SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રીવિજયચંદ્રકેવળચરિત્ર વરી. તે રાજાને રામને સીતાની જેમ તે બધા અંતઃપુરમાં અતિ વહાલથી અને પ્રાણથી પણ પ્રિય થઈ પડી. રાજા એનો એવો ઉપકાર માનતો હતો કે “આ રાજકન્યા મોટા મોટા વિદ્યાધરોને મૂકીને પાદચારી એવા મને સ્વયંવરમાં વરી રાજાની સાથે વિષયસુખને અનુભવતી એવી મદનાવળીને અન્યદા મુનિની દુર્ગચ્છા કરવાથી પૂર્વે જે કર્મ ઉપાર્જન કર્યું હતું તે ઉદયમાં આવ્યું; તેથી તેણીના દેહમાંથી એવો દુસહ દુર્ગધ છૂટવા લાગ્યો કે જેથી સર્વ નગરજનો યુ શુ કરતા સતા ત્યાંથી નાસી જવા લાગ્યા. આ જોઈને રાજા સિંહધ્વજના હૃદયમાં અત્યંત દુઃખ ઉત્પન્ન થયું. તેણે પ્રવીણ વૈદ્યને તેને બતાવી, પરંતુ તેણે પણ તેને દૂરથી જ તજી દીધી. આ પ્રમાણે થવાથી રાજાએ ઘોર અટવીમાં એક મોટો મહેલ બંધાવીને તેમાં તેને રાખી. ત્યાં રાજસુભટો દૂર રહીને તેની સંભાળ કરવા લાગ્યા. આવા દુઃસહ દુર્ગધથી દુઃખિત થયેલી રાણી ત્યાં રહેલી ચિંતવવા લાગી કે “દુષ્ટ દેવે મારા શરીરને આવું કરી નાખ્યું તેથી મારા જીવિતને ધિક્કાર છે ! મેં પૂર્વભવે અતિ દારુણ પાપકર્મ કરેલું હશે, કે જેથી મારા દેહની આવી સ્થિતિ થઈ, તો હવે મારે તે સમ્યક્ પ્રકારે સહન કરવું, વિશેષ વિલાપ કરવાથી શું થવાનું છે !” આ પ્રમાણે ચિરકાળ ચિતવી તેણીએ પોતાના હૃદયને ધીરજ આપી. એકદા અત્યંત દુઃખથી જેનું શરીર ભરપૂર છે એવી તે રાણી પોતાના મહેલમાં પલંગ ઉપર એકલી બેઠી છે તેવામાં તેના મહેલના ગોખ ઉપર એક શુક પક્ષીને તેની પ્રિયા સુડીએ કહ્યું કે – “હે સ્વામી ! મને કોઈક રમણીય કથા કહો.' તે સાંભળી મદનાવલીએ સંતુષ્ટ થઈ ચિંતવ્યું કે “આ સારું થયું. આ સુડી સુડો કાંઈક આનંદની વાત કરશે તો મને પણ દુઃખમાં જરા વિનોદ મળશે.” પછી તે શુક પક્ષીએ પોતાની પ્રિયાને કહ્યું કે “તને એક કલ્પિત કથા કહું તે સાંભળ.' પક્ષિણી બોલી કે “હે નાથ ! મને કલ્પિત કથા કરતાં કોઈનું સાચું ચરિત્ર કહીને સંતોષ આપો.' એટલે સુડો ચરિત્ર કહેવા લાગ્યો. તેમાં જયસૂર રાજા, તેની શુભમતિ નામે રાણી, તેઓનું અષ્ટાપદ પર્વત ઉપર જવું. ત્યાં માર્ગમાં કરેલી મુનિવરની દુગચ્છા, સુગંધી વિલેપન, તેથી થયેલો મુનિને ઉપસર્ગ, શુભમતિએ કરેલ પશ્ચાત્તાપ, પ્રાંતે લીધેલી દીક્ષા, ત્યાંથી દેવલોકમાં ગમન, ત્યાંથી દેવીનું નવું Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy