SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર અનુકૂળ ઉપસર્ગ કરવા લાગ્યો, તેવામાં તો તેને નિર્મળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે દેવતાઓએ આવીને કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો; અને તેના મસ્તક ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. તે જોઈ વિદ્યાધરકુમાર હૃદયમાં વિસ્મય પામેલો તેમના મુખની સામું જોઈ રહ્યો. અવસરે કેવળી બોલ્યા કે–“તું પ્રથમ ખેચર થઈને પછી મારી સાથે દેવલોકમાં પણ વસ્યો હતો, ત્યાંથી ચ્યવીને પાછો ખેચર થયો છે; તથાપિ તું મારી સાથેના સ્નેહને છોડતો નથી, પરંતુ હે મહાશય ! હવે સંસારના કારણરૂપ મોહને છોડી દે, અને એકચિત્ત થઈને ધર્મને વિષે ઉદ્યમ કર.” આવાં કેવળીનાં વચનો સાંભળીને તેને પૂર્વ જન્મનો સંબંધ યાદ આવ્યો. તેથી તત્કાળ તે સંવેગને પામ્યો અને તેણે પોતાના કેશનો પોતાના હાથે જ લોચ કર્યો. પછી કેવળીના ચરણમાં નમીને બોલ્યો કે “હે ભગવતી ! તમે અંગીકાર કરેલ વચન સત્ય કર્યું છે. વળી મને પ્રતિબોધ પમાડીને મારો પ્રત્યુપકાર પણ કર્યો છે.” આ પ્રમાણે કહીને તે ખેચરે તરત જ જૈન દીક્ષા ગ્રહણ કરી. પછી ઉગ્ર તપ વડે કર્મનો ક્ષય કરીને તે શાશ્વત સ્થાન(મોક્ષ) ને પામ્યા. આર્યા મદમાવળી પણ કેવળી પર્યાયને પાળી અનેક ભવ્યજનોને પ્રતિબોધ પમાડી શાશ્વત સુખને પ્રાપ્ત થયા. “અગર, ચંદન, કપૂર તથા બીજા સુગંધી દ્રવ્યો વડે જે શ્રીજિનેશ્વર ભગવંતની પૂજા કરે છે તે મદનાવણીની જેમ ઇંદ્રોથી પૂજાય છે.” ગંધપૂજાના વિષયમાં જયસૂર અને મદનાવળીનું પહેલું કથાનક સંપૂર્ણ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy