SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૫૯] પૌષથવ્રતના અતિચાર વ્યાખ્યાન ૧૫૯ પૌષધવ્રતના અતિચાર उत्सर्गादानसंस्ताराः अनवेक्ष्याप्रमार्ण्य च । अनादरः स्मृत्यनुपस्थापनं चेति पौषधे ॥१॥ ભાવાર્થ-૧ ત્યજવું, ૨ લેવું, ૩ સંથારો કરવો—તેમાં બરાબર જુએ નહીં અને પ્રમા” નહીં, ૪ ક્રિયામાં આદર ન રાખવો અને ૫ ક્રિયાના સમયને સંભારવો નહીં—એ પૌષધવ્રતના પાંચ અતિચાર છે.’’ 3333 વિશેષાર્થ-ઉત્સર્ગ એટલે લઘુનીતિ વડીનીતિ વગેરેનો ત્યાગ કરવામાં જુએ નહીં એટલે જીવજંતુથી આકુલ એવી ભૂમિને તપાસે નહીં, તેમ જ રજોહરણ વગેરેથી પ્રમાર્જે નહીં, એટલે વિશુદ્ધિને માટે પ્રતિલેખના કરે નહીં; તે સમયે તે કાર્યમાં પ્રતિલેખના-પ્રમાર્જના કરવી જોઈએ તે ન કરવાથી અતિચાર લાગે તે પ્રથમ અતિચાર જાણવો. ૬૩ આદાન એટલે લેવું–ઉપલક્ષણથી મૂકવું અર્થાત્ દંડ, પાટ, પાટલા વગેરે લેવા તથા મૂકવામાં બરાબર જોવું અને પૂંજવું જોઈએ; જો તેમ ન કરે તો અતિચાર લાગે તે બીજો અતિચાર જાણવો. પૌષધવ્રત લેનારાએ રાત્રિએ ડાભ, ઘાસ, કાંબલ કે વસ્ત્ર વગેરેથી સંથારો કરવો જોઈએ; તે ક૨વામાં જુએ નહીં, કે પૂંજે નહીં તો તેથી અતિચાર લાગે તે ત્રીજો અતિચાર જાણવો. પૌષધવ્રત લેવામાં અનાદર કરે અને તે વ્રત સંબંધી ક્રિયાને યોગ્ય અવસરે સંભારે નહીં તેથી અતિચાર લાગે તે ચોથો અને પાંચમો અતિચાર જાણવો. બીજા ગ્રંથમાં પાંચમો અતિચાર જુદી રીતે કહેલો છે તે આ પ્રમાણે—પૌષઘવ્રતમાં વિધિવિપરીત વર્તવું—એટલે પૌષધવ્રત લઈને તેને બરાબર ન પાળવું. અર્થાત્ આહાર પૌષધ કર્યો સતે ક્ષુધાતૃષાદિકની પીડાથી એવું વિચારે કે “આ પોસહ પૂરો થશે એટલે હું મારે માટે અમુક અમુક આહારાદિક કરાવીને ખાઈશ.” આ પ્રમાણે વિચારવાથી જે અતિચાર લાગે તે પાંચમો અતિચાર જાણવો. સાતિચાર પૌષઘવ્રત ઉપર નંદમણિકાર શ્રેષ્ઠીની કથા શ્રી જ્ઞાતાસૂત્રના તેરમા અધ્યયન ઉપરથી અહીં કિંચિત્ માત્ર લખીએ છીએ. નંદ મણિકારની કથા Jain Education International રાજગૃહી નગરીમાં શ્રી વીરપ્રભુના સમવસરણમાં પ્રથમ દેવલોકનો નિવાસી દર્દુરાંક નામે દેવ સૂર્યાભદેવની જેમ પ્રભુની ભક્તિ કરીને સ્વર્ગે ગયો. તે વખતે શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે ‘આ દેવતાએ કયા પુણ્યથી આવી સમૃદ્ધિ પ્રાપ્ત કરી?' પ્રભુ બોલ્યા—“રાજગૃહી નગરીમાં નંદ મણિકાર નામે શ્રેષ્ઠી હતો. તેણે અમારી પાસે શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. એક વખતે ગ્રીષ્મઋતુમાં તેણે અષ્ટમતપયુક્ત પૌષધવ્રત ગ્રહણ કર્યું. જળરહિત કરેલા તે ત્રણ ઉપવાસમાં તે શ્રેષ્ઠીને તૃષા લાગી. એટલે તેણે ચિંતવ્યું કે ‘જેઓ પોતાના દ્રવ્યથી વાવો કે કૂવાઓ કરાવે છે તેઓને ધન્ય છે.’ પોસહ પાર્યા પછી તે શ્રેષ્ઠીએ અન્યદા શ્રેણિક રાજાની આજ્ઞા લઈને નગરની બહાર નંદવાપિકા નામની ચાર મુખવાળી એક વાવ કરાવી. તેની ચારે દિશાઓમાં ચાર ઉપવન કરાવ્યાં. ઘણા લોકો તેના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy