SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ગંધપૂજાવિષે જયસૂરરાજાની કથા ૧૨૭ પાછું તે હાથમાં આવ્યું, તો પછી ક્યો વિચક્ષણ પુરુષ તેને છોડી દે ?' રાણી બોલી–“હે સ્વામી ! તમારું હૃદય હું જાણું છું, તો પણ મને પ્રતિબંધ કરો નહીં; કારણ કે સંયોગ અને વિયોગ તો આ સંસારમાં કોને નથી થતાં ?' અત્યંત સ્નેહના મોહથી મૂઢ થયેલો રાજા તેનો ઉત્તર આપવા વિચાર કરતો હતો તેવામાં તો તેણીએ તત્કાળ ગુરુમહારાજ પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. તે જોઈ અશ્રુજળથી જેનાં નેત્ર પૂરાઈ ગયાં છે એવો રાજા પ્રથમ મુનિવરને નમીને પછી ગદ્ ગદ્ વાણી વડે બોલતો મદનાવલીને પણ નમ્યો; અને પુનઃ ગુરુના મુખથી ધર્મ સાંભળી પોતાને ઘરે આવ્યો. પછી વિશેષપણે જૈનધર્મ આચરવા લાગ્યો. - આર્યા મદનાવલી પણ બીજી આર્યાઓની સાથે વિહાર કરવા લાગી અને શુદ્ધ ભાવથી ઉગ્ર તપસ્યા કરવા લાગી. પેલો દેવતા સ્વર્ગલોકમાંથી ઍવીને પવન નામના ખેચરનો પુત્ર થયો. તેનું નામ મૃગાંક પાડવામાં આવ્યું. અનુક્રમે તે યૌવનગુણથી સંપન્ન થયો. એક વખતે આર્યા મદનાવલી રાત્રે પોતાના આશ્રમના દ્વાર આગળ નિશ્ચળ ધ્યાનમાં રહેલી હતી, તે વખતે દિવ્ય વિમાનમાં બેસીને આકાશમાર્ગે જતા મૃગાંકકુમારના જોવામાં આવી. સુવર્ણ તથા મણિમય આભૂષણોથી જેનું શરીર વિભૂષિત છે એવો તે કુમાર પોતાની વિદ્યાધરપણાની સમૃદ્ધિને દર્શાવતો મદનાવણીની પાસે આવીને કહેવા લાગ્યો કે-“હે કૃશોદરી ! આવું ઉગ્ર તપ શા માટે કરે છે ? જો તને ભોગસુખની ઇચ્છા હોય તો હું કહું તે સાંભળ. હું મૃગાંક નામે ખેચરકુમાર છું અને રત્નમાળાનું પાણિગ્રહણ કરવા માટે જાઉં છું. માર્ગે જતાં તું મારા જોવામાં આવી છે તો આ ઉત્તમ વિમાનમાં તું બેસી જા. મારે રત્નમાળાનું કાંઈ કામ નથી. તું મારી સાથે ખેચરનગરમાં આવીને ઉત્તમ સુખભોગ ભોગવ.” આ પ્રમાણે અનેક જાતનાં ખુશામત ભરેલાં વચનો તેણે કહ્યા તથાપિ મેરુપર્વતની ચૂલિકાની જેમ મદનાપળી આર્યા પોતાના સત્ત્વથી જરા પણ ચલાયમાન થયા નહીં. જેમ જેમ પૂર્વ જન્મના સ્નેહવડે વિદ્યાધરકુમાર તેની આગળ કામવિકાર દર્શાવવા લાગ્યો, તેમ તેમ તે ગુરુસત્ત્વ વડે શુભ ધ્યાનમાં વિશેષ આરૂઢ થતી ગઈ. પછી મોહથી મૂઢ થયેલો તે વિદ્યાધરકુમાર તેને Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy