SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૬ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર આવીને ખબર આપ્યા કે – હે દેવ ! આપણા મનોરમ નામના ઉદ્યાનમાં અમરતેજ નામના મુનિપતિને લોકાલોકનો પ્રકાશ કરનારું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.” તે સાંભળી હૃદયમાં અત્યંત હર્ષ પામેલી દેવીએ રાજાને કહ્યું – “હે સ્વામી ! ચાલતા મહોત્સવમાં આ પરમ મહોત્સવ થયો છે, માટે આપણા સર્વ નગરજનોને લઈને તેમની સમીપે વંદન કરવા જવું યોગ્ય છે.' રાજાએ તે વાત કબૂલ કરી અને તે સર્વ પરિવાર સાથે મુનિવરની પાસે આવ્યો. પછી કેવળી ભગવંતના ચરણકમળમાં પરિજન સહિત નમસ્કાર કરીને ધર્મ સાંભળવા માટે તેમના ચરણની સમીપ બેઠો. મુનિરાજે દેશના દેવા માંડી. દેશનાને અંતે યોગ્ય અવસર જોઈને મદનાપળીએ મુનિરાજને પૂછ્યું કે “હે ભગવન્! જેણે મને દુઃખીને પ્રતિબોધ આપ્યો તે શુકપક્ષી કોણ હતો ? મુનીશ્વર બોલ્યા- “હે ભદ્ર ! એ તારો પૂર્વભવનો સ્વામી દેવતા હતો, તે તીર્થકર ભગવંત પાસેથી તારું સવિશેષ ચરિત્ર સાંભળીને તારાં દુઃખનો નાશ કરવા સારું કીર યુગલનું રૂપ ધારણ કરીને તેને પ્રતિબોધ કરવા આવ્યો હતો. રાણીએ સંતુષ્ટ થઈ પુનઃ પૂછ્યું કે “હે ભગવન્! આ દેવતાઓના સમૂહમાં તે દેવ જો હોય તો મને બતાવો. મારા મનમાં તેમને જોવાનું કૌતુક છે.” કેવળી બોલ્યા “ભદ્ર ! જો આ મણિરત્નમય કુંડળના આભૂષણવાળો જે દેવતા તારી આગળ બેઠો છે તે તારા પૂર્વ ભવનો સ્વામી છે.” પછી રાણી તે દેવતાની પાસે જઈને બોલી કે–‘તમે મને પ્રતિબોધિત કરી તે ઘણું સારું કર્યું. તમારા ઉપકારનો બદલો વાળવાને હું સમર્થ નથી.” તે દેવતા બોલ્યો-“હે ભદ્ર ! આજથી સાતમે દિવસે હું અહિંથી ચ્યવીને ખેચરનો પુત્ર થઈશ, તેમાં જરા પણ સંદેહ નથી. તે વખત તારે આવીને મને પ્રતિબોધ આપવો.” રાણીએ તે વચન અંગીકાર કર્યું, અને કહ્યું કે “જો મને જ્ઞાન થશે તો હું જરૂર તમને પ્રતિબોધ કરીશ. તે વિષે મનમાં જરા પણ શંકા રાખશો નહીં.” આ પ્રમાણેનો ઉત્તર સાંભળીને તે દેવ બીજા દેવતાઓની સાથે પોતાના સ્થાનકે ગયો. દેવના ગયા પછી રાણીએ મધુર વચને રાજાને કહ્યું કે “હે નાથ ! મેં પ્રથમ દેવ સંબંધી સુખ ભોગવ્યું, વળી તમારી સાથે મનુષ્ય સંબંધી સુખ પણ ભોગવ્યું, હવે હું સર્વ દુઃખનો ક્ષય કરવા ઇચ્છું છું, માટે દીક્ષા લેવાની મને રજા આપો.” રાજા બોલ્યો કે–દેવયોગે હાથમાં આવેલું રત્ન પડી ગયું અને Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy