SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા. ૧૧ યોગ અને ન્યાય ગ્રંથોના રચયિતાઓ –આ. શ્રી અભયશેખરસૂરિજી મ.સા. શાસનપતિશ્રી વીરપ્રભુએ ત્રિપદી આપી. ગુણવંતા શ્રી ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી.....તે તે કાળે આવશ્યકતા મુજબ અન્યાન્ય મહાત્માઓએ અને શ્રમણભગવંતોએ મા સરસ્વતીની કૃપાથી અસંખ્ય ગ્રંથોની રચના કરી છે તે ખરેખર તો અદ્ભુત છે. દ્વાદશાંગીને અનુસરીને અલગ અલગ ગ્રંથો રચાયા. વર્તમાનમાં ઉપલબ્ધ ગ્રંથોમાં યોગ વિષયક ગ્રંથો તરીકે લગભગ પડદર્શનવેત્તા સુરિપુરંદર શ્રી હારિભદ્રસૂરિજી મહારાજ, પંજિકાકાર શ્રી મુનિચન્દ્રસૂરિજી મહારાજ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજ, મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિવર આદિના ગ્રંથો મળે છે. જ્યારે ન્યાય ગ્રંથો તરીકે મળતા ગ્રંથોમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીથી લઈને અનેક ગ્રંથકારોનો મૂલ્યવાન ફાળો છે અને એ શાસનપ્રભાવકોનાં જીવન અને સાહિત્યની વિપુલ માહિતી મળે છે. આ લેખમાળામાં જે પૂજ્યોનાં શુભનામો દર્શાવ્યાં છે તે સૌનાં સમગ્ર જીવન અને સકલ સાહિત્યનો વિવેચનાત્મક પરિચય આપવો હોય તો પ્રત્યેક ઉપર આ ગ્રંથ કરતાં પણ મોટો ગ્રંથ તૈયાર કરી શકાય, પણ કેટલાક મહાત્માઓનો માત્ર સંક્ષેપમાં જ પરિચય આપવાનો પ્રયાસ થયો છે. પડદર્શનમાં શ્રી જૈનદર્શન સર્વોપરી છે જ. આ સર્વોપરિતાની પ્રતીતિ સમ્યક્દર્શનની નિર્મળતાનું પ્રબળ કારણ બનવા પૂર્વક સમ્યગુ જ્ઞાન-સમ્યગુ ચારિત્રને પણ પ્રબળ કરે જ છે, એટલે મોક્ષમાર્ગની દઢતામાં પ્રાણ પૂરનાર આ ન્યાયગ્રંથના રચયિતાઓનો ઉપકાર જેટલો માનીએ તેટલો ઓછો છે. બીજું કાંઈ નહીં, તો છેવટે તેઓ પ્રત્યે આદર, અહોભાવ અને કૃતજ્ઞતાની લાગણી સાહજિક અને સર્વાધિક બની રહે એ ઉદ્દેશ્યથી આ લેખમાળા પ્રસ્તુત કરવામાં આવી છે. લેખમાળા રજૂ કરનાર ૫.પૂ. આ.શ્રી અભયશેખરસૂરિજી મહારાજ વર્ધમાનતપોનિધિ તરીકે ખ્યાતિપ્રાપ્ત પૂ. આ.શ્રી ભુવનભાનુસૂરિજી મ.ના સમુદાયના એક પ્રભાવક આચાર્ય તરીકે જાણીતા છે. જૈનસાહિત્યના ઊંડા અભ્યાસી છે. અનેક ગ્રંથોની રચના કરી છે. સ્વયં ન્યાયના પ્રશસ્ય જ્ઞાતા છે. આ લેખમાળામાં રજૂ થયેલા પરિચયો સર્વેને યોગ અને ન્યાય અભ્યાસ પરત્વેની સુધા જાગૃત કરાવવામાં અને જૈનશાસનમાં પણ વિદ્યમાન વાદકર્તા-ન્યાય વિશારદોની બુલંદી પરત્વે અહોભાવ ઉત્પન્ન કરવામાં ચાવી રૂપ – સંપાદક શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ જરૂર પડે તો ઓછા-વત્તા દોષ સેવીને પણ જેમના “સમ્મતિસાહિત્યવિષયક વિચારના કારણે એકબાજ પારાંચિત તક' ગ્રન્થને ભણવાની ભલામણ..... પ્રાયશ્ચિત્ત.... તો બીજી બાજુ શ્રી હરિભદ્રસૂરિ મ. દ્વારા એક બાજુ મોટા મોટા સમ્રાટો પાસે પણ માનાકાંક્ષા શ્રુતકેવલી’ તરીકે શ્રી હેમચન્દ્રસૂરિ મ. દ્વારા અનુસરેનાથઃ બીજી બાજુ સ્વગુરુ ભગવંત પ્રત્યે કે શ્રી સંઘ પ્રત્યે પારાંચિત એમ કવિકુલગ્રણી તરીકે, ને અન્ય પણ અનેક ગ્રન્થકારો દ્વારા પ્રાયશ્ચિત્ત સુદ્ધાંનો સ્વીકાર કરાવે એવી નમ્રતા. યહ તુતિઃ ....એવો ઉલ્લેખ. એકબાજુ આગમિક પરંપરાને આવા અનેકવિધ વિરોધી વ્યક્તિત્વનો સરવાળો એટલે વરેલા શ્રી જિનભદ્રગણિ-ક્ષમાશ્રમણ દ્વારા જેમનું જોરદાર ખંડન કુમુદચન્દ્ર એવા મૂળનામને ધારણ કરનારા શ્રી સિદ્ધસેન તો બીજી બાજુ એ જ પરંપરામાં થયેલા જિનદાસ મહત્તર દ્વારા, દિવાકરસૂરિ મહારાજ. પરંપરા પ્રમાણે વિક્રમ સંવત પ્રવર્તક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy