SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ધૂપપૂજાવિષે વિનયંધરની કથા જે પુરુષ કસ્તુરી, ચંદન, અગર, કપૂર અને સુગંધી ગંધવાળા ધૂપથી શ્રીજિનચંદ્રની પૂજા કરે છે તે પુરુષ દેવતાઓના સ્વામી ઇંદ્રોથી પૂજાય છે. પૂર્વે વિનયંધર નામે કુમાર શ્રીજિનેશ્વરની ધૂપપૂજા વડે ભક્તિ કરવાથી દેવ અને મનુષ્યોને પૂજવા યોગ્ય થઈ સાતમે ભવે મોક્ષસુખ પામ્યો હતો તેની કથા આ પ્રમાણે– શ્રીપોતનપુર નામના નગરમાં વજસિંહ નામે રાજા રાજ્ય કરતો હતો. ચોતરફ પોતાના પ્રતાપને પ્રસારતો તે રાજા શત્રુરૂપ ગજેન્દ્રોમાં સિંહ જેવો હતો. તેના સર્વ અંતઃપુરમાં હૃદયને હરનારી કમળા અને વિમળા નામે બે રાણીઓ હતી. નિર્મળ ગુણવાળી તે બન્ને રાણી જાણે રાજાની જયપતાકા હોય તેવી લાગતી હતી. અન્યદા તે બન્ને રાણીના ઉદરથી કમળ અન વિમળ નામે બે સુંદર અંગવાળા પુત્રો દૈવયોગે એક જ દિવસે જન્મ્યા. આથી વિસ્મય પામીને રાજાએ કોઈ નિમિત્તિયાને પૂછ્યું કે “આ એક સાથે જન્મેલા બે પુત્રોમાં મારા રાજયપદને યોગ્ય ક્યો પુત્ર થશે? વિમળારાણીએ સેવાભક્તિથી વશ કરેલા તે નિમિત્તિયાએ કહ્યું કે “તમારી કમળારાણીનો પુત્ર જો રાજયપદે આવશે તો તમારું સર્વ રાજય નાશ પામી જશે. બાકી તમારી વિમળારાણીનો પુત્ર સર્વ લક્ષણો તથા ગુણોથી યુક્ત છે અને તેના શરીર પર નિર્મળ ગુણરત્નો જણાય છે; માટે તે કુમાર તમારા રાજયનો ધુરંધર થવાને યોગ્ય છે.” નિમિત્તિયાનાં આવાં વચનથી પ્રછન્ન ક્રોધથી પ્રજવલિત થયેલા રાજાએ કમળાના કુમાર કમળને અરણ્યમાં મૂકી દેવા માટે પોતાના પુરુષોને આજ્ઞા કરી. તેઓ રાત્રીએ કમળાની પાસે આવ્યા અને રુદન કરતી એવી કમળાના Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy