં આવ્યું અને પ. પૂ. પંન્યાસજી મ. શ્રી રામવિજયજી ગણિવર્યના શિષ્ય તરીકે જાહેર થયા. ભોગી મટી યોગી બન્યા, અગારી મટી અણગાર બન્યા. દીક્ષા ગ્રહણ કર્યા પછી વિશુદ્ધપણે ચારિત્ર-પાલન પૂર્વક જ્ઞાનધ્યાનની સાધનામાં તેઓશ્રી તલ્લીન બની ગયા અને થોડાં જ વર્ષોમાં પૂર્વાચાર્યો રચિત મહાન શાસ્ત્રોના ગૂઢ અને ગંભીર રહસ્યોને સમજી તદનુરૂપ જીવન જીવવા લાગ્યા. ખરેખર જ્ઞાનને પચાવવું ઘણું જ અઘરું કામ છે, પરંતુ આ મહાપુરુષ શાસ્ત્રોના પદાર્થોના બોધને પોતાના જીવનમાં પચાવી ખૂબ જ ગંભીર બન્યા હતા. સૌ પ્રત્યે વાત્સલ્યભાવને કારણે એ સ્વ-પર બધા સમુદાયોમાં પ્રિયપાત્ર બની ગયા. એ મહાપુરુષમાં બીજાને સંયમમાં સ્થિર કરવાની અદ્ભુત કલા હતી. કર્મના ઉદયથી અસ્થિર બનેલા અનેક આત્માઓને એમણે સ્થિર બનાવ્યા છે. ગંભીરતાના તો દરિયા હતા અને એ કારણે જ એમની પાસે અનેક આરાધક આત્માઓ આવીને નિખાલસપણે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરતા હતા. વાત્સલ્ય અને પ્રશમભાવનાના તો સાગર હતા. એક નાનામાં નાની વ્યક્તિ સાથે વાતચીત કરવામાં એમને સંકોચ ન હતો. કષાયો તો એઓશ્રીના જીવનમાં ભાગ્યે જ જોવા મળે. એમણે પોતાના જીવનમાં નમસ્કારમહામંત્રની અપૂર્વ આરાધના કરી અને બીજાને કરાવી છે. અનેક ગામો અને તીર્થભૂમિઓમાં વિધિપૂર્વક લાખ નવકાર જાપના અનુષ્ઠાન કરાવી સકલ સંઘમાં મહામંત્રના જાપ અને ધ્યાનનો ફેલાવો કર્યો છે. જાપ અને ધ્યાનની સાથે આધ્યાત્મિક ભૂમિકામાં પણ એ મહાપુરુષ ખૂબ જ આગળ વધેલા હતા. નમસ્કારમહામંત્ર અને નવપદ ઉપર ખૂબ જ ચિંતન અને અનુપ્રેક્ષા કરી શાસ્ત્રોના રહસ્યને પ્રકટ કરનારા અનેકવિધ ગ્રંથરત્નોની તેઓશ્રીએ શાસનને ભેટ ધરી છે. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy