SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા નંદિષેણજી ભ. નેમિનાથ ગણધર હતા કે શ્રેણિકરાજાના પુત્ર હતા કે કોઈ અન્ય એનો નિર્ણય નથી થયો......પણ, ભક્તિની શક્તિ અજોડ છે એ નિર્ણય તો થઈ જ ગયો છે! આ. યશોભદ્રસૂરિજી બ્રાહ્મણવાડા પાસે આવેલા પલાસી ગામમાં આ. ઈશ્વરસૂરિ આવ્યા. પુણ્યસાર શેઠના દીકરા સુધર્માને દીક્ષા આપી. બાલમુનિ યશોભદ્ર બનાવ્યા. ૧૧ વર્ષની વયે એમને આચાર્યપદ આપવામાં આવ્યું. બદરીદેવી આ વખતે હાજર રહેલા. * એમની આચાર્ય પદવી થઈ તે વર્ષમાં જ વિ. સં. ૯૬૮માંજ એમના હાથે પ્રતિષ્ઠાઓ થવાની શરૂ થયેલી. એના શિલાલેખ પણ મળે છે. આચાર્યપદવી દિનથી છ વિગઈત્યાગ અને આઠ કોળિયા જ લેવાનો આજીવન નિયમ લીધેલો. * વૈક્રિય શક્તિ દ્વારા અનેક રૂપ કરવાની એમની શક્તિ હતી. કરેડા, કવિલાણક, સાંભર અને ભેસર આ ચાર ગામમાં એક જ દિવસે એક જ મુહૂર્તે આચાર્યશ્રીના હાથે પ્રતિષ્ઠા થયેલી. આમાં કવિલાણકમાં પુષ્કળ જનમેદની એકઠી થતાં પાણી ખૂટી પડ્યું. આચાર્યશ્રીએ નખથી સહેજ ખોદ્યું ને પાણીનો અખૂટ સ્રોત ચાલુ થયો. વિ. સં. ૧૬૮૩માં રચાયેલા ઉપદેશરત્નાકરમાં લખ્યું છે કે આજે પણ ‘નખસુત' કૂવો વિદ્યમાન છે. * વિ. સં. ૯૬૯માં સાંડેરાવમાં પ્રતિષ્ઠા પ્રસંગે ઘી ખૂટ્યું. આચાર્યશ્રીએ મંત્ર બળે પાલીથી ઘી લાવી દીધું. પછી ઘીના પૈસા ચૂકવવા સંઘના શ્રાવકો ગયા ત્યારે જ ઘીના વેપારી ધનાવહને ખબર પડેલી. ઘીની રકમના નવલાખ રૂ।.માંથી બનેલું વિશાળ જિનાલય આજે પણ નવલખા પાર્શ્વનાથમંદિર તરીકે વિખ્યાત છે. * સંઘ સાથે પાટણ પધારેલા આ. યશોભદ્રસૂરિને રોકવા રાજા મૂલરાજે ઓરડામાં પૂરી દીધા છતાં આચાર્યશ્રી સંઘ સાથે પ્રયાણમાં જોડાઈ ગયા. * ગિરનાર સંઘ પહોંચ્યો ત્યારે નેમનાથ ભ.નાં ચોરાયેલાં આભૂષણો મંત્રબળે પાછાં લાવ્યા. * પાલી ચાતુર્માસ દરમ્યાન આચાર્યશ્રી રોજ સૂર્યમંદિર પાસે થઈ સ્થંડિલભૂમિ જતા. મંદિરમાં પગલાં કરાવવા વરસાદ દેવે વિષુવ્યો. વરસાદથી બચવા સૂર્યમંદિરમાં આચાર્યશ્રી પધાર્યા. દેવ પ્રત્યક્ષ થયો. નમન કરીને મંત્રપોથી ભેટ ધરી. આચાર્યશ્રી કહે, “ઉપયોગી લાગશે તો રાખીશ અન્યથા પાછી મોકલીશ.” મુકામે જઈ ઉપયોગી મંત્રો નોંધી બાલમુનિને આપી. Jain Education International For Private ૧૧૩ સૂર્યમંદિરમાં પરત કરજો. કહેજો આ “મંત્રપોથી અધિકારીના હાથે ચડે તો અનર્થ થાય માટે પાછી મોકલી છે.” બલભદ્રમુનિએ જિજ્ઞાસાવશ પોથી ખોલી. કેટલાંક પાનાં લઈ લીધાં. બાકીની પોથી પરત કરી, પણ બહાર નીકળ્યા તો લીધેલાં પાનાં ગુમ! મુનિ રડવા લાગ્યા. ગુર્વાજ્ઞાભંગ કર્યો ને કંઈ મળ્યું નહીં. સૂર્યદેવે પ્રગટ થઈ મુનિને મંત્ર-પત્રો આપ્યા. એક દિવસ બલભદ્રમુનિ સંજીવની મંત્રનો પાઠ કરતા હતા ત્યારે ત્યાં પડેલી બકરાની લીંડીમાંથી બકરાઓ બની બે બે કરવા માંડ્યા. આ. યશોભદ્રસૂરિએ આ જોયું. મુનિને ઠપકો આપ્યો. “આ જુઓ તમારા પ્રમાદના કારણે આ બકરાઓ ઉત્પન્ન થયા છે. હવે આ બધાને લઈ જંગલમાં જાવ. આ બધાનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી સાચવવાની જવાબદારી તમારી છે. પછી પુનઃ સંઘમાં આવી જજો.'' મુનિ ગુપ્તવેશે જંગલમાં બકરાઓ લઈ ચાલી નીકળ્યા. આ. યશોભદ્રસૂરિ અને એક તપેસરજી વચ્ચે આકાશમાર્ગે મંદિર લાવે તે જીતે એવો નિર્ણય નાડલાઈની રાજસભામાં થયો. ખેડ (નાકોડા પાસે)થી આ. યશોભદ્રસૂરિએ ઋષભદેવ મંદિરને ઉપાડ્યું. તપેસરજી પાછળ રહી ગયા એટલે એમણે કૃત્રિમ કુકડાનો અવાજ કર્યો. આ. યશોભદ્રસૂરિએ નાડલાઈના દરવાજે અને તપેસરજીએ ગામમાં મંદિર લાવ્યા. આજે આ બન્ને મંદિરો નાડલાઈમાં છે. એક દુહામાં જણાવ્યું છે સંવત દશ દહોત્તરે, વદિયા ચોરાસી વાદ, ખેડ નગરથી લાવિયો, નાડલાઈ પ્રાસાદ. (લાવણ્ય સમય રચિત યશોભદ્રસૂરિ રાસ.) વાદીવેતાલ શાંતિસૂરિ મ. સા. થારાપદ્રગચ્છીય આ. વિજયસિંહસૂરિ રાધનપુર પાસે આવેલા ઉણ ગામમાં પધાર્યા. ધનશેઠના દીકરા ભીમે વૈરાગ્યવાસિત બની દીક્ષા લીધી. ભણી-ગણીને વિદ્વાન બન્યા. આ. શાંતિસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. આ બાજુ ભોજરાજાની સભાના મુખ્ય પંડિત ધનપાલે ‘તિલકમંજરી’ નામની અદ્ભુત સાહિત્યિક કૃતિ રચી. આ રચનાનું સંશોધન કરાવવા માટે આ. મહેન્દ્રસૂરિએ આ. શાન્તિસૂરિનું નામ સૂચવ્યું. પં. ધનપાલની વિનંતીથી આ. શાંતિસૂરિ ધારા નગરીમાં પધાર્યા. ભોજરાજાએ ભવ્ય સ્વાગત કર્યું અને કહ્યું “મારા જેટલા વાદીને આપ જીતશો એટલા લાખ રૂા. હું ખર્ચીશ. જોતજોતામાં ૮૪ વાદીઓ જિતાઈ ગયા. ભોજે તેમ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy