SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ ગંધપૂજાવિષે જયસૂરરાજાની કથા અને મદનાવળી થવું- ત્યાં સુધી શુભમતિ રાણીનું સર્વ ચરિત્ર તેણે કહી સંભળાવ્યું. આ પ્રમાણે પોતાનું પૂર્વ ભવનું ચરિત્ર સાંભળીને મદનાવળીને જાતિસ્મરણ થવાથી તેને પૂર્વ જન્મનું સ્મરણ થઈ આવ્યું અને તે પોતાના આત્માની નિંદા કરવા લાગી. પછી તેણીએ મનમાં ચિંતવ્યું કે “આ શુક પક્ષીએ મારું જ સર્વ ચરિત્ર કહ્યું છે, હવે આગળ તે શું કહે છે તે સાંભળું.” એવામાં પક્ષિણી બોલી કે “હે નાથ ! તે મદનાવણી હમણા ક્યાં રહે છે ?' શુક બોલ્યો-“ભદ્ર ! જો, આ તારી આગળ પલંગ પર બેઠેલી છે તે મદનાવલી જ છે. તે મૂઢ સ્ત્રીએ પૂર્વભવે સાધુની જે દુર્ગચ્છા કરી હતી, તેથી આ ભવમાં તેનું શરીર અત્યંત દુગચ્છા ઉપજે તેવું થઈ ગયું છે. હવે જો તે સાત દિવસ સુધી ત્રણ કાળ ઉત્તમ ગંધ વડે શ્રીજિનેશ્વરની પૂજા કરે તો આ દુઃખમાંથી મુક્ત થાય તેમ છે.” મદનાવલીએ આ પ્રમાણે પોતાનું દુઃખ દુર થવાનો ઉપાય સાંભળવાથી પ્રસન્ન થઈને પોતાના સર્વ આભરણો તે શુકમિથુન તરફ નાખ્યા. એટલામાં તો તે શુકપક્ષીનું મિથુન તત્કાળ અદશ્ય થઈ ગયું. તે જોઈ વિસ્મય પામીને રાણી ચિંતવવા લાગી કે “આ શુકપક્ષીએ મારું ચરિત્ર શી રીતે જાયું તેની ખબર પડતી નથી; તેથી તેનો વિશેષ વૃત્તાંત કોઈ જ્ઞાની મળશે તો પૂછી જોઈશ. પરંતુ તેના કહેવા પ્રમાણે હું શુદ્ધ બુદ્ધિ વડે શ્રીજિનેન્દ્રભગવંતની ગંધ પૂજા કરું.” આ પ્રમાણે ચિંતવીને તે સુગંધી દ્રવ્યો વડે જિનેશ્વરની પૂજા કરવા લાગી. તેથી મંત્ર વડે પિશાચીની જેમ તેણીના દેહમાંથી દુર્ગધ નષ્ટ થઈ ગઈ. પોતાના દેહમાંથી સર્વ દુર્ગધ નષ્ટ થયેલી જોઈ તેના નેત્રમાં આનંદના અશ્રુ ભરાઈ ગયા. મદનાવલીના સમીપ ભાગમાં રહેનારા અનુચરોએ રાજા પાસે જઈને વધામણી આપી કે “હે સ્વામી ! આપના પુણ્યથી દેવી દુર્ગધ રહિત થઈ ગયા છે.” તે વચન સાંભળી રાજા જાણે અમૃતનું સિંચન થયું હોય તેવો સંતોષ પામ્યો અને તે અનુચરોને ઘણું દાન આપીને સંતુષ્ટ કર્યા. પછી તરત જ તે રાણીની પાસે ગયો. ત્યાં તેને તદ્દન નિરોગી જોઈ તે બહુ સંતુષ્ટ થયો. પછી રાજા પરમ સ્નેહવડે તેણીને ગજેન્દ્ર ઉપર બેસાડી આનંદપૂર્વક રાજમહેલમાં લઈ આવ્યા અને આખા નગરમાં મોટો મહોત્સવ કરાવ્યો. - હવે રાજા આનંદિત મને દેવી પાસે બેઠો છે તેવામાં ઉદ્યાનપાળે Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy